________________
ભાષાંતરી
અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાનનો અભાવ.
[૧૪૧
નેત્યાહાને, ગરો-ર-ડાયસંભવ નત્યિ | तो नत्थि सद्दबुद्धि, अहत्थि नावग्गहो नाम ।।२६६।। सामण्ण-तयण्णविसेसेहा-वज्जण-परिग्गहणओ से । अत्थोग्गहेगसमओवओगबाहुल्लमावण्णं ॥२६७॥ अण्णे सामण्णग्गहणमाहु बालस्स जायमेत्तस्स । समयम्मि चेव परिचियविसयस्स विसेसविन्नाणं ॥२६८।। तदवत्थमेव तं पुव्वदोसओ तम्मि चेव वा समए । संख-महुराइसुबहुयविसेसगहणं पसज्जेज्जा ॥२६९।। अत्थोग्गहो न समयं, अहवा समओवओगबाहुल्लं । सब्वविसेसग्गहणं, सब्बमई वोग्गहो गिज्झो ।।२७०॥ एगो वाऽवाओ च्चिय, अहवा सोऽगहिय-णीहिए पत्तो । उक्कम-वइक्कमा वा, पत्ता धुवमोग्गहाईणं ॥२७१॥ सामण्णं व विसेसो, सो वा सामण्णमुभयमुभयं वा ।
न य जुत्तं सबमियं, सामण्णालंबणं मोत्तुं ॥२७२॥ અર્થ એટલે વિષયગ્રહણ, જો તે (વ્યંજનાવગ્રહ)માં પણ તે (શબ્દરૂપ વિશેષનું ગ્રહણ) માનીએ તો વ્યંજનાવગ્રહ ન થાય, તેથી તો અથવગ્રહ જ થાય. અથવા (ઉભય) સામાન્ય થાય કે સાંકર્ય થાય, જેથી અર્થાવગ્રહકાળે ગ્રહણ-ઈહાને અપાયનો સંભવ નથી, તેથી ત્યાં શબ્દબુદ્ધિ નથી, જો (શબ્દબુદ્ધિ) છે તો અવગ્રહ નથી. સામાન્ય અને તદન્ય વિશેષરૂપ ઈહા થાય. તે પછી (શ્રોતાને) વર્જન અને ગ્રહણ થાય. એમ એક સમયના અર્થાવગ્રહમાં ઘણા ઉપયોગ થાય. તુરતના જન્મેલા બાળકને સામાન્ય ગ્રહણ થાય છે, અને પરિચિત વિષયનું વિશેષવિજ્ઞાન તો પ્રથમ સમયે જ થાય છે, એમ બીજા (આચાર્યો) કહે છે. પૂર્વોક્ત દોષથી તે. તે સ્વરૂપવાળું જ થયું. અથવા તેજ સમયે શંખ-મધુર આદિ બહુ પ્રકારના વિશેષનું ગ્રહણ થાય. (એક સમયમાં વિશેષજ્ઞાન માનવાથી) અર્થાવગ્રહ એક સમયનો ન થાય અથવા એક સમયમાં ઘણા ઉપયોગ થાય, સર્વ વિશેષનું ગ્રહણ થાય, સર્વ મતિ અવગ્રહરૂપ થાય, એક અપાય જ થાય, તે અપાય પણ ગ્રહણ કર્યા સિવાય અને ઈહા થયા વિના જ પ્રાપ્ત થાય. અથવા અવગ્રહાદિનો ઉત્ક્રમ-વ્યતિક્રમ અવશ્ય થાય, સામાન્ય તે વિશેષ થાય અથવા વિશેષ તે સામાન્ય થાય. અથવા ઉભય સામાન્ય-વિશેષ તે ઉભયરૂપ થાય. માટે સામાન્ય આલંબન સિવાય થાય આ સર્વ યુક્ત નથી. ૨૬૫ થી ૨૭ર.
અર્થાવગ્રહમાં “અર્થ” શબ્દથી વિષયગ્રહણ માનેલ છે, (એટલે કે રૂપઆદિ ભેદે અનિશ્ચિત અવ્યક્ત શબ્દઆદિ વિષયનું ગ્રહણ થવું, તે અર્થાવગ્રહ છે, એમ માનેલ છે.) વ્યંજનાવગ્રહમાં પણ જો તે અવ્યક્ત શબ્દાદિ જણાય છે, એમ માનીએ તો તેને વ્યંજનાવગ્રહ જ ન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org