________________
૪૫૦]
નદીપાષાણ અને કીડીનું દાંત.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧
થોડી કહી છે. પણ તમે તો એથી વિપરીત કહો છો, તેનું કેમ ?
ઉત્તર:- એકાંત એવો નિયમ નથી, કે અવિરત અસંયત મિથ્યાદષ્ટિને ઘણાં કર્મનો બંધ અને અલ્પ કર્મનીજ નિર્જરા થાય. જો એકાન્ત એવો જ નિયમ હોય, તો બહુમુક્ષ્મ જીવોને કદિપણ સમ્યક્ત્વનો લાભ ન થાય, અને સમ્યગ્દષ્ટિ જીવોને સમકિત પામ્યા પહેલાં ઘણાં કર્મનો ક્ષય થવાથી સમકિત પ્રાપ્ત થયેલું પ્રત્યક્ષ જણાય છે. વળી જો સર્વદા ઘણા કર્મનો બંધ થાય એમજ માનીએ, તો કાળક્રમે સર્વ પુદ્ગલરાશિને પણ કર્મપણે ગ્રહણ કરવાનો પ્રસંગ આવે. અને કોઈપણ પુદ્ગલ બાકી રહે નહિ, પરંતુ એમ થતું નથી, કેમકે સ્તંભ-કુંભ-અશ્વ-પૃથ્વી-શરીર-વૃક્ષ-પર્વત-નદી-સમુદ્ર આદિ ભાવે પરિણામ પામેલા યુગલો હમેશાં જણાય છે. અને કર્મબંધ પણ વર્તમાનઆદિમાં જણાય છે. માટે આ બંધ અને નિર્જરાના સંબંધમાં ત્રણ ભાંગા સમજવા. પ્રથમ કોઈકને ઉત્કૃષ્ટ બંધ હેતુથી, અને પૂર્વબદ્ધ કર્મક્ષયના હેતુની ન્યૂનતાથી કર્મ બંધ વધારે થાય છે, કોઈકને કર્મ બંધના હેતુની અને કર્મક્ષયના હેતુની સમાનતાથી કર્મનો બંધ અને નિર્જરા સમાન થાય છે. તથા કોઈને બંધ હેતુની ન્યૂનતાથી અને ક્ષયના હેતુની ઉત્કૃષ્ટતાથી કર્મબંધ થોડો થાય છે અને નિર્જરા વધારે થાય છે. આ ત્રણ ભાંગામાંથી ત્રીજા ભાંગામાં જયારે કોઈ મિથ્યાદષ્ટિ વર્તતો હોય, ત્યારે તેને ગ્રંથિદેશ પ્રાપ્ત થાય છે. ૧૨૦૫-૧૨૦૬.
અનાભોગપણે એટલા બધા કર્મનો ક્ષય કેવી રીતે થાય? તે જણાવવા પર્વતની નદીના પાષાણનું બીજાં દૃષ્ટાંત કહે છે.
गिरिनइ-वत्तणिपत्थरघडणोवम्मेण पढमकरणेणं ।
जा गंठी कम्मट्टिई, खवणमणाभोगओ तस्स ॥१२०७॥ પર્વતની નદીના માર્ગમાં પડેલા પત્થરોના ઘાટના જેવી ઉપમાવાળા, પ્રથમકરણવડે જીવને અનાભોગથી કર્મ સ્થિતિનો ક્ષય થવાથી ગ્રંથિપ્રદેશ પ્રાપ્ત થાય છે.
જેમ પર્વતની નદીના માર્ગમાંના પત્થરો અનાભોગથી એટલે “અમે આવી આકૃતિવાળા થઈએ” એવી ઈચ્છા વિના તે. પાણીના પ્રવાહથી ઘસાઈને અથવા પરસ્પર અથડાઈને એ પત્થરો ગોળ-ત્રિકોણ-ચતુષ્કોણ-લાંબા-ટૂંકા વિગેરે અનેક આકારવાળા થઈ જાય છે, તેમ અહીં પણ કોઈક રીતે અનાભોગપણે યથાપ્રવૃત્તિકરણથી જીવ કર્મ ખપાવીને ગ્રંથિદેશ પ્રાપ્ત કરે છે. ૧૨૦૭. કીડિઓનું દૃષ્ટાન્ત કહે છે.
ख्रितिसाभावियगमणं, थाणूसरणं तओ समुप्पयणं । થાઇ થાણુરિસરે વા, મોટર વા મુરંગા રર૦૮ खिइगमणं पिव पढम, थाणूसरणं व करणमप्पुबं । उप्पयणं पिव तत्तो, जीवाणं करणमनियढेिं ॥१२०९॥ थाणु व गंठिदेसे, गंठियसत्तस्स तत्थवत्थाणं । ओयरणं पिव तत्तो, पुणोऽवि कम्मट्टिइविवुड्डी ॥१२१०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org