________________
૨૨૪] સંજ્ઞાક્ષર અને વ્યંજનાલર એ દ્રવ્યહૃત છે. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
હવે લધ્યક્ષર કહે છે.
जो अखरोवलंभो सा लद्धी, तं च होइ विण्णाणं ।
इंदिय-मणोनिमित्तं जो आवरणक्खओवसमो ॥४६६॥ જે અક્ષરપલંભ-લાભારૂપ (અક્ષરની પ્રાપ્તિ) તે લબ્ધિ છે, અને તે ઇન્દ્રિય-મનોનિમિત્ત શ્રતગ્રંથાનુસારિ વિજ્ઞાન (શ્રુતજ્ઞાનોપયોગ) છે, તેમજ તદાવરણ (શ્રુતજ્ઞાનાવરણ)નો જે ક્ષયોપશમ એ બન્ને લબ્ધિ અક્ષર છે. ૪૬૬. હવે દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતનો તદાવત કહે છે. ___ दबसुयं सण्णा-वंजणक्खरं, भावसुत्तमियरं तु ।
मइ-सुयविसेसणम्मिवि मोत्तूणं दब्बसुत्तं ति ॥४६७॥ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ બન્ને દ્રવ્યદ્ભુત છે, અને એ સિવાયનું લબ્ધિ અક્ષર તે ભાવક્રુત છે. મતિ અને શ્રુતના ભેદનો વિચાર કરતાં પણ “મોજૂi રસુઈ એ ૧૧૭મી ગાથામાં આ ભેદ કહેલ છે. ૪૬૭.
સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ બન્ને ભાવશ્રુતનાં કારણ હોવાથી દ્રવ્યશ્રત છે અને લબ્ધિ અક્ષર તે ભાવઠુત છે.
પ્રશ્ન :- અહીં શ્રુતજ્ઞાનના વિચારમાં જે આ ત્રિવિધ અક્ષરનો ભેદ કહ્યો છે, તેવો ભેદ પૂર્વે મતિ-શ્રતનો ભેદ વિચારતા “સોડું વિત્ની” ઇત્યાદિ ૧૧૭મી ગાથામાં કર્યો છે કે નહિ ? જો એવો ભેદ ત્યાં છે, તો તે કેવી રીતે છે ? તે દેખાડો, અને જો નથી, તો અહીં પણ એવો ભેદ શા માટે કહો છો ?
ઉત્તર :- ત્યાં મતિ-શ્રુતનો ભેદ વિચારતાં પણ આ ત્રિવિધ અક્ષરનો ભેદ ૧૧૭મી ગાથામાં જણાવેલ છે.
दबसुयं सण्णक्खरमक्खरलंभोत्ति भावसुयमुत्तं ।
સૌતવત્નદ્ધિવચનોન વંશ ભાવસુ ૨૪૬૮ સંજ્ઞાક્ષરને દ્રવ્યશ્રુત અને અક્ષરોપતંભને ભાવશ્રુત કહ્યું અને વર્તમ ય સેસે એટલે શેષઈન્દ્રિયોમાં અક્ષરોપલંભ એ વાક્યથી લધ્યક્ષર કહ્યું છે, તે વિજ્ઞાનાત્મક હોવાથી ભાવશ્રુત છે. તથા “સોરિડોલી રોડ સુથ” એટલે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ તે શ્રત છે અર્થાત શ્રોત્રેન્દ્રિયવડે જે શબ્દની ઉપલબ્ધિ તે શ્રુત, એવો અર્થ કરવાથી વિજ્ઞાનાત્મક ભાવશ્રુત કહ્યું છે અને તે ભાવશ્રુત લધ્યક્ષર જ છે. આ પ્રમાણે પૂર્વે પણ ત્રિવિધ અક્ષરનો ભેદ જણાવીને દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતનું સ્વરૂપ કહ્યું છે. ૪૬૮. લધ્યક્ષરને પ્રમાતા કેવી રીતે પ્રાપ્ત કરે છે, તે કહે છે.
पच्चक्खमिंदिय-मणेहिं, लभइ लिंगेण चक्खरं कोइ ।
लिंगमणुमाणमण्णे, सारिक्खाई पभासंति ॥४६९॥ તે લધ્યક્ષર કોઈને ઇન્દ્રિય અને મન વડે પ્રત્યક્ષરૂપે થાય છે, અને કોઈને લિંગવડે થાય છે. લિંગ એટલે અનુમાન. બીજાઓ સાદેશ્યાદિ પાંચ પ્રકારે તે અનુમાન કહે છે. ૪૬૯.
એ લક્ઝક્ષરગ્રુત કોઈને ઇન્દ્રિય-મનના નિમિત્તથી વ્યવહાર પ્રત્યક્ષરૂપે થાય છે, અને કોઈને ધૂમાદિલિંગવડે થાય છે. એટલે કે ધૂમાદિલિંગ જોઈને જે અગ્નિઆદિરૂપ જ્ઞાન થાય છે તે, તેમાં લિંગ એટલે અનુમાન સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org