________________
ભાષાંતર)
અનુમાનના પ્રકારો.
[૨૨૫
પ્રશ્ન :- લિંગગ્રહણ અને પૂર્વ સંબંધનું સ્મરણ એ બન્ને થયા પછી લિંગથી થયેલું જ્ઞાન તે અનુમાન કહેવાય છે. તો લિંગને જ અનુમાન કેમ કહેવાય ?
ઉત્તર :- અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે, એટલે કે લિંગ એ અનુમાન જ્ઞાનનું કારણ હોવાથી, લિંગનેજ અનુમાન કહ્યું છે. જેમ પ્રત્યક્ષજ્ઞાનને ઉત્પન્ન કરનાર ઘટ, તે પણ પ્રત્યક્ષ કહેવાય છે. તેમ આ સર્વનું તાત્પર્ય એ છે કે લધ્યક્ષર તે શ્રુતજ્ઞાન છે. અને તે ઇન્દ્રિય મનોનિમિત્તથી વ્યવહાર પ્રત્યક્ષ થાય છે, અથવા અનુમાનથી થાય છે. તે સિવાય આત્મપ્રત્યક્ષ નથી થતું. કેમકે આત્મપ્રત્યક્ષ જ્ઞાન તો અવધિ આદિ છે. વળી બીજાઓ સાદૃશ્યપણાથી થતું અનુમાન પાંચ પ્રકારે છે, એમ કહે છે. ૪૬૯. હવે એજ પાંચ પ્રકારના અનુમાનનું સ્વરૂપ કહે છે.
सारिक्ख-विवक्खो-भय-मुवमा-गममेव सबमणुमाणं ।
વિંચિત્મવિલેસેજ, રા ર તે પંહ સારુ . સાદશ્ય, વિસદશ, ઉભયજ્ઞાન, ઉપમા અને આગમ, એ સર્વ અનુમાન જ છે. પણ કિંચિત્માત્ર ભેદથી ભેદ કહીએ તો તે પાંચ પ્રકારે ન રહે પણ વધુ થાય. ૪૭૦.
પ્રત્યક્ષપદાર્થમાં પણ સાદેશ્યપણાથી સ્મૃતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમકે કોઈ સ્થળે એક ભાઈને જોયો હોય તો બીજે સ્થળે તેના સમાન ચહેરાવાળા બીજા ભાઈને જોઇને, પૂર્વે જોયેલા ભાઇની સમાનતાથી “એ પૂર્વે જોયેલો આનો ભાઈ હતો” આવું સ્મૃતિજ્ઞાન થાય છે. વિપક્ષથી પણ સમૃતિજ્ઞાન ઉત્પન્ન થાય છે, જેમકે નકુલ (નોળીઓ) જોઇને તેના વિપક્ષભૂત સર્પનું જ્ઞાન થાય છે. વળી ઉભયરૂપથી પણ સ્મૃતિજ્ઞાન થાય છે, જેમકે ખચ્ચર જોવાથી ગધેડાનું અને અશ્વનું બન્નેનું સ્મરણ થાય છે. ઉપમાથી પણ એજ પ્રમાણે સ્મૃતિજ્ઞાન થાય છે. જેમકે ગવય-(રોઝ) જોઇને ગાયનું સ્મરણ થાય છે. અને આગમથી સ્વર્ગાદિનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે સાદેશ્યાદિભેદે પાંચ પ્રકારનું અનુમાન છે.
અર્થાત્ એ પાંચ પ્રકારો અનુમાન છે, કારણ તેમાં અન્ય સંબંધથી વિવક્ષિત અર્થનું જ્ઞાન થાય છે. પણ જો કિંચિત ભેદથી પણ ભેદ કરીએ તો અનુમાનના આ પાંચ પ્રકાર નથી રહેતા, તેથી અધિક પણ થાય છે. કેમકે આ પાંચભેદથી અનુમાનના બધાએ ભેદનો સંગ્રહ નથી થતો. જેમકે ધૂમથી અગ્નિનું જ્ઞાન, વાદળાથી જળઆદિનું જ્ઞાન વિગેરે લોક પ્રસિદ્ધ અનુમાનનો આમાં સમાવેશ નથી થતો (આ સ્થળે-“માય૩ દિવસ” ઇત્યાદિ ગાથા કોઇ સ્થળે જણાય છે, પણ તે પ્રક્ષેપ હોવાથી અને બે મૂળ ટીકાઓમાં ગ્રહણ નથી કરી તેથી અમે પણ તેની વ્યાખ્યા નથી કહેતા.) ૪૭૦. - હવે ઇન્દ્રિય-મનોનિમિત્ત જ્ઞાન પણ ખરી રીતે અનુમાન જ છે. એમ સિદ્ધ કરવા કહે છે કે –
इंदिय-मणोनिमित्तंपि, नाणुमाणाहि भिज्जए किंतु ।
नाविक्खइ लिगंतरमिइ पच्चक्खोवयारो स्थ ॥४७१॥ ઇન્દ્રિય-મનોનિમિત્તજ્ઞાન પણ અનુમાનથી જુદું નથી; પરન્તુ તે અન્યલિંગની અપેક્ષા રાખતું નથી, તેથી એમાં પ્રત્યક્ષનો ઉપચાર કરાય છે. ૪૭૧.
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org