SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮] મતિ શ્રુતનો વિશેષ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સ્થળે પણ એમ જ જણાય છે. તેથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન તેનું કાર્ય છે. મૃતિંડ તથા ઘટની જેમ કાર્ય અને કારણનો કથંચિત્ ભેદ પ્રસિદ્ધ છે. ૧૦૫. * પુનરાવર્તન કરતી વખતે વિચારીને, મતિ વડે જ શ્રુતને પુરણ કરાય છે અને પુષ્ટિ પમાડાય છે. મતિ વડે જ બીજા પાસેથી શ્રુત મેળવાય છે, અને મતિ વડે જ બીજાને અપાય છે (ઉપદેશાય છે.) એ સર્વ મતિ સિવાય નથી બનતું. વળી ગ્રહણ કરેલું શ્રુત પુનરાવર્તન અથવા ચિંતવન દ્વારા મતિજ્ઞાનથી જ સ્થિર કરાય છે. જો મતિનો અભાવ હોય, તો ગ્રહણ કરેલું શ્રત પણ નાશ પામે છે (ભૂલી જવાય છે.) વિશિષ્ટ પ્રકારની વિચારણા અને ધારણાદિ સિવાય શ્રુતજ્ઞાનના પુરણ પાલનઆદિ અર્થો સિદ્ધ કરી શકાય નહિ, અને એ વિચારણા વિગેરે મતિજ્ઞાનરૂપ જ છે. તેથી સર્વપ્રકારે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનનું કારણ છે, અને શ્રુતજ્ઞાન તેનું કાર્ય છે. જો ભેદ હોય તોજ કાર્યકારણભાવ ઘટે અન્યથા ન ઘટે. આ પ્રમાણે એકબીજા કારણ-કાર્યરૂપ હોવાથી તે મતિ-શ્રુતમાં ભેદ છે. ૧૦૬. પ્રશ્ન :- મતિ અને શ્રુત બે પ્રકારના હોય છે (૧) સમ્યગુદૃષ્ટિને જ્ઞાનસ્વરૂપ હોય છે, અને (૨) મિથ્યાદષ્ટિને અજ્ઞાનસ્વરૂપ હોય છે. જે વખતે મતિ-શ્રુત અજ્ઞાનનો ક્ષયોપશમ હોય, ' તે વખતે મતિ-શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ન હોય; અને જે વખતે મતિ-શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ હોય, તે વખતે અતિ શ્રુત અજ્ઞાનનો ક્ષયોપશમ ન હોય. જેથી જ્ઞાન અથવા અજ્ઞાન જુદા સ્વરૂપવાળા હોવા છતાં તે મતિ-શ્રુત સમકાળે થાય છે, તેથી મૃત મતિપૂર્વક નથી; કારણ કે જેમ એકીવખતે ઉત્પન્ન થયેલા ગાયના જમણા તથા ડાબા શીંગડાંને; પૂર્વપશ્ચાદ્ભાવ ઘટે નહિ, તેમ એકીવખતે ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા, જ્ઞાન અથવા અજ્ઞાનસ્વરૂપ મતિ-શ્રુતને, પૂર્વ-પશ્ચાદ્ભાવ ઘટે નહિ. આ પ્રમાણે પૂર્વપશ્ચાદ્ભાવ માનવો એ ઉસૂત્ર છે, તેમ છતાં કદાગ્રહથી પૂર્વ-પશ્ચાદ્ભાવ માનવો જ હોય, તો જે વખતે મતિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે વખતે જીવને શ્રુત અજ્ઞાન માનવું પડશે; કેમ કે મતિજ્ઞાનના સમયે તમે શ્રુતજ્ઞાન માનતા નથી. તેથી મતિજ્ઞાન થયા બાદ, જ્યાં સુધી શ્રુતજ્ઞાન ન થાય, ત્યાં સુધી શ્રુતજ્ઞાન માનવું પડશે, પણ એ પ્રમાણે માનવું, તે આગમવિરુદ્ધ છે, કેમ કે જ્ઞાન અને અજ્ઞાનની અવસ્થિતિ, સમકાળે આગમમાં કયાંય પણ માની નથી. જ્ઞાન સમ્યગૃષ્ટિને હોય છે અને અજ્ઞાન મિથ્યાદૃષ્ટિને હોય છે. ૧૦૭. ઉત્તર :- ઉપરોક્ત તમારું કથન બુદ્ધિની જાગૃતિ વિનાનું અને અભિપ્રાય જાણ્યા વિનાનું છે, કેમ કે તદાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ મતિ-શ્રુત જ્ઞાન અથવા અજ્ઞાન લબ્ધિથી અને ઉપયોગથી એમ બે રીતે થાય છે. અહીં જે સમકાળે મતિ-શ્રુત થાય છે તે લબ્ધિથી થાય છે, ઉપયોગથી નહિ. બન્ને જ્ઞાનનો ઉપયોગ તો કેવળજ્ઞાન અને કેવળદર્શનની પેઠે, તેવા પ્રકારના સ્વભાવથી અનુક્રમે વર્તે છે. પહેલાં મતિજ્ઞાનનો ઉપયોગ અને પછી શ્રુતજ્ઞાનનો ઉપયોગ થાય છે. અહીં કોઈને એવી શંકા થાય કે મતિપૂર્વક શ્રુત કહ્યું છે, તે લબ્ધિની અપેક્ષાએ કહ્યું હશે, તો તેમ નથી. અહીં જે મતિપૂર્વક શ્રત કહ્યું છે, તે તો મતિથી થયેલ શ્રુતનો ઉપયોગ કહ્યો છે. મૃતોપયોગ એટલે વિશિષ્ટ ૧. એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અજ્ઞાનરૂપે વર્તતો હોય, તે વખતે તે ક્ષયોપશમ જ્ઞાનરૂપે ન પ્રવર્તે, ને જે વખતે તે ક્ષયોપશમ જ્ઞાનરૂપે વર્તતો હોય તે વખતે અજ્ઞાનરૂપે ન વર્તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy