SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] દ્રવ્ય મંગળ [૨૩ જીવ-અજીવ અને ઉભય-જીવાજીવ રૂપ અગ્નિ આદિ દેશીભાષામાં નામમંગળરૂપે પ્રસિદ્ધ છે. જેમ કે અગ્નિ તે જીવ છે અને મંગલનામથી બોલાય છે, સિંધુ દેશમાં રાખડી નાડાછડી વિગેરે વસ્તુઓ અજીવ છતાં મંગળ નામથી બોલાય છે, અને લાટ દેશમાં વંદનમાળા (આમ્રપત્રનું તોરણ) જીવાજીવ ઉભય-રૂપ છે, અને મંગળ નામથી બોલાય છે. કારણ કે તેમાંનો દોરો અચેતન હોવાથી અજીવ છે અને આમ્રપત્ર સચેતન હોવાથી જીવ છે. આ ત્રણે ઉદાહરણો નામમંગળનાં છે, અને સ્વસ્તિક વિગેરે સ્થાપનામંગળના ઉદાહરણ જાણવા, ૨૭. હવે “દ્રવ્ય”નું લક્ષણ કહે છે. दवए दुयए दोखयवो, विगारो गुणाण संदावो । दव्वं भव्यं भावस्स, भूअभावं च जं जोग्गं ॥ २८॥ જે દ્રવે છે-તે તે પર્યાયોને પામે છે, અથવા સ્વપર્યાયોથી પમાય છે તે, તથા સત્તાના અવયવ અથવા વિકાર તેમજ ગુણનો સમુદાય અને ભાવિભાવ (પર્યાય) તથા ભૂતભાવ (પર્યાય) યોગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. ૨૮. (૧) જે જુદા જુદા નવા પર્યાયોને પામે છે અને જુના જુના પર્યાયોને મૂકે છે, (૨) અથવા તે થવાવાળા પર્યાયો વડે પમાય છે અને થયેલ પર્યાયોથી મૂકાય છે તે દ્રવ્ય કહેવાય છે. કેમકે જે પર્યાયોને દ્રવ્ય પામે છે અને મૂકે છે તે પર્યાયો વડે તે દ્રવ્ય પણ પમાય છે અને મૂકાય છે. વળી (૩) સત્તાનો અવયવ અથવા (૪) સત્તાનો વિકાર તે પણ દ્રવ્ય કહેવાય. કારણ કે દ્રવ્યો જાતિરૂપ મહાસત્તાના અવાન્તર સત્તારૂપ અવયવો અથવા વિકારો જ છે. તથા (૫) રસરૂપ આદિ જે ગુણો, તેનો સમુદાય હોય તે દ્રવ્ય. (૬) તેમજ ભવિષ્યત્ પર્યાય અને (૭) ભૂતપર્યાયને જે યોગ્ય હોય તે દ્રવ્ય. જેમ કે ભવિષ્યમાં રાજપર્યાય પામવાને યોગ્ય એવો રાજકુમાર ભાવિ રાજા ગણાય ને તેથી તે દ્રવ્યરાજા કહેવાય. તેમજ પૂર્વે ઘીથી ભરેલો ઘડો અત્યારે ખાલી હોય તોપણ તે ઘીનો ઘડો કહેવાય છે. એ પ્રમાણે ભાવિભાવ અને ભૂતભાવને યોગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. જો ભૂત અને ભાવિભાવને જે યોગ્ય હોય તેને જ દ્રવ્ય ન કહીએ ને ભૂત ભાવિ ભાવ (પર્યાય) વાળાને જ દ્રવ્ય કહીએ તો પછી જગતમાં રહેલા સર્વ પુદ્ગલાદિક દ્રવ્યો દ્વા૨ા સર્વપદાર્થોના સર્વ પર્યાયો અનુભવેલા અથવા અનુભવવાના હોવાથી દ્રવ્ય ગણાય. પણ તેમ હોઈ શકે નહિ, માટે જે ભાવિભાવને અથવા ભૂતભાવને યોગ્ય હોય તેજ દ્રવ્ય કહેવાય. ૨૮. પ્રશ્ન :- આપના કહેવાથી સામાન્યપણે દ્રવ્ય નિક્ષેપાને અંગે દ્રવ્યનું લક્ષણ જાણ્યું, પરંતુ અહીં પ્રસ્તુતમાં દ્રવ્યમંગળ કહેવાનું છે, તે દ્રવ્યમંગળ કયું ? ઉત્તર : Jain Education International आगमओऽणुवउत्तो, मंगलसद्दाणुवासिओ वत्ता । तन्नाणलद्धिसहिओ वि, नोवउत्तो त्ति तो दव्वं ॥ २९ ॥ મંગળ શબ્દે અનુવાસિત એવો અનુપયોગી વક્તા તે જ્ઞાનલબ્ધિવાળો છે, છતાં પણ ઉપયોગ રહિત હોવાથી તે આગમથી દ્રવ્યમંગળ છે. ૨૯. દ્રવ્યમંગળ બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી. અહિં આગમનો અર્થ મંગળશબ્દાર્થનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy