________________
૧૪૨]
અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાનનો અભાવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
વળી વ્યંજનાવગ્રહમાં તો વ્યંજનોનો સંબંધ માત્ર જ કહ્યો છે, અને તું તો તે સંબંધ અતિક્રમીને થયેલા અવ્યક્ત અર્થનું ગ્રહણ થવાનું માને છે. એ પ્રમાણે અવ્યક્ત અર્થ ગ્રહણ થતો હોય તો, તે અર્થાવગ્રહ જ કહેવાય. પણ વ્યંજનાવગ્રહ ન કહેવાય. કદી એમ કહીશ કે સૂત્રમાં વ્યંજનાવગ્રહની અંદર પણ અવ્યક્ત અર્થ ગ્રહણ કરવાનું કહ્યું છે, તો બન્નેમાં કંઈ તફાવત નહિ રહે. જે અર્થાવગ્રહ તે જ વ્યંજનાવગ્રહ થશે અથવા મેચકમણિની પ્રભાની પેઠે સંકરતા થશે. માટે એમ માનવું યોગ્ય નથી. વ્યંજનાવગ્રહમાં વ્યંજનોનો સંબંધ માત્ર જ થાય છે, અને અર્થાવગ્રહમાં અવ્યક્ત શબ્દઆદિ અર્થગ્રહણ થાય છે, પણ વ્યક્ત શબ્દઆદિ ગ્રહણ થતા નથી. ૨૬૫.
અર્થાવગ્રહમાં વ્યક્ત (પ્રગટ) શબ્દઆદિ અર્થનું જ્ઞાન નહિ થવાનું કારણ એ છે કે – પ્રથમ તો માત્ર અર્થગ્રહણ જ થાય, તે પછી ઈહા અને તે પછી અપાય, એ પ્રમાણે મતિજ્ઞાનનો ઉત્પત્તિક્રમ છે. આ ત્રણે, પ્રથમ શબ્દાદિ અર્થનું અવ્યક્તપણે ગ્રહણ થાય છે, તે વખતે નથી થતા, કેમકે અર્થાવગ્રહકાળે અર્થગ્રહણ-ઈહા-ને અપાયનો સંભવ નથી. તેથી અર્થાવગ્રહમાં “શબ્દ છે” એવી વિશેષબુદ્ધિ થતી નથી, તેવી વિશેષબુદ્ધિ પહેલાં અર્થગ્રહણ અને ઈહા થાય છે. ત્યાં વિશેષબુદ્ધિ છે, એમ કહેવામાં આવે તો તે અર્થાવગ્રહ નહિ પણ અપાય જ થાય. અને એ યુક્ત નથી. અને એમ માનવાથી અર્થાવગ્રહ અને ઈહા ઘટે નહિ. ર૬૬.
વળી એક સામાયિક અર્થાવગ્રહમાં “શબ્દ છે” એવી વિશેષબુદ્ધિ માનવામાં આવે, તો બીજા દોષો પણ પ્રાપ્ત થાય છે, કેમ કે એ વિશેષબુદ્ધિ નિશ્ચયરૂપ છે, તેવો નિશ્ચય એકદમ-અકસ્માત્ થાય નહિ, પણ અનુક્રમે થાય. પ્રથમ રૂપઆદિથી અભિન્ન શબ્દ સામાન્યનું ગ્રહણ થાય; તે પછી તેના વિશેષ ધર્મો સંબંધી વિચારણા થાય, તે પછી બીજા રૂપઆદિ વિશેષની બુદ્ધિ થાય. એ રીતે તેવા તેવા ધર્મો વડે “શું આ શબ્દ છે, કે રૂપઆદિ છે ?” એવી ઈહા થાય, તે પછી ગ્રહણ કરેલા શબ્દ સામાન્યનું ગ્રહણ થાય અને તેના વિશેષો ત્યાં ન હોવાથી બીજા રૂપઆદિથી તેનું નિવર્તન થાય. તારા કહેવા મુજબ તો એક સમયના અર્થાવગ્રહમાં સામાન્ય ગ્રહણઆદિ પ્રકારો વડે શ્રોતાને ઘણા ઉપયોગનો પ્રસંગ થાય. સિદ્ધાંતમાં એક સમયની અંદર ઘણા ઉપયોગનો નિષેધ કર્યો છે, માટે અર્થાવગ્રહમાં શબ્દાદિ વિશેષ બુદ્ધિ નથી થતી. ૨૬૭.
પ્રશ્ન :- સર્વ વિશેષરહિત અવ્યક્ત સામાન્ય માત્ર વસ્તુનું ગ્રહણ કરવું, તે તરતના જન્મેલા બાળકને થાય છે. કારણ કે એ અવ્યક્તજ્ઞાન સંકેતઆદિ રહિત અપરિચિત-વિષયવાળું છે, પણ જે પરિચિતવિષયવાળું “આ શબ્દ” એવું જે જ્ઞાન, તે તો પ્રથમ શબ્દ શ્રવણ સમયે જ થાય છે. કેમકે તે સ્પષ્ટ છે. આ પક્ષની અપેક્ષાએ “તેણે શબ્દ ગ્રહણ કર્યો.” એમ કહેવાય છે. ર૬૮.
ઉત્તર :- પૂર્વોક્ત ર૬૬-ર૬૭મી ગાથામાં તેનાં દૂષણ બતાવ્યા છે. એ સિવાય બીજાં પણ દૂષણ આવે છે, કે જો પરિચિતવિષયનું વિશેષજ્ઞાન જીવને પ્રથમ સમયે જ થતું હોય, તો તે સમયે આ શબ્દ શંખનો છે, કે શૃંગનો છે ? સ્નિગ્ધ-મધુર-કે કર્કશ છે ? સ્ત્રી-પુરૂષ- કે વાજીંત્રનો છે ? ઇત્યાદિ ઘણા વિશેષ પ્રકારે પણ ગ્રહણ થવું જોઈએ. મતલબ કે પરિચિતવિષયવાળાને એકસમયના અર્થાવગ્રહમાં અવ્યક્ત શબ્દજ્ઞાન ઉલ્લંઘીને પ્રગટ શબ્દજ્ઞાનનો નિશ્ચય થાય છે, તો પછી બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org