SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાનનો અભાવ [૧૪૩ કોઈ અતિશય પરિચિતવિષયવાળા અને સારા બોધવાળા જીવને તે જ સમયે પ્રગટ શબ્દજ્ઞાન ઉલ્લંધીને આ શંખનો શબ્દ છે” ઈત્યાદિ સંખ્યાતીત વિશેષ ગ્રાહક જ્ઞાન પણ તેઓના અભિપ્રાય થવું જોઈએ. કેમકે જીવોની શક્તિ અનુસાર તારતમ્યપણું પ્રગટ જણાય છે. કેટલાકને પ્રથમ સમયે અતિવિશેષગ્રાહીજ્ઞાન પણ થાય છે. એમ કહેવામાં આવે તો તે ખોટું છે, કારણ કે “આ કયો શબ્દ છે તે જાણતો નથી” એ સૂત્રના અવયવની સાથે તેનો વિરોધ થાય. મધ્યમ શક્તિવાળા પુરૂષ સંબંધી એ સૂત્રાવયવ છે, એમ કહેવામાં આવે, તો તે પણ અસત્ય છે. કેમકે તે સ્થળે એવું કંઈ વિશેષણ કહ્યું નથી. માટે પ્રથમ સમયે સર્વવિશેષવિષયક જ્ઞાન થાય, એમ કહેવું યુક્તિરહિત છે. ઉત્કૃષ્ટ બુદ્ધિવાળાને પણ શબ્દધર્મીને ગ્રહણ કર્યા સિવાય, ઘણા ધર્મો ગ્રહણ થવા સંભવતા નથી, કેમ કે નિરાધાર ધર્મોની ઉત્પત્તિ ઘટે નહિ. ર૬૯. ઉપર કહ્યા મુજબ એક સમયમાં “શબ્દ છે” એવું વિશેષજ્ઞાન માનવાથી આગમવિરોધાદિ બીજા દોષો પણ પ્રાપ્ત થાય છે. સિદ્ધાન્તમાં એક સમયનો અર્થાવગ્રહ કહ્યો છે. એ અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાન માનવામાં આવે, તો તે અર્થાવગ્રહ એક સમયનો ન થાય પણ અસંખ્યાત સમયનો થાય, કારણ કે વિશેષજ્ઞાન અસંખ્યાતા સમયે થાય છે. (૧) વળી એક સમયમાત્રમાં વિશેષજ્ઞાન માનીયે, તો પૂર્વે ર૬૭મી ગાથામાં કહ્યા મુજબ એક સમયમાં ઘણા ઉપયોગો માનવા પડે. (૨) અથવા પરિચિતવિષયનું વિશેષજ્ઞાન એક જ સમયમાં માનવાથી, વધારે પરિચિતવિષયનું જ્ઞાન, તેજ સમયે હમણાં કહ્યા મુજબ સર્વ વિશેષ પ્રકારે ગ્રહણ થાય. (૩) અથવા અવગ્રહમાત્રથી વિશેષજ્ઞાન માનવામાં આવે, તો ઈહા વિગેરે ઉત્પન્ન જ ન થવાં જોઈએ, સર્વ મતિજ્ઞાન અવગ્રહરૂપજ થવું જોઈએ. કેમકે અર્થાવગ્રહમાં પણ વિશેષ જ્ઞાન માનવાથી, તે વિશેષજ્ઞાન નિશ્ચયરૂપ થાય છે, અને તે નિશ્ચય અપાયરૂપ છે. એ પ્રમાણે એક સમયમાં અપાયની સિદ્ધિ થાય, ત્યારે “ઈહા-અપાયઅન્તર્મુહૂર્ત પ્રમાણ છે” એ સિદ્ધાન્તવાક્ય સાથે વિરોધ થાય. (૫) તથા અર્થાવગ્રહ થયા પછી ઈહા થયા બાદ અપાય થાય છે એવો ક્રમ સિદ્ધાંતમાં કહ્યો છે. તે ક્રમ પ્રથમ સમયમાં વિશેષ જ્ઞાન માનવાથી રહે નહિ. કેમકે -અવગ્રહ અને ઈહા થયા વિના જ પ્રથમ એ અપાયની પ્રાપ્તિ થાય. (૬) વળી ત્રીજા ભેદરૂપે કહેલો અપાય તે “પ્રથમ સમયમાં જ પરિચિત વિષયનું વિશેષજ્ઞાન થાય છે” એ વચનથી પટુત્વની વિચિત્રતાએ પ્રથમ માનીએ, તો તે પટુત્વની વિચિત્રતાથી અવગ્રહઈહા-અપાય-ને ધારણાનો અવશ્ય ઉત્ક્રમ-વ્યતિક્રમ - થાય. જેમ કોઈને શક્તિની વિચિત્રતાથી, પ્રથમ અપાય થાય એમ માનેલ છે, તેવી જ રીતે કોઈને પ્રથમ ધારણા જ થાય, તે પછી અપાય તે પછી ઈહા અને તે પછી અવગ્રહ. એમ ઉલ્કમ થાય. બીજા કોઈને અવગ્રહ ઉલ્લંઘીને પ્રથમ ઈહા જ થાય, ત્રીજા કોઈને ઈહા ઉલ્લંઘીને અપાય થાય, ચોથા કોઈને અપાય અતિક્રમીને ધારણા જ થાય. ઈત્યાદિ પ્રકારે વ્યતિક્રમ થાય. પરંતુ ખરી રીતે એવો ઉત્ક્રમ વ્યતિક્રમ થવો યોગ્ય નથી, “અવગ્રહ-ઈહા-અપાયને ધારણા” એ ક્રમસર જ એ ચારે ભેદો તીર્થકર-ગણધર આદિએ કહ્યા છે. તે અન્યથા પ્રકારે થઈ શકે નહિ. (૭) તથા પ્રથમ સમયે જે. ગ્રહણ થાય છે તે વિશેષરૂપ છે એમ માનવાથી જે સામાન્ય છે, તે પણ વિશેષરૂપ થાય, કેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy