________________
૫૦૪]
વચન અનનુયોગનું ઉદાહરણ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
બેટા ! તેતો રાજસેવા કરીને આપણો નિર્વાહ કરતા હતા. પુત્રે કહ્યું, ‘તો હું પણ રાજસેવા કરીને આપણો નિર્વાહ ચલાવીશ.' માતાએ કહ્યું “બેટા ! રાજસેવા બહુ દુષ્કર છે, ઘણા વિનયથી તે કરવી પડે છે.” પુત્રે કહ્યું “કેવી રીતે એ વિનય કરવો, તે તું જાણે છે ?' માતાએ કહ્યું – “જો સાંભળ ! જે કોઈ મળે, તે સર્વને જોઈને પ્રણામ કરવા, સર્વની સાથે નમ્રતાથી વર્તવું. સર્વની ઈચ્છાને અનુસરીને વર્તવું, ઈત્યાદિ ઘણા પ્રકારે એમાં સાવધાન રહેવું જોઈએ.’ એ સાંભળીને પુત્ર કહ્યું, “માતા ! હું એ પ્રમાણે વર્તીશ, મને જવાની રજા આપ.” પછી માતાની આજ્ઞા લઈને તે રાજધાની તરફ ચાલ્યો.
માર્ગમાં જતાં જંગલની અંદર વૃક્ષના મૂળમાં બેઠેલા હરિણો પર ધનુષ્યબાણ તાકીને છુપાઈ રહેલા શિકારી લોકોને જોયા, એટલે તેણે તે શિકારિઓને મોટા અવાજથી પ્રણામ કર્યો. તેથી ત્યાં ઉભેલા હરિણી ભય પામીને એકદમ ભાગી ગયા. આથી ક્રોધાયમાન થયેલા તે શિકારીઓએ તેને બાંધીને ખૂબ માર્યો. આથી તેણે કહ્યું, “અરે ભાઈ સાહેબ ! મેં તમારું શું બગાડ્યું છે ? મારી માતાએ મને શીખવ્યું છે કે જે કોઈ મળે તેને પ્રણામ કરવા, તેથી મેં તમને સર્વને પ્રણામ કર્યા, એમાં મેં તમારો શો ગુન્હો કર્યો ?' આમ કહેવાથી શિકારીઓએ જાણ્યું કે “બિચારો ભોળો છે.” તેથી તેને છોડી મૂક્યો, અને કહ્યું કે “જયારે અમારી પેઠે કોઈ ગુપચુપ છુપાઈ બેઠા હોય, ત્યારે કંઈ પણ બોલ્યા વિના છાનામાના આવવું.” એ ગામડીઓ તેઓની તે શીખામણ અંગીકાર કરીને આગળ ચાલ્યો.
આગળ જતાં કોઈ ગામની નજીકમાં તેણે ધોબીલોકોને લુગડાં ધોતાં જોયા. તે ધોબીના લુગડાં દરરોજ ચોર લોકો લઈ જતા હતા તેથી તે લોકો ત્યાં આગળ હાથમાં લાકડીઓ લઈને ચોરની રાહ જોતા છુપાઈને બેઠા હતા. તેમને તે પ્રમાણે છુપાઈને બેઠેલા જાણીને તે ગામડીઓ છાનોમાનો કંઈ બોલ્યા વિના શરીર નમાવીને ધીમે ધીમે ત્યાં આવ્યો, એટલે ધોબી લોકોએ તેને જ ચોર જાણીને ખુબ મારીને બાંધ્યો, જ્યારે ગામડીઆએ સત્ય હકીકત કહી ત્યારે તેઓએ તેને છોડ્યો અને કહ્યું કે “જયારે અમારી માફક કોઈ લોકો એકઠા થયા હોય, ત્યારે ઉસ-ખારો અહીં ઘણો પડશે, અને શુદ્ધ થાઓ એમ કહેવું.” તેઓની આ શિક્ષા અંગીકાર કરીને તે ગામડીઓ આગળ ચાલ્યો, તે ગામમાંથી ઘણા મંગળપૂર્વક શુભમુહૂર્તમાં પ્રથમ હળ જોડવાની ક્રિયા કરવા નીકળતા લોકોને જોયા, એટલે ધોબીઓના કહેવા મુજબ તેણે કહ્યું કે “અહીં ઉસ-ખારો ઘણો પડો અને બધું સાફ થાઓ.” તેનું આવું અપશુકન ભરેલું બોલવું સાંભળીને ખેડૂતોએ તેને પકડીને ઘણો જ માર માર્યો, જ્યારે તેણે ખરી હકીકત કહી ત્યારે તેને છોડ્યો અને કહ્યું કે જ્યાં આવું તું દેખે, ત્યાં એમ કહેવું કે
આવી ગાડીઓ ભરાઓ, ઘણું જ આવું થાઓ. નિરંતર આવું જ થાઓ.” ખેડૂતોની શિખામણ ધ્યાનમાં રાખીને તે આગળ ચાલ્યો. - ત્યાં કોઈ મરી ગયેલા માણસના શબને લોકો સ્મશાનમાં લઈ જતા હતા, તે લોકોને તેણે જોયા, તેથી ખેડૂતોના કહેવા મુજબ તે મૂર્માએ કહ્યું કે “આવી ગાડીઓ ભરાઓ ને આવું ઘણું જ થાઓ' એટલે તે લોકોએ પણ તેને માર મારીને બાંધ્યો. પૂછતાં જયારે સત્ય બીના કહી ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org