SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮] અવધિનાં ફડકોનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ પ્રકારે છે; પુનઃ તે દરેક પ્રતિપાતી, અપ્રતિપાતી અને મિશ્ર એમ ત્રણ ત્રણ પ્રકારે મનુષ્યતિર્યંચમાં હોય છે. ૭૩૮-૭૩૯. જેમ ઓરડાદિના જાળીઆમાંથી અન્તરિત દીપકનો પ્રકાશ નીકળે, તેમ અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય એવા અવધિજ્ઞાનનું નીકળવું તે ફડ઼કો કહેવાય છે. તે ફકો એક જીવને સંખ્યાતા અથવા અસંખ્યાતા પણ હોય છે. એમાંના એક ફડુંકે જીવ ઉપયોગવાનું હોય, તો નિશ્ચય સર્વફડ઼કોએ પણ ઉપયોગવાનું હોય. કારણ કે જેમ એક ચક્ષુએ ઉપયોગ થયે, બન્ને ચક્ષુથી ઉપયોગ થાય છે. તેમ જીવ પણ એક ઉપયોગવાનું હોવાથી એક ફડુકના ઉપયોગ વખતે સર્વહકોએ ઉપયોગવાનું થાય છે. " એ ફકો ત્રણ પ્રકારના હોય છે, અનુગામી-અનનુગામી અને એ ઉભયસ્વરૂપવાળા મિશ્ર. તેમાં જે દેશમાં રહેલા અવધિજ્ઞાનવાળા જીવને ફરૂકો ઉત્પન્ન થયેલા હોય, તે ફડ઼કો તે દેશથી અન્ય સ્થળે જતાં સાથે જાય, તો તે અનુગામી ફર્કો કહેવાય, એથી વિપરીત સાથે ન જાય તે અનનુગામી, અને તેમાંથી કેટલાક સાથે જાય અને કેટલાક સાથે ન જાય તે મિશ્ર ફડ઼કો કહેવાય. પુનઃ એ ત્રણે પ્રકારના ફરૂકો પ્રતિપાતિ, અપ્રતિપાતી અને ઉભય સ્વભાવવાળા મિશ્ર હોય છે. જે કેટલોક કાળ રહીને પછી નાશ પામે તે પ્રતિપાતી, તેથી વિપરીત-મરણપર્યંત રહે તે અપ્રતિપાતી, અને એ ઉભયસ્વભાવવાળા હોય તે મિશ્ર. આવા પ્રકારના ફડકો મનુષ્ય-તિર્યંચને જે અવધિજ્ઞાન હોય તેમાં હોય છે, દેવ-નારકીના અવધિમાં હોતા નથી. પ્રશ્ન:- અહીં તીવ્ર-મંદ દ્વારા કહેવાના અવસરે અવધિજ્ઞાનનાં ફડકોનું સ્વરૂપ પ્રતિપાદન કરીને પ્રસ્તાવ વિરૂદ્ધ વ્યાખ્યાન કેમ કરો છો ? ઉત્તરઃ- અનુગામી અને અપ્રતિપાતી ફડુકો ઘણું કરીને અતિવિશુદ્ધિયુક્ત હોવાથી તીવ્ર કહેવાય છે; તથા અનનુગામી અને પ્રતિપાતી ફડકો અશુદ્ધ હોવાથી મંદ કહેવાય છે; અને મિશ્ર ફરુકો મધ્યમ કહેવાય છે. તેથી ફડકોનું સ્વરૂપ કહેવાથી તીવ્ર મંદ દ્વાર પણ અર્થથી કહ્યું સમજવું. પ્રશ્ન :- અનુગામી અને અપ્રતિપાતી ફડકોમાં તથા અનનુગામી અને પ્રતિપાતી ફર્ડકોમાં પરસ્પર શો તફાવત છે ? ઉત્તર :- અપ્રતિપાતી ફકો અનુગામી જ હોય છે, પણ અનનુગામી નથી હોતા. અનુગામી ફડકો તો પ્રતિપાતી અને અપ્રતિપાતી ઉભય પ્રકારના હોય છે, એટલો એમાં તફાવત છે. તથા પ્રતિપાતી ફક અવશ્ય પડી જાય છે, અને પડી ગયા પછી અન્ય સ્થળે ગયેલાને પુનઃ કદાચિત્ ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે અનનુગામી ફફકોમાં નથી થતું. ૭૩૮-૭૩૯. ઉપર મુજબ નિર્યુક્તિકારે કહેલ અર્થ ભાષ્યકાર મહારાજ સવિસ્તાર કહે છે. जालंतरत्थदीवप्पहोवमो फड्डयावही होइ । तिव्वो विमलो मंदो, मलीमसो मीसरूवो य ।।७४०॥ ઓરડાના જાળીયામાંથી અન્તરિત રહેલ દીપકની પ્રજાના નિર્ગમની સમાન ફડકાવધિ હોય છે, તેમાં વિશુદ્ધ ક્ષયોપશમ જન્ય ફડકથી થયેલ અવધિજ્ઞાન નિર્મળ હોવાથી તીવ્ર કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy