SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦] અવગ્રહ અને અપાય ભિન્ન છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વિશેષ જ્ઞાનનો તે વખતે સૂત્રમાં અભાવ કહ્યો છે, પણ શબ્દ સામાન્યમાત્રનું ગ્રહણ થવાનો અભાવ નથી કહ્યો. જો શબ્દ સામાન્યમાત્રનું ગ્રહણ ન થતું હોય, તો વિશેષનો વિચાર જ ન થઈ શકે. કારણ કે જે વિશેષ જીજ્ઞાસા છે તે સામાન્ય જ્ઞાનપૂર્વક જ હોય છે. માટે શબ્દરૂપ સામાન્યને ગ્રહણ કર્યા પછી જ તેના વિશેષનો વિચાર થવો ઘટે છે. ર૬૦. ઉત્તર :- પૂર્વે સર્વ સ્થળે અને અહીં આ સૂત્રના અવયવમાં અવગ્રહની પ્રરૂપણા કરતાં “શબ્દ શબ્દ” એમ વક્તા કહે છે. પરંતુ ત્યાં જ્ઞાનમાં શબ્દનો પ્રતિભાસ નથી થતો, જો એમ ન હોય તો એક સમયમાત્ર અર્થાવગ્રહના કાળમાં “શબ્દ” એવું વિશેષણ યુક્ત નથી, કેમ કે “શબ્દ છે' એવો નિશ્ચય થતાં અન્તર્મુહૂર્ત વખત લાગે છે, આ વાત પૂર્વે કહેલી જ છે. અથવા સાંવ્યાવહારિક અર્થાવગ્રહની અપેક્ષાએ આ સૂત્રનું વ્યાખ્યાન કરાશે. તું ઉતાવળ ન કર. ૨૬૧. વળી જો સૂત્રને વિષે તારી વિશેષ શ્રદ્ધા છે, તો સૂત્રમાં પણ શબ્દોલ્લેખ રહિત અવ્યક્ત શબ્દમાત્ર ગ્રહણ કરવાનું કહ્યું છે. નંદીઅધ્યયનમાં કહ્યું છે કે “જે કહાનામાવે રિ ૩ વત સરું સુપોઝી ” એટલે જેમ કોઈ પુરૂષ અવ્યક્ત શબ્દ સાભળે. આમાં “અવ્યક્ત શબ્દ' કહ્યો છે, તેનો શો અર્થ ? અવ્યક્ત એટલે “આ શબ્દ છે, કે રૂપાદિ છે ?” ઈત્યાદિ પ્રકારે અનિર્દેશ્ય તે અવ્યક્ત. (નામ-જાતિ આદિની કલ્પના રહિત) આ શંખનો શબ્દ છે કે શૃંગાદિનો શબ્દ છે. ? ઇત્યાદિ ભેદની અપેક્ષાએ આ શબ્દ છે એમ શબ્દોલ્લેખ પણ અવ્યક્ત છે, તો આપે કહેલું વ્યાખ્યાન યોગ્ય નથી. એમ ન કહેવું, કારણ કે સૂત્રોમાં અવગ્રહને અનાકાર ઉપયોગરૂપે કહેલ છે, તે અનાકાર ઉપગ સામાન્ય વિષયવાળો છે. અને તારા કહેવા મુજબ તો પ્રથમ સાકારબોધરૂપ અંપાય થવાથી અવગ્રહ તથા ઈહાનો. અભાવ થાય છે. ૨૬૨. પ્રશ્ન :- અવ્યક્ત અનિર્દેશ્ય સ્વરૂપવાલા શબ્દને, અર્થાવગ્રહની પહેલાં વ્યંજનાવગ્રહમાં શ્રોતા ગ્રહણ કરે છે, એમ આપે કહ્યું છે, તો પછી અર્થાવગ્રહમાં પણ તેને અવ્યક્તરૂપે શાથી કહો છો ? ૨૬ ૩. ઉત્તર :- વ્યંજનાવગ્રહમાં શ્રોતાને અવ્યક્ત જ્ઞાન છે, તેની અમે ના નથી કહેતા, પરંતુ તે જ્ઞાન અતિ સૂક્ષ્મ હોવાથી, શ્રોતા પોતે પણ જાણી શકતો નથી, તેમાં તો કેવળ વ્યંજનમાત્રનું જ ગ્રહણ થાય છે, શબ્દનું ગ્રહણ નથી થતું, જો એમ ન હોય તો તે વ્યંજનાવગ્રહ જ ન કહેવાય. આ વાત પૂર્વે ૧૯૭મી ગાથાના વિવેચનમાં સવિસ્તાર કહી છે તેથી પુનઃ કહેવાની જરૂર નથી. વળી સામાન્યરૂપે અવ્યક્તશબ્દ ગ્રહણ કર્યા સિવાય અકસ્માત-એકદમ “શબ્દ છે' એવી વિશેષ બુદ્ધિ ન થાય. અને જો પ્રથમ જ એવી વિશેષ બુદ્ધિ માનીએ, તો અર્થાવગ્રહના કાળમાં અપાય થઈ જાય. આ વાત પણ પૂર્વે ઘણીવાર કહી છે. માટે તું કહે છે તે યોગ્ય નથી. ર૬૪. અવ્યક્ત શબ્દજ્ઞાનને અર્થાવગ્રહરૂપે સાબિત કરી, તેમાં અનેક ઉપયોગનો નિષેધ કરતા કહે છે કે – अत्थो त्ति विसयग्गहणं, जइ तम्मि वि सो न वंजणं नाम । अत्थोग्गहो च्चिय तओ, अविसेसो संकरो वावि ॥२६५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy