SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬] મૂક અમૂકનાં ભેદથી મતિશ્રુતનો વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ दव्वसुयमसाहारणकारणओ परविबोहयं होज्जा । रूढं ति व दब्बसुयं, सुयं ति रूढा न दव्बमई ॥१७४॥ सा वा सहत्थो च्चिय, तया वि जं तम्मि पच्चओ होइ । कत्ता वि हु तदभावे, तदभिप्पाओ कुणइ चिटुं ॥१७५॥ मइ-सुयनाणविसेसो, भणिओ तल्लखणाइभएणं । पुव्वं आभिणिबोहियमुद्दिडं तं परूवेरसं ॥१७६॥ સ્વ-પર પ્રત્યાનપણાથી મૂક અને વાચાળની પેઠે (મતિ-શ્રુતનો) ભેદ કહ્યો છે. મતિજ્ઞાન મૂક છે અને શ્રુતજ્ઞાન સ્વપરપ્રત્યાયક હોવાથી અમૂક છે. શબ્દ, શ્રુતનું કારણ હોવાથી શ્રત છે, તે શબ્દ પરનો બોધ કરે છે. (એમ તો) મતિના હેતુભૂત હાથ વિગેરેની ચેષ્ટાઓ પણ પરને બોધ કરે છે. સ્વરૂપથી મતિ-શ્રુત પર પ્રબોધક નથી, બન્નેનાં કારણો પરપ્રબોધક છે, તેથી બન્નેનો ભેદ નથી. દ્રવ્યશ્રુત અસાધારણ કારણથી પરપ્રબોધક છે, અથવા શ્રુત દ્રવ્યશ્રુતપણે રૂઢ છે, તેમ દ્રવ્યમતિ રૂઢ નથી. તે ચેષ્ટા પણ શબ્દનો અર્થ જ છે, કેમ કે તે વડે તેમાં પ્રત્યય થાય છે. કર્તા પણ શબ્દના અભાવે તેવા અભિપ્રાયથી ચેષ્ટા કરે છે. (એ પ્રમાણે) મતિ-શ્રુતજ્ઞાનનો તફાવત તેના લક્ષણાદિ ભેદ વડે કહ્યો. પ્રથમ આભિનિબોધિક જ્ઞાન કહ્યું છે, માટે હવે તેની પ્રરૂપણા કરીશ. ૧૭૧-૧૭ કેટલાક આચાર્યો મૂક અને અમૂકના ભેદથી મતિ-શ્રુતનો તફાવત જણાવે છે કે – સ્વબોધક અને પરબોધક હોવાથી મૂક અને અમૂકની જેમ મતિ-શ્રુતમાં તફાવત છે. જેમ મુંગો માણસ પોતાને જ પ્રતીતિ પમાડી શકે છે, પણ શબ્દના અભાવે બીજાને પ્રતીતિ પમાડી શકતો નથી. અને વાચાવાળો માણસ વાણી વડે પોતાને તથા પરને પ્રતીતિ પમાડે છે. આ પ્રમાણે મુંગા અને વાચાવાળા મનુષ્યની જેમ મતિ અને શ્રુતમાં પણ ભેદ છે. “પરબોધક” દ્રવ્યઅક્ષરના અભાવે મતિજ્ઞાન મૂક છે અને દ્રવ્યઅક્ષરના સદૂભાવે શ્રુતજ્ઞાન પોતાને તથા પરને પ્રતીતિ કરાવે છે તેથી અમૂક છે. ૧૭૧. શબ્દને તથા પુસ્તકઆદિમાં લખેલા અક્ષરોને શ્રુત કહેલ છે. કેમકે એ બન્ને મૃતનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે. એ શબ્દ અને પુસ્તકઆદિમાં લખેલા અક્ષરો પરનો બોધ કરે છે. એ રીતે શ્રુતજ્ઞાન, શબ્દ દ્વારા જ પરને પ્રતીતિ કરાવે છે. અન્યથા નથી કરાવતું. ( આ પ્રમાણે જો તે માનવામાં આવે તો તે શ્રુત અને મતિજ્ઞાન એક જ થાય કેમ કે એ પ્રમાણે મતિના કારણભૂત હસ્તાદિકની ચેષ્ટાઓ પણ પરને પ્રતીતિ કરાવે છે. જેમ શબ્દો અને લખેલા અક્ષરો અક્ષરાત્મક હોવાથી શ્રુતનું કારણ છે. તેમ હાથ અને મસ્તકાદિની ચેષ્ટાઓ અક્ષર રહિત હોવાથી મતિજ્ઞાનના કારણ છે. જેમકે હાથ અને મુખનો સંયોગ કરવાથી ભોજનક્રિયા સંબંધી મતિ ઉત્પન્ન થાય છે. મસ્તક હલાવવાથી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ સંબંધી મતિ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મતિના કારણભૂત હસ્તાદિકની ચેષ્ટાઓ પણ પરને પ્રતીતિ કરાવનાર છે. ૧૭૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy