________________
ભાષાંતર)
સાંતર નિરંતર નિસર્ગ વિચાર.
[૧૮૫
गहणं मोक्खो भासा, समयं गहनिसिरणं च दो समया । होंति जहण्णंतरओ, तं तरस बितीयसमयम्मि ॥३७१।। गहणं मोक्खो भासा, गहण-विसंग्गा य होंति उक्कोसं ।
अंतोमुहुत्तमेत्तं, पयत्तभेएण भेयो सिं ॥३७२।। ગાથાર્થ :- જેમ એક ગામથી બીજાં ગામ ગ્રામાન્તર કહેવાય છે, તેમ એક સમયથી બીજો સમય તે સમયાન્તર કહેવાય છે. કેટલાક ગ્રહણ અને નિસર્ગ એકાંતર સમયે માને છે. પણ એ માન્યતાથી તેમને વિચ્છિન્ન આવલિરૂપ ધ્વનિ પ્રાપ્ત થાય છે અને શ્રુત વિરોધ પણ થાય. સૂત્રમાં નિસર્ગ અવશ્ય સાન્તરિત કહ્યો છે પણ નિરંતર નથી કહ્યો, કેમકે એક સમયે ગ્રહણ કરે અને એક સમયે મૂકે છે. નિરંતર દરેક સમયે ગ્રહણ કહ્યું છે, તેથી ત્યાગ પણ નિરંતર જ યોગ્ય છે; પરંતુ તે સાંતર કેમ કહ્યો છે ? ગ્રહણની અપેક્ષાએ ત્યાગ સાંતર કહ્યો છે, જેમાં પ્રથમ સમયે ગ્રહણ કરેલા પ્રથમ સમયે ન નીકળે તેમ જે સમયે જે ગ્રહણ કર્યા હોય તે તેજ સમયે ન નીકળે. કેમકે નહી ગ્રહણ કરેલાનો ત્યાગ થતો નથી અને ત્યાગ, ગ્રહણાંતરિત હોવાથી સાંતર છે, નિરંતર નથી, તેમજ સાથે નથી - યુગપ નથી એ એના પર્યાયો છે. ગ્રહણ-ત્યાગ-અને ભાષા એ દરેકનો જઘન્યથી એક સમય પ્રમાણકાળ છે, તથા ગ્રહણ અને ત્યાગનો-બે સમયનો કાળ છે. તેમજ ગ્રહણ-ત્યાગઅને ભાષા એ દરેકનો તથા ગ્રહણ અને ત્યાગ એ ઉભયનો ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત માત્ર કાળ છે. એમનો પ્રયત્નના ભેદે ભેદ છે. ૩૬૫-૩૭૨.
જેમ એક ગામથી બીજાં ગામ અત્તર રહિત છતાં ગ્રામાન્તર કહેવાય છે અથવા એક પુરૂષથી બીજો પુરૂષ પણ અંતર રહિત છતાં પુરૂષાન્તર કહેવાય છે, તેમ અહિં પણ એક સમય પછીનો બીજો સમય અંતર રહિત છતાં એકાંતર સમય કહેવાય છે. એ એકાંતર સમયે એટલે દરેક સમયે ભાષા પુદ્ગલોને ગ્રહણ કરે છે અને મૂકે છે. ૩૬પ.
કેટલાક વ્યાખ્યાતાઓ એર્કક સમયના અંતરે ગ્રહણ અને નિસર્ગ માને છે, તેઓની એ માન્યતા અયોગ્ય છે, કારણ કે એથી તો અંતરે અંતરે છુટી પડેલી રત્નાવલી પેઠે શબ્દ અને તેનું શ્રવણ પ્રાપ્ત થાય. વળી અંતરે અંતરે ગ્રહણ કરવાના સમયમાં સર્વને સંભળાય નહિ. તેમજ “ઉUR मविरहियं નિરંતરે દિ' દરેક સમયે અવિરહિત; નિરંતર ગ્રહણ કરે છે, એમ ન માનવાથી આગમ વિરોધ પણ થાય. કેમકે એ સૂત્ર દરેક સમયે ગ્રહણ કરવાનું પ્રતિપાદન કરે છે, દરેક સમયે નિસર્ગ પણ તે સૂત્રથી જ સમજી લેવું. ગ્રહણ કરેલ હોય તેનો બીજા સમયે અવશ્ય નિસર્ગ થાય છે જ. ૩૬૬ .
પ્રશ્ન - મહારાજ ! પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે કે “સંતરું નિસિરૂ, નો નિરંતર નિસિર; જે સમયે પણ, i નિસરણ” એટલે સાંતર મૂકે છે, નિરંતર મૂકતો નથી, એક સમયે ગ્રહણ કરે છે, અને એક સમયે મૂકે છે. આ સૂત્રથી અંતર સહિત મૂકવાનું આગમમાં કહ્યું છે તેનું કેમ ? ૩૬૭.
ઉત્તર :- ૩, સમર્થ ઇત્યાદિ પ્રથમ સૂત્રથી દરેક સમયે ગ્રહણ કરવાનું કહ્યું છે, તેથી
2
ts
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org