________________
૬૪૦]
ચાર પ્રકારની બુદ્ધિનાં દષ્ટાંતો.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
પારિણામિક બુદ્ધિ
એક રાજાને યુવાનમંત્રીઓએ કહ્યું : સ્વામી, આ ઘરડા મંત્રીઓને કાઢીને નવા મંત્રીઓને જ રાખો. રાજાએ કહ્યું. ભાઈ, ઘરડા ગાડા વાળે. યુવાનો ન માન્યા રાજાએ એક પ્રશ્ન કર્યો : જે પોતાના પગથી મારા માથા પર પ્રહાર કરે, મને મારે, એને શો દંડ આપવો જોઇએ ?
યુવાનોએ તરત જ જવાબ આપ્યો : એના તલતલ જેવડા ટુકડા કરી નાંખવા જોઇએ. રાજાએ વૃદ્ધમંત્રીઓને આ પ્રશ્ન કર્યો : એમણે એકાંતમાં જઈને વિચાર્યું. આપણો રાજા તો સર્વાધિક બળી છે. એમને મારવાની વળી કોનામાં તાકાત હોય? માટે આ પ્રશ્ન રહસ્યવાળો છે રાજાને મારવાની તાકાત એમના નાના બાળ પાસે જ હોઇ શકે, એથી જવાબ વાળ્યો કે એનું તો વિશેષ સન્માન કરવું જોઇએ.
યુવાનો ઉશ્કેરાયા. વૃદ્ધોએ વિગતથી વાત કહી, ત્યારે એમના માં શરમથી નીચા થઈ ગયા. આનું નામ પારિણામિક બુદ્ધિ.
આ ચારે પ્રકારની બુદ્ધિનાં વિશેષ દૃષ્ટાંતો નંદિસૂત્રથી જાણી લેવાં.
IIMa
સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org