SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮] પ્રવચન-સૂત્ર-અર્થના વિશેષ અર્થે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ (१२९) एगट्टियाइं तिन्नि उ, पवयण सुत्तं तहेव अत्थो य । एक्केक्कस्स य एत्तो, नामा एगट्ठिया पंच ॥१३६६॥ પ્રવચન-સૂત્ર-તથા અર્થ એ ત્રણ એક અર્થવાળાં નામો છે, અને એ એકેકના પાંચ પાંચ એક અર્થવાળાં નામો છે. ૧૩૬૬. ભાષ્યકાર પ્રવચનશબ્દનો અર્થ કહે છે. जमिह पगयं पसत्थं, पहाणवयणं च पवयणं तं च । सामन्नं सुयनाणं, विसेसओ सुत्तमत्थो य ॥१३६७॥ જે પ્રકૃત-પ્રશસ્ત-અને પ્રધાન એવું વચન તેને અહીં પ્રવચન કર્યું છે. એ પ્રવચન સામાન્યથી શ્રુતજ્ઞાન છે, અને વિશેષથી સૂત્ર તથા અર્થરૂપ છે. '૧૩૬૭. સૂત્ર તથા અર્થ શબ્દનો અર્થ કહે છે. सिंचइ खरइ जमत्थं, तम्हा सुत्तं निरुत्तविहिणा वा। सूएइ सवइ सुव्वइ, सिव्वइ य सरए व जेणत्थं ॥१३६८॥ अविवरियं सुत्तं पिव, सुट्टिय-वावित्तओ सुवुत्तंति । जो सुत्ताभिप्पाओ, सो अत्थो अज्जए जम्हा ॥१३६९।। “અર્થ સિંચે એટલે ખરે તે વ્યુત્પત્તિ વડે સૂત્ર કહેવાય, અથવા નિરૂક્તિની વ્યુત્પત્તિથી અર્થોને જણાવે સૂવે તે સ્ત્ર, અથવા સંભળાય તે સૂત્ર, વિશિષ્ટ ઘટના પમાડાય તે સૂત્ર, અથવા અને અનુસરે તે સૂત્ર, તથા સુખની પેઠે જ્યાં સુધી અર્થથી વિવરણ ન કર્યું હોય ત્યાં સુધી તે સૂત્ર કહેવાય, અથવા સુસ્થિત (પ્રમાણથી અબાધિત) હોવાથી અને વ્યાપ્ત હોવાથી સૂત્ર કહેવાય. અને જે તે સૂત્રનો અભિપ્રાય તે અર્થ કહેવાય. કેમ કે જે જણાય તે અર્થ. ૧૩૬ ૮-૧૩૬૯. અહીં શિષ્ય પૂછે છે કે - सह पवयणेण जुत्ता, न सुयत्थेगत्थया परोप्परओ । जं सुत्तं वक्नेयं, अत्थो जं तस्स वक्खाणं ॥१३७०॥ जुज्जइ च विभागाओ, तिण्हवि भिन्नत्थया न चेयरहा । एगत्थाणं पि पुणो, किमिहेगत्थाभिहाणेहिं ? ॥१३७१॥ પ્રવચન સાથે સૂત્ર અને અર્થનું એકાર્થપણું યોગ્ય છે, પરંતુ સૂત્ર અને અર્થનું પરસ્પર એકાર્થપણું યોગ્ય નથી. કારણ કે સૂત્ર વ્યાખે છે અને તે અર્થ તેનું વ્યાખ્યાન છે (આવો અત્યંતભેદ છે.) અથવા પ્રવચન-સૂત્ર-અને અર્થ એ ત્રણેનાં વિષય ભિન્ન હોવાથી, ભિન્ન માનવા જ યોગ્ય છે. પણ અભિન્ન કે એકાર્થ માનવા યોગ્ય નથી. (કેમ કે પ્રવચનનો સામાન્ય વિષય છે, અને સૂત્ર-અર્થનો વિશેષ વિષય છે.) છતાં જો એ ત્રણે એક અર્થવાળાં હોય, તોપણ તે દરેકમાં એકાર્થિક પાંચ પાંચ નામો કહેવાથી શું ? ૧૩૭૦-૧૩૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy