________________
ભાષાંતર]
મૂક અને અમૂકનાં ભેદથી મતિશ્રુતનો વિચાર
[ ૯૭
એ રીતે મતિજ્ઞાનના હેતુઓ પણ બીજાને બોધ કરે છે. તો પછી મતિશ્રુતમાં ભેદ શો રહ્યો ? કંઈ જ નહીં. કારણ કે – અવધિ આદિ જ્ઞાનોની પેઠે મતિ અને શ્રુતજ્ઞાન સ્વસ્વરૂપથી પર પ્રબોધક નથી. કદી એમ કહેવામાં આવે કે જે શબ્દાદિ શ્રુતનાં કારણ છે, તે પરપ્રબોધક છે અને એજ કારણથી મતિજ્ઞાન કરતાં શ્રુતમાં વિશેષતા છે. એ કથન ઠીક નથી, કેમકે એ પ્રમાણે તો મતિજ્ઞાનના કારણભૂત હસ્તાદિકની ચેષ્ટાઓ પણ પરપ્રબોધક છે. જ્યારે એ રીતે બન્નેનાં કારણ પરપ્રબોધક, છે, તો પછી ઉભયમાં ભેદ શો રહ્યો ? જ્યારે કંઈ ભેદ ન રહ્યો ત્યારે એમ કેમ કહી શકાય કે મતિ-શ્રત મૂક અને અમૂક હોવાથી ભેદવાળું છે. ૧૭૩.
વસ્તુતઃ દ્રવ્યશ્રુત શ્રુતજ્ઞાનનું અસાધારણ કારણ હોવાથી પરપ્રબોધક છે. પરન્તુ હસ્તાદિકની ચેષ્ટાઓ પરપ્રબોધક નથી. કેમકે તે ચેષ્ટાઓ તો મતિ-શ્રુત ઉભયનું સાધારણ કારણ છે. તાત્પર્ય એ છે કે શબ્દઆદિ દ્રવ્યશ્રુત, મતિજ્ઞાન અને શ્રુતપૂર્વક હોવાથી, જો કે અનન્તર મતિના અવસહ
હા વિગેરેને ઉત્પન્ન કરે છે. તો પણ તે અક્ષરરૂપ હોવાથી મુખ્યપણે માત્ર શ્રુતજ્ઞાનનું જ કારણ કહેવાય છે, આથી કારણરૂપે ઉપચાર કરવાથી તેનો શ્રુતમાં સમાવેશ થાય છે, વળી દ્રવ્યશ્રુત પરપ્રબોધક છે, એમ સર્વને જાણીતું છે, એ રીતે શ્રુતજ્ઞાનનું કારણ પરપ્રબોધક છે એમ કહેવું યોગ્ય છે; પરન્તુ હાથ વિગેરેની ચેષ્ટાઓ મતિજ્ઞાનનું અસાધારણ કારણ નથી, કેમ કે હાથ અને મુખના સંયોગાદિ રૂપ ચેષ્ટા જોવાથી માત્ર મતિસંબંધી અવગ્રહાદિ જ ઉત્પન્ન નથી થતા, પણ તે સાથે “આ ખાવાને ઇચ્છે છે.” ઇત્યાદિરૂપ શ્રુતાનુસારી વિકલ્પાત્મક શ્રુતજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. માટે હસ્તાદિકની ચેષ્ટાઓ અસાધારણ કારણ ન હોવાથી ખરી રીતે મતિજ્ઞાનનું કારણ જ નથી. અને તેથી કરીને તે ચેષ્ટાઓનો મતિજ્ઞાનમાં સમાવેશ થતો નથી. એટલે મતિજ્ઞાન પરપ્રબોધક પણ નથી. અથવા પુસ્તકાદિમાં લખેલું આચારાંગાદિ ગ્રંથરૂપ અને ગુરુએ કહેલ દેશનાના શબ્દરૂપ દ્રવ્યશ્રુત પરપ્રબોધક થાય છે; કેમ કે તે દ્રવ્યદ્યુત મોક્ષના અસાધારણ કારણભૂત ક્ષાયિકજ્ઞાન-દર્શનચારિત્રરૂપ વસ્તુનું કારણ છે; તેથી તે દ્વારા શ્રુતજ્ઞાન પરપ્રબોધક છે, એમ કહી શકાય. અને હસ્તાદિકની ચેષ્ટાઓ જો કે મતિજ્ઞાનનું કારણ છે, તો પણ યથોક્ત વિશિષ્ટ એવો પરપ્રબોધક ઘણું કરીને તે ચેષ્ટાઓમાં નથી, આથી તે ચેષ્ટાઓ પરપ્રબોધક ન હોવાથી તે દ્વારા મતિજ્ઞાન પણ પરપ્રબોધક નથી. ૧૭૪.
અથવા હસ્તાદિકની ચેષ્ટાઓ ભલે મતિજ્ઞાનનું કારણ હો, પરન્તુ તે ચેષ્ટાઓ આગમમાં દ્રવ્યમતિપણે પ્રસિદ્ધ નથી, અને પૂર્વે કહેલું શ્રુત તો દ્રવ્ય કૃતપણે સર્વત્ર પ્રસિદ્ધ છે. હસ્તાદિકની ચેષ્ટાઓ જો કે મતિજ્ઞાનનું કારણ અને પરપ્રબોધક છે, તો પણ તે દ્રવ્યમતિપણે પ્રસિદ્ધ ન હોવાથી કારણમાં કાર્યના ઉપચાર વડે મતિજ્ઞાનરૂપે તેમનો વ્યવહાર નથી કરતો, માટે તે ચેષ્ટાઓ મતિજ્ઞાનથી જુદી હોવાને લીધે તે દ્વારા તે પરપ્રબોધક નથી. અને દ્રવ્યશ્રુત તો કારણમાં કાર્યના ઉપચારથી શ્રુતજ્ઞાનરૂપે કહેવાય છે, તેથી તે દ્વારા તે પરપ્રબોધક છે. આ રીતે મૂક અને અમૂકના ભેદથી મતિ-શ્રુતનો તફાવત કહેવો યોગ્ય છે. આથી પૂર્વે એમ જે કહ્યું છે કે “તે બન્નેના કારણો પરપ્રબોધક હોવાથી ઉભયમાં ભેદ નથી” (એમ જે કહ્યું છે) તે અયોગ્ય છે, એમ દર્શાવ્યું. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org