________________
૩૮૦].
પ્રશસ્ત ભાવોપક્રમનાં દાંતો.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
તે સાંભળીને ગુરૂએ કહ્યું તેજ પ્રમાણે સર્વ કાર્ય કર્યું. ૯૩૨-૯૩૩-૯૩૪.
કાન્યકુબ્ધ નગરમાં (કનોજમાં) કોઈક રાજાએ કોઇ આચાર્ય સાથે વાતચીત કરતાં કહ્યું મહારાજ અમારા રાજપુત્રો વિનીત હોય છે, આચાર્યે કહ્યું-ના, સાધુઓ વિનીત હોય છે. આમ પરસ્પર વિવાદ થતાં આચાર્યે પુનઃ કહ્યું-રાજા વિવાદ કરવાથી શું? તમારા રાજપુત્રોમાંથી જે કોઈ ઉત્કૃષ્ટ વિનયવાન હોય તેની પરીક્ષા કરો, અને અમારા સાધુઓમાંથી જે તમને અવિનીત જણાય તેની પરીક્ષા કરો,એટલે જણાશે કે બન્નેમાં કોણ વિનીત છે અને કોણ અવિનીત છે. આચાર્ય મહારાજનું એ કથન અંગીકાર કરીને પોતાનો જે પુત્ર વિનયગુણથી ઘણોજ પ્રસિદ્ધ હતો તેને આજ્ઞા કરીને કહ્યું- રાજકુમાર ! ગંગા કયાં મુખે વહે છે, તે શોધી લાવ. રાજાની આવી આજ્ઞા સાંભળીને કુમારે કહ્યું મહારાજ ! એમાં શું શોધવાનું છે ? નાના બાળકો પણ જાણે છે કે ગંગા પૂર્વાભિમુખે વહે છે. આથી રાજાએ ગુસ્સે થઇને કહ્યું-અરે ! ખાલી અહીં રહીને જ વિતંડાવાદ શા માટે કરે છે ? ત્યાં જઈ તપાસ કરી, આવીને કહે.
એ પ્રમાણે રાજાએ કહેવાથી કુમારને ઘણો ગુસ્સો ચડ્યો. પણ તે અન્તરમાં સમાવી ઇચ્છા વિના રાજકારમાંથી બહાર નીકળ્યો. મુખ્યદ્વારમાંથી નીકળતાં તેના કોઈ મિત્રે પૂછયું-“ભાઈ ! કયાં જાઓ છો.?' કુમારે અસૂયાથી કહ્યું- “અરણ્યમાં રોઝને મીઠું આપવા' આથી આશ્ચર્ય પામી મિત્રે કહ્યું કે એમ કેમ કહો છો ? સત્ય વાત શું છે? તે જો ગુપ્ત રાખવા યોગ્ય ન હોય તો જણાવો.” મિત્રના કહેવાથી રાજકુમારે રાજાની સર્વ આજ્ઞા જણાવી, આથી મિત્રે હસીને કહ્યું “અરે કુમાર ! રાજાને એવો કદાગ્રહ થયો, તો શું તમને પણ એવો કદાગ્રહ છે, કે જેથી નકામા રખડવા જાઓ છો, થોડો કાળ અતિક્રમીને રાજા પાસે જઈને કહો કે ગંગા પૂર્વ તરફ વહે છે. રાજપુત્રે પણ તેમજ કર્યું. આ બાબતની ગુપ્તચરપુરૂષે રાજાને ખબર આપી, એટલે રાજા વિલખો થઈ બોલ્યો. ઠીક હવે સાધુની પરીક્ષા કરીએ.' - આચાર્યના શિષ્યોમાંથી જે શિષ્ય રાજાને અવિનીત જણાયો, તેને ગુરૂએ આજ્ઞા કરી કે હે ભદ્ર ! જઈને તપાસ કર કે ગંગા કઈ તરફ વહે છે. ગુરૂની આજ્ઞા સાંભળીને શિષ્ય વિચાર્યું કે ગંગા પૂર્વ તરફ વહે છે એવું ગુરૂ મહારાજ જાણે છે, છતાં શા માટે મને તપાસ કરવાનું કહેતા હશે, અવશ્ય એવી આજ્ઞા કરવાનું કંઈક કારણ હશે. કારણ સિવાય એવી આજ્ઞા કરે નહિ. માટે મારી ફરજ છે, મારે ગુરૂની આજ્ઞાનુસાર ગંગા કઈ તરફ વહે છે એ બરાબર તપાસીને કહેવું. એમ વિચારી ગુરૂની આજ્ઞા સ્વીકારીને તરત જ બહાર નીકળ્યો. બહાર જઈને ગંગા નદી પર ગયો, ત્યાં જોયું કે ગંગા પૂર્વ તરફ વહે છે. બીજાઓને પૂછતાં પણ જણાયું કે તે પૂર્વ તરફ વહે છે, પુનઃ શુષ્કતૃણ આદિને પ્રવાહમાં વહેતાં જોયાં, એમ અન્વય-વ્યતિરેકથી પ્રવાહનો નિશ્ચય કરી, ગુરૂ પાસે આવી, કહ્યું “મહારાજ ! ગંગા પૂર્વ તરફ વહે છે, ને મેં તેની સત્યતા માટે આ પ્રમાણે કર્યું તત્ત્વ તો ગુરુઓ જાણે ઈત્યાદિ સર્વ બીના કહી. ગુપ્તચરે પણ ખાનગીમાં એજ હકીકત કહી અને એટલે રાજાને ગુરૂ વચનમાં પ્રતીતિ થઈ કે રાજપુત્રો વિનીત નથી પણ સાધુઓ જ વિનીત છે, એમ રાજાએ હર્ષ પૂર્વક ગુરૂ વચન અંગીકાર કર્યું. ૯૩ર-૯૩૩-૯૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org