________________
ભાષાંતર).
મન અપ્રાપ્યકારી છે.
[૧૨૧
પ્રશ્ન - દ્રવ્યમનથી કરાયેલો અનુગ્રહ-ઉપઘાત જીવને પણ નથી થતો, એમ શા માટે નથી કહેતા ?
ઉત્તર :- જીવોને જે અનુગ્રહ-ઉપઘાત થાય છે, તે પદ્ગલોથી જ થાય છે. કેમ કે ઇષ્ટ અનિષ્ટ શબ્દ-રૂપ-રસ-ગંધ-અને સ્પર્શ આદિના ઉપભોગમાં એજ પ્રમાણે જણાય છે, તેથી જીવને દ્રવ્યમનકૃત અનુગ્રહ-ઉપઘાત ઘટે છે.
પ્રશ્ન :- શબ્દઆદિ ઇનિષ્ટ પુદ્ગલમય છે, એ વાત પ્રત્યક્ષઆદિપ્રમાણથી સિદ્ધ હોવાથી માની શકાય છે, પરંતુ આપ દ્રવ્યમનને ઇષ્ટઅનિષ્ટ પુદ્ગલમય કહો છો, તે માની શકાતું નથી.
ઉત્તર :- યોગીઓને (જ્ઞાનીઓને) તો દ્રવ્યમાન પ્રત્યક્ષથી જણાય છે, અને આપણા જેવાઓને અનુમાનથી જણાય છે. “જેના વિના જે ઘટતું નથી તે તેના દેખાવથી અંગીકાર કરાય છે” જેમ ફોલ્લાનાં દર્શનથી અગ્નિની દાહક શક્તિનું અનુમાન કરાય છે. ઇષ્ટ-અનિષ્ટ પદ્ગલસમૂહરૂપ દ્રવ્યમન ન હોય, તો જીવોને ઈષ્ટિઅનિષ્ટ વસ્તુના ચિન્તવનથી થતા મુખ પ્રસન્નતા-શરીરની દુર્બળતા વિગેરે, અનુગ્રહ-ઉપઘાત ઘટે નહિ. માટે દ્રવ્યમન પગલાત્મક છે. કદાચ એમ માનીએ કે એ અનુગ્રહ-ઉપઘાત ચિત્તની વસ્તુથી થતો હશે તો તે અયોગ્ય છે, કેમ કે જો એમ હોય તો પાણી, અગ્નિ, ભાત આદિનું ચિત્તવન કરતાં ભીંજાવું બળવું સુધાશાન્તિ વિગેરે થવું જોઇએ, પણ તેમ થતું નથી. હે પુત્ર ! ચિન્તા વડે આ તારું શરીર સુકાઇ ગયું છે, ઇત્યાદિ લોકોક્તિઅનુસાર એમ કહેવામાં આવે છે, અનુગ્રહ ઉપઘાત, ચિત્તારૂપી જ્ઞાનથી થાય છે, તે પણ અયોગ્ય છે. કારણ કે ચિન્તાજ્ઞાન અમૂર્ત છે, અને અમૂર્ત વસ્તુ આકાશની પેઠે અનુગ્રહ ઉપઘાત કરી શકે નહિ. એ વાત પ્રથમ જ કહી છે. “ચિન્તાથી તારું શરીર સુકાઈ ગયું છે” ઇત્યાદિ લોકોક્તિથી જે કહેવાય છે, તે તો કાર્યમાં કારણ શક્તિનો આરોપ કરીને કહેવાય છે, તેથી તે ઔપચારિક છે, વાસ્તવિક નથી.
હવે ખેદઆદિથી એ અનુગ્રહ ઉપઘાત થાય છે, એમ કહેવામાં આવે, તો તે ખેદઆદિ શું વસ્તુ છે ? શું એ મનોદ્રવ્ય છે? કે ચિન્તાદિ જ્ઞાન છે? જો ખેદઆદિ મનોદ્રવ્ય છે, એમ કહેવામાં આવે તો તે ઇષ્ટ છે. પણ ચિત્તેદિ જ્ઞાનરૂપ છે એમ કહેવામાં આવે તો તેનો ઉત્તર હમણાં જ કહ્યો છે કે જ્ઞાન અમૂર્તિ છે ને અમૂર્તને કર્તુત્વ ઘટે નહિ.
અનુગ્રહ-ઉપઘાત નિર્દેતુક થાય છે, એમ પણ ન કહેવું. કારણ કે –નિત્ય સતતં વાતોરચાનસાત્ ! સાતો દિ ભાવાનાં વિત્વસ્વસંમવ શ એ કથનાનુસાર, અન્ય હેતુની અપેક્ષા સિવાયની વસ્તુ નિત્ય વિદ્યમાન હોય અથવા અવિદ્યમાન હોય છે, કારણ કે અપેક્ષાથી પદાર્થોને કદાચિત્કપણું હોય છે. અર્થાત્ અનુગ્રહ-ઉપઘાત નિર્દેતુક(સ્વાભાવિક) થતા હોય, તો નિરન્તર તેઓનો અભાવ અથવા અભાવ જ હોય. કદાચ એમ કહેવામાં આવે, કે અનુગ્રહ-ઉપઘાતમાં જીવઆદિ કોઇક અન્ય હેતુ છે, તો તે પણ અયુક્ત છે, કારણ કે જીવઆદિ હેતુ સદા વિદ્યમાન હોવાથી, તેના કાર્યભૂત અનુગ્રહ-ઉપઘાત પણ સદા વિદ્યમાન રહેવા જોઈએ. પરન્તુ તે તેમ નથી રહેતા. આ પ્રમાણે બીજાં પણ સમાધાનો સ્વબુદ્ધિથી સમજી લેવાં. આ સર્વ વિવેચનથી તાત્પર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org