________________
૨૨૬].
અનુમાનની વિચારણા.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧
સન્મુખ રહેલ ઘટાદિ અર્થ સાક્ષાત્ જોઇને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન પણ ધૂમથી જેમ અગ્નિનું જ્ઞાન થાય છે, તેમ તે પણ ઇન્દ્રિય અને મનથી થતું હોવાથી અનુમાન જ્ઞાન જ છે. કારણ કે ઇન્દ્રિય અને મનવડે થતું હોવાથી આત્માને તો તે પરોક્ષ જ છે, તેથી ખરી રીતે એ જ્ઞાન અનુમાનથી જુદું નથી. અને જે અર્થે ઇન્દ્રિયોને સાક્ષાત્ નથી, છતાં પણ સાદડ્યાદિ લિંગથી તેનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેનું જ્ઞાન તો અનુમાન રૂપજ છે એમાં શો સંદેહ ?
પ્રશ્ન - ઇન્દ્રિય અને મનોનિમિત્ત જે જ્ઞાન સાક્ષાત્ અર્થ જોઈને થાય છે, તે જ્ઞાનને જો અનુમાન કો છો, તો તે લોકમાં પ્રત્યક્ષરૂપે પ્રસિદ્ધ કેમ કહેવાય છે ?
ઉત્તર - ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્તમાત્રથીજ ઉત્પન્ન થતું હોવાથી ધૂમઆદિ અન્ય લિંગની અપેક્ષા રાખતું નથી, તેથી તે જ્ઞાનમાં પ્રત્યક્ષની પેઠે પ્રત્યક્ષ ઉપચાર કરાય છે. પરમાર્થથી તો તે અનુમાન જ છે. ૪૭૧. ' હવે કિંચિત્ ભેદથી અનુમાનનો ભેદ કહેવાય છે, તો પણ એ પાંચ ભેદ યોગ્ય નથી, તે બતાવે છે.
नापुणरुत्ता न समत्तलिङ्गसंगाहिया न य गुणाय ।
નિયમિચરિમાનહિંદ ર વિશેસ વર્તદ્વી? (પંચવિધ અનુમનોપલબ્ધિ) પુનરૂક્તિ દોષ રહિત નથી, સમસ્ત લિંગનો સંગ્રહ નથી કરતી અને ગુણકારી પણ નથી, તો પછી એ નિયમિત પરિણામવાળી વિશેષ ઉપબ્ધિ વડે શું? ૪૭૨.
જે પંચવિધ અનુમાનોપલબ્ધિ કોઈ માને છે, તે પુનરૂક્તિ દોષ રહિત નથી. કેમકે સાંદશ્યઉપમાન આદિમાં સર્વત્ર સાશ્યપણું સમાન હોવાથી પુનરૂક્તિદોષ યુક્તજ છે. અને અત્યન્ત પરોક્ષ સ્વર્ગાદિવડે ઉપમાન કરવામાં આગમપણું સમાન હોવાથી તેમાં પણ પુનરૂક્તિ દોષ છે. વળી એ પંચવિધઉપલબ્ધિમાં સર્વલિંગોનો સમાવેશ પણ નથી થતો, કેમકે સર્વ લોકમાં પ્રસિદ્ધ એવા કાર્ય અને સ્વભાવાદિરૂપ ધૂમ અને કૃતકૃત્વાદિ લિગોનો આમાં સમાવેશ નથી થતો, એમાં પણ કોઈક અંશે સદિશ્યપણું છે, તો પછી ઘણા ભેદો કરવાનું શું પ્રયોજન ? એકજ ભેદ બસ છે, કારણ કે બધાએ લિંગોમાં કોઈક અંશે સાદશ્યપણું ગમક છે. વળી આ પંચવિધ ઉપલબ્ધિથી કોઈ ગુણ નથી પણ ઉક્તન્યાયે દૂષણજ છે, તો પછી એ પ્રમાણે નિયમિતપરિમાણવાળી પંચવિધ વિશેષોપલબ્ધિથી શું લાભ છે ? અનુમાનરૂપેજ સર્વનો સંગ્રહ કરવાથી કંઇપણ દૂષણ નહિ આવે. ૪૭ર.
ભલે એમ હો. પરંતુ અનુમાનથી જુદી વિવિધ અનુપલબ્ધિ અન્યત્ર પ્રસિદ્ધ છે, તે તો કહેવી જોઈએ. માટે તે અનુપલબ્ધિ જણાવવાનું કારણ કહે છે.
नाहिकयाऽणुवलद्धी, मया विवक्खो त्ति वा तओ सब्बा ।
સંગ્રહિને ૧, ૨ ૩ ગુત્તો તિવિનિયમો સે ૪૭ફી અહી અનુપલબ્ધિનો અધિકાર નથી (માટે તે ન કહેવી જોઈએ, પણ અક્ષરોપલબ્ધિનો) પ્રતિપક્ષ અનુપલબ્ધિ છે, (તેથી કહી છે,) તો સાક્ષાત્ આદિશબ્દ ગ્રહણ કરવાથી સર્વ અનુપલબ્ધિ કહેવી જોઈએ, પરંતુ તે અનુપલબ્ધિ ત્રણ પ્રકારે જ છે, એ નિયમયુક્ત નથી. ૪૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org