________________
ભાષાંતર)
વચન અનનુયોગનું ઉદાહરણ.
[૫૦૩
કરવા લાગી, તેના તે અવાજથી ઉદ્વેગ પામેલા મુનિએ કહ્યું – “અરે બાઈ ! શું અત્યારે છાશ વેચવાનો તારે વખત છે? આથી તે ગોવાલણીએ કહ્યું કે “મહારાજ ! ત્યારે શું તમારે પણ અત્યારે આ કાલિકસુત્રના સ્વાધ્યાયનો વખત છે ?' તેના તે વચનથી વિસ્મય પામેલા સાધુએ ઉપયોગ દઈને પોતે અકાળે પુનરાવર્તન કર્યું જાણી, તે માટે મિથ્યાદુષ્કત આપ્યું. પછી તે દેવતાએ પ્રગટ થઈને કહ્યું કે “મહારાજ ! અકાળે સ્વાધ્યાય કરવાથી મિથ્યાષ્ટિ દેવો છળ કરે છે, માટે હવે ફરી આમ અકાળે સ્વાધ્યાય ન કરશો.’ એમ સાધુને શિખામણ આપીને દેવ અન્તર્ધાન થઈ ગયો.
અહીં અકાળે સ્વાધ્યાય કરવાથી કાળનો અનનુયોગ થાય, અને યોગ્યકાળે સ્વાધ્યાય કરવાથી કાળનો અનુયોગ થાય. પ્રસ્તુતમાં પણ કાળના ધર્મોની વિપરીત વ્યાખ્યા કરવાથી અનનુયોગ થાય અને અવિપરીત વ્યાખ્યા કરવાથી અનુયોગ થાય છે.
હવે વચન સંબંધી અનુયોગ અને અનનુયોગનાં બે દષ્ટાંતો છે, તેમાં પ્રથમ બહેરાના કુટુંબનું દાંત કહે છે -
કોઈએક ગામમાં એક ડોસા-ડોસી, તેનો પુત્ર અને પુત્રની વધૂ આ ચાર માણસનું કુટુંબ રહેતું હતું. તે આખું કુટુંબ બહેરું હતું, એક દિવસે એ વૃદ્ધનો પુત્ર ક્ષેત્રમાં હળ ચલાવતો હતો, તેવામાં કોઈ મુસાફરોએ તેને માર્ગ બાબત પૂછયું, એટલે તેણે કહ્યું કે “આ બળદ મારા પોતાના છે, બીજા કોઈના નથી.” જે પૂછયું હતું, તેનો ઉત્તર ન આપતાં આમ ભળતો જ ઉત્તર મળવાથી મુસાફરોએ જાણ્યું કે આ બહેરો છે, તેથી તેઓ બીજું કઈ ન પૂછતાં પોતાના માર્ગે ચાલ્યા ગયા. તે પછી તેની વહુ ઘેરથી ખાવાનું ભાથું લઈને આવી, એટલે ખાતાં ખાતાં તેણે પોતાની સ્ત્રીને કહ્યું કે હમણાં અહીંથી જતા મુસાફરોએ કહ્યું કે “આ બળદો બહુ સારા શીંગડાવાળા છે.” અર્થાત્ મુસાફરોની ધારણા બળદોને ઉપાડી જવાની હતી, આના ઉત્તરમાં તેની ભાર્યાએ કહ્યું કે “શાક ખારું હોય, કે મોળું હોય, હું કંઈ જાણતી નથી, કેમકે એ તમારી માતાએ કર્યું છે.' ત્યાર પછી ત્યાંથી તેની સ્ત્રી ઘેર ગઈ અને પોતાની વૃદ્ધ સાસુ સુતર કાંતતી હતી, તેને કહ્યું કે “આજે તો શાક ખારું થયું છે, એમ તમારા પુત્ર કહેતા હતા.” આના ઉત્તરમાં સુતર કાંતતી ડોસીએ ક્રોધથી કહ્યું કે - “સુતર ઝીણું થાઓ કે જાડું થાઓ, ગમે તેવું થાઓ, પણ ડોસાને તો તેનું વસ્ત્ર થશે.” થોડીવાર પછી ડોસો જે બહારે તલની રક્ષા કરતો હતો તે ઘેર આવ્યો, એટલે ક્રોધાયમાન થયેલ વૃદ્ધાએ ડોસાને કહ્યું કે “આજ કાલની આવેલી વહુ મને કહે છે કે સુતર જાડું કંતાય છે, એ મને કહેનાર કોણ ?' આના જવાબમાં ડોસાએ કહ્યું કે મેં તલનો એક દાણો પણ નથી ખાધો, તારા સોગન, હું સત્ય કહું છું કે મેં તલનો એક દાણો પણ નથી ખાધો.”
આ રીતે એક પ્રકારે કહ્યું હોય, તે બીજા પ્રકારે સાંભળે, અને તેવી જ રીતે બીજાને પ્રરૂપે, તે વચનનો અનનુયોગ કહેવાય, અને જેવું સાંભળ્યું હોય, તેવું જ સ્વરૂપે તો તે વચનનો અનુયોગ કહેવાય. વચનાનુયોગને પ્રધાને જણાવવાને અર્થે આ સંબંધમાં બીજું એક ગામડીઆનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે -
કોઈ એક ગામમાં કોઈ સ્ત્રીનો પતિ મરણ પામ્યો, તેથી તે સ્ત્રી ત્યાં મહામુશીબતે પણ નિર્વાહ ન થવાથી પોતાના નાના પુત્રને લઈને બીજે ગામ ગઈ, ત્યાં તે પુત્ર અનુક્રમે મોટો થયો એટલે તેણે તેની માતાને પૂછ્યું કે મારા પિતા આપણો નિર્વાહ કેવી રીતે કરતા હતા ? માતાએ કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org