SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨] સ્થાપના મંગળ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ યાવદર્થિક-શાશ્વત હોય છે. દેવદત્ત નામ વડે વાચ્ય પદાર્થો વિદ્યમાન છતાં લોકમાં જુદા જુદા નામથી બદલાઈને બોલાવાય છે. માટે ઘણું કરીને દ્રવ્ય હોય ત્યાં સુધી રહેવાવાળું નામ હોય છે એમ કહ્યું છે. સિદ્ધાંતમાં “નામ યાવત્કથિક હોય છે” એમ જે કહ્યું છે એ વાત પ્રતિનિયત દેશ આદિના નામને આશ્રિને કહેલ છે, જેમ કે ઉત્તર કુરૂમાં જન્મેલા “ઉત્તર કુરૂઓ” ભારત વર્ષમાં જન્મેલા ‘‘ભારતવર્ષીય’ ઇત્યાદિ, આ બે પ્રકારે નામનું લક્ષણ કહ્યું છે તે સિવાય પુસ્તક અથવા પત્રાદિમાં લખેલા કોઈ પણ ઇન્દ્ર વિગેરે વસ્તુના નામના અક્ષરની પંક્તિઓને પણ કોઈ સ્થળે નામ રૂપે કહેલ છે. આ પ્રમાણે સામાન્યથી નામનું લક્ષણ કહ્યું. તે નામની યોજના અહીં ચાલતા વિષયમાં અર્થાત્ મંગળમાં આ પ્રમાણે કરવી. જેમ કે કોઈ મંગળ રૂપ અર્થથી શૂન્ય વસ્તુમાં મંગળ એવું નામ કરીએ તે વસ્તુ કેવળ નામ માત્રથી જ મંગળ છે તેથી તે નામમંગળ કહેવાય છે. પુસ્તિકાદિમાં “મંગળ” એવા અક્ષરોની પંક્તિ લખેલી હોય તે પણ નામ મંગળ કહેવાય છે. ૨૫. હવે “સ્થાપના”નું લક્ષણ કહે છે. जं पुण तयत्थसुन्नं, तयभिप्पाएण तारिसागारं । कीर व निरागारं इत्तरमियरं व सा ठवणा ||२६|| વળી જે શબ્દના મૂલ અર્થથી શૂન્ય અને તે મૂલવસ્તુના અભિપ્રાયથી તે વસ્તુના જેવા આકારવાળું અથવા તેવા આકાર વિનાનું થવાય તે ઇત્વર-અલ્પકાલિક અને યાવત્કથિક હંમેશની એમ બે પ્રકારે સ્થાપના જાણવી. ૨૬. જે વસ્તુમાં ઇન્દ્રની સ્થાપના કરાય તે સ્થાપના ઇન્દ્ર કહેવાય છે. તે સ્થાપના આદિ ઇન્દ્ર શબ્દના અર્થથી રહિત હોય પરંતુ તે સદ્ભૂત ઇન્દ્ર આદિના અભિપ્રાયથી તેના આકારાવાળી મૂર્તિ-ચિત્ર વિગેરેમાં હોય, અને તેવા આકાર રહિત તે સ્થાપના અક્ષ વિગેરેમાં હોય; તેમાં ચિત્રઅક્ષ કાષ્ઠ વિગેરે ઇત્વર-અલ્પકાલિક સ્થાપના અને નંદીશ્વર દ્વીપના ચૈત્યપ્રતિમા વિગેરે યાવત્કથિક સ્થાપના છે. આગમમાં કહ્યું છે કે “સ્થિતિમાં રહે તે સ્થાપના” આ સર્વનું તાત્પર્ય એ છે કે જે વસ્તુ ઇન્દ્રાદિનો અર્થ જે ઐશ્વર્ય આદિ તેનાથી શૂન્ય હોય અને તે ઇન્દ્રાદિની બુદ્ધિથી તેના આકારવાળું અથવા તેના આકાર વિનાનું, તે થોડા કાળ સુધી અથવા યાવત્કથિક કાળ સુધી સ્થપાય તેને “સ્થાપના મંગળ” કહેવાય. અહીં પ્રસ્તુતમાં મંગળને અંગે તેની આ પ્રમાણે યોજના કરવી. જેમકે ચિત્ર ફોટો આદિમાં રહેલ પરમમુનિ (જિનેશ્વર)ની છબી વિગેરે સ્થાપના રૂપ હોવાથી તેને સ્થાપનામંગળ કહેવાય છે. ૨૬. હવે ઉપરોક્ત નામ અને સ્થાપનામંગળનાં ઉદાહરણો બતાવે છે. ગટ્ટુ મંગલમિટ્ટુ નામ, નીવા-ડનીવો-મયાન ટ્રેસીઓ । रूढं जलणाईणं, ठवणाए सोत्थिआईणं ॥ २७ ॥ જેમ અહીં દેશીભાષાથી જીવ-અજીવ અને ઉભય રૂપ અગ્નિ વિગેરેનું નામ, મંગળ રૂપે રૂઢ છે અને સ્વસ્તિકાદિના આકારોની જે સ્થાપના તે મંગળરૂપે રૂઢ છે. ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy