SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦]. આવયના અધિકાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ सामाइयाइयाणं, छण्हज्झयणाण सो समावेसो । नोआगमो त्ति भण्णइ, नोसद्दो मीसभावम्मि ॥८९९॥ સામાયિકાદિ છ અધ્યયનોનો સમાવેશ તે જ્ઞાન-ક્રિયા-અને ગુણનો સમૂહ કહેવાય છે. કેમ કે તે જ્ઞાન-ક્રિયા-અને ગુણમય છે, અને તે સમૂહ નોઆગમથી ભાવસ્કંધ કહેવાય છે. કારણ કે નો શબ્દ (અહીં) મિશ્રભાવમાં છે. (અને જ્ઞાન-ક્રિયા- તથા ગુણનો ઉપયોગ તે પણ મિશ્ર છે.) ૮૯૯. એ પ્રમાણે ભાવસ્કંધનું સ્વરૂપ કહ્યું, હવે સ્કંધના એક અર્થવાળાં નામો કહે છે. गण-काय-निकाए य, खंधे वग्गे तहेव रासी य । पुंजे पिंडे नियरे, संघाए आउल समूहे ॥९००॥ ગણ, કાય, નિકાય, સ્કંધ, વર્ગ, રાશી, પુંજ, પિંડ, નિકર, સંઘાત, આકુલ અને સમૂહ. (એ સ્કંધનાં પર્યાયનામો છે. સામાયિકાદિ છ અધ્યયનના સમૂહરૂપ આ શ્રુત છે તેથી આ સમુદાય તે આવશ્યક શ્રતસ્કંધ જાણવો.) ૯૦૦. હવે સામાયિકાદિ અધ્યયનોના અર્થના અધિકારો જણાવવા માટે પ્રસ્તાવના કહે છે. किं पुण छक्कज्झयणं ?, जेण छलत्थाहिगारविणिउत्तं । सामाइयाइयाणं, ते य इमे छज्जहासंखं ॥९०१॥ શા માટે (આવશ્યક) છ અધ્યયનાત્મક છે? છ અર્થાધિકારથી જોડાયેલું છે તેથી આવશ્યક છ અધ્યયનાત્મક છે. એ સામાયિકાદિ છ અધ્યયનોના છ અર્વાધિકાર અનુક્રમે આ પ્રમાણે જાણવા. ૯૦૧ ઉપરોક્ત છ અર્થાધિકાર કહે છે. सावज्जजोगविरई, उक्कित्तण गुणवओ य पडिवत्ती । खलियस्स निंदणा वणतिगिच्छ गुणधारणा चेव ॥९०२॥ સાવઘયોગ (પાપવ્યાપાર)ની વિરતિ, જિનેશ્વરોની સ્તુતિ, ગુણવન્તની પ્રતિપત્તિ, સ્કૂલના થઇ હોય તેની નિન્દા, અપરાધ રૂપ વ્રણની ચિકિત્સા, અને ગુણની પ્રતિત્તિ (એ છ અધ્યયનના છ અર્થાધિકાર છે.) ૯૦૨. સાવઘયોગની વિરતિ (પાપ વ્યાપારનો ત્યાગ) કરવા રૂપ અર્થાધિકાર, સામયિક અધ્યયનમાં છે. અહંન્તોના ગુણનું કીર્તન કરવા રૂપ અર્થાધિકાર, ચતુર્વિશતિ સ્તવાધ્યયન (લોગસ્સ)માં છે. ગુણવાનું ગુરૂને વન્દન-પૂજન કરવા રૂપ જે પ્રતિપત્તિ, તે અર્વાધિકાર વન્દનાધ્યયન (વાંદણા)માં છે. શ્રુત-શીલમાં સ્કૂલના થઇ હોય તેની નિન્દા કરવા રૂપ અર્થાધિકાર, પ્રતિક્રમણાધ્યયન (વંદિત્ત કે શ્રમણ સૂત્રોમાં છે. થએલા અપરાધની માફ માટે ચારિત્રરૂપ આત્માના અપરાધરૂપી વ્રણની ચિકિત્સા કરવારૂપ અર્વાધિકાર કાર્યોત્સર્ગાધ્યયનમાં છે. વ્રતનો ભંગ અથવા અતિચાર થવાથી લાગેલા કર્મ, કાઉસ્સગ્ગથી દૂર નથી થયાં તેને દૂર કરવા માટે અનશનાદિગુણધારણ કરવારૂપ અર્થાધિકાર, પ્રત્યાખ્યાન અધ્યયનમાં છે. એ પ્રમાણે આવશ્યક-શ્રુતસ્કંધરૂપ ત્રણ પદનો નામાદિ ન્યાસ કર્યો. તેમજ છ અર્થાધિકાર કહેવારૂપ સમુદાયાર્થનું નિરૂપણ કર્યું. ૯૦૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy