________________
૧૮૬ ]
સાંતર નિરંતર નિસર્ગ વિચાર.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
તેનો ત્યાગ પણ અંતર રહિત દરેક સમયે થવો યોગ્ય છે; કેમ કે ગ્રહણ કરેલાનો બીજા સમયે અવશ્ય ત્યાગ થવો જોઈએ.
પ્રશ્ન :- પક્ષવણામાં તે જ સ્થળે ત્યાગ કરવાનું પણ અંતર સહિત કહ્યું છે, તેનું શું ? ૩૬૮.
ઉત્તર :- એમાં વિષયનો વિભાગ કરીને સમજવાનું છે. ત્યાં અંતર સહિત ત્યાગ કરવાનું કહ્યું છે, તે ભાષાદ્રવ્ય ગ્રહણ કરવાની અપેક્ષાએ કહ્યું છે. કેમકે પ્રથમાદિ સમયે જે ભાષાદ્રવ્ય ગ્રહણ કરેલ હોય, તે દ્રવ્ય તે જ સમયે ન નીકળે, પરંતુ ગ્રહણના સમય પછી બીજા સમયે નીકળે છે. એટલે કે પહેલા સમયે ગ્રહણ કરેલ ભાષાદ્રવ્ય, પહેલા સમયે ન નીકળે, પણ બીજા સમયે નીકળે છે. એ જ પ્રમાણે બીજા સમયે ગ્રહણ કરેલા ત્રીજા સમયે, ત્રીજા સમયે ગ્રહણ કરેલા ચોથાસમયે, ચોથાસમયે ગ્રહણ કરેલા પાંચમાંસમયે નીકળે. આ પ્રમાણે ગ્રહણ-કરવાની અપેક્ષાએ ત્યાગ કરવો તે અંતર સહિત છે, કેમ કે ગ્રહણ કર્યા સિવાય ત્યાગ થાય નહિ, પરંતુ સમયની અપેક્ષાએ તો નિરંતર થાય. બીજાસમયથી માંડીને સર્વ સમયોમાં ત્યાગ હોય છે જ. ૩૬૯.
પ્રશ્ન :- જો એમ હોય તો ગ્રહણ પણ ત્યાગની અપેક્ષાએ અંતર સહિત જ હોવું જોઈએ .
ઉત્તર :- ના, ગ્રહણ સ્વતંત્ર છે અને ત્યાગ તો ગ્રહણને પરતંત્ર છે. કારણ કે “ગ્રહણ કર્યા સિવાય કદી પણ ત્યાગ થતો નથી” એવો નિયમ હોવાથી પ્રજ્ઞાપનાસૂત્રમાં ત્યાગ સાંતર કહ્યો છે, એટલે કે ગ્રહણ કર્યા પછી ત્યાગ થાય છે. પણ “ત્યાગ કર્યા સિવાય ગ્રહણ ન થાય” એવો નિયમ નથી. કેમકે પ્રથમ સમયે ત્યાગ સિવાય પણ ગ્રહણ થાય છે. આથી ત્યાગ પરાધીન છે. અને ગ્રહણ સ્વાધીન છે, તેથી ત્યાગ અંતર સહિત કહ્યો છે. આ પ્રમાણે “અંતર નિસિ” અન્તર સહિત નીકળે છે, એ સૂત્રવયવની વિષયવિભાગ-વડે વ્યવસ્થા છે.
હવે તો નિસ્તર નિસર” “નિરંતર ન નીકળે” એ સૂત્રાવયવની વિષયવિભાગવડે વ્યવસ્થા કહીએ. નિરંતર ન નીકળે એટલે નિરંતર ત્યાગ થાય નહિ, તેમ ગ્રહણની સાથે જ ત્યાગ એમ યુગપત્ પણ થાય નહિ; પરંતુ પૂર્વ સમયે ગ્રહણ અને ઉત્તર સમયે ત્યાગ એમ થાય છે. તથા પોળ સમયેળ શિs, ોળ નિસિફ્ “એક સમયે ગ્રહણ કરે છે. અને એક સમયે ત્યાગ કરે છે.” આ સૂત્રાવયવનો ભાવાર્થ પણ ઉ૫૨ મુજબ સમજી લેવો. એટલે કે પ્રથમ એક સમયે ગ્રહણ જ કરે છે, ત્યાગ નથી કરતો, બીજા સમયથી આરંભીને ત્યાગની પ્રવૃત્તિ થાય છે, અને છેલ્લા સમયે કેવળ ત્યાગ કરે છે, ગ્રહણ નથી કરતો, કેમકે ભાષાનો અભિપ્રાય પછી શાન્ત થયેલો હોય છે. આ પ્રમાણે એ સૂત્રના વિષયવિભાગની વ્યવસ્થા વડે પહેલા સમયે કેવળ ગ્રહણ, છેલ્લા સમયે કેવળ ત્યાગ, અને વચલા સમયોમાં ગ્રહણ તથા ત્યાગ બન્ને થાય છે. ૩૭૦.
ભાષાદ્રવ્યનું ગ્રહણ, ગ્રહણ કરેલાનો ત્યાગ, અને ભાષા એ ત્રણેનો ભિન્ન ભિન્ન જઘન્યથી એક સમયનો કાળ છે; પરંતુ ગ્રહણ અને ત્યાગ એ ઉભયનો ઉપરોક્ત દેખાડેલ ન્યાયે ગ્રહણ કર્યા પછી બીજા સમયે ત્યાગ કરીને મરનારને-અથવા વચન વ્યાપારથી ઉ૫૨મ થયેલાને જઘન્યથી બે સમયનો કાળ છે.
બોલાય તે જ ભાષા, એ વાસ્તવમાં ભાષાદ્રવ્યનો ત્યાગ છે. તેનો કાળ જઘન્યથી એક સમયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org