________________
ભાષાંતર].
અર્થાવગ્રહ અને અપાય ભિન્ન છે.
[૧૩૯
શબ્દ છે” એવી બુદ્ધિ તે અપાય નહિ પણ અવગ્રહ થશે. એ પ્રમાણે ઘણા કાળે પણ શબ્દગત મન્દ્ર-મધુરાદિ ભેદોનો નિશ્ચય થવો અશક્ય છે. કેમકે તેવા ભેદો અનંતા છે. આથી બધા ભેદોનું જ્ઞાન ઉત્તરોત્તર ભેદજ્ઞાનની અપેક્ષાએ તારા કહેવા પ્રમાણે અલ્પ હોવાથી “આ શબ્દ છે” એવા જ્ઞાનની પેઠે અવગ્રહ જ થશે. પણ અપાય નહિ થાય.
વળી “આ શબ્દ જ છે” એવું જ્ઞાન અલ્પ હોવાથી તે તેને અર્થાવગ્રહ માને છે, પરંતુ તે જ્ઞાનની પહેલા પણ ઈહા થાય છે, તેથી તે જ્ઞાન ઈહાપૂર્વક હોવાથી તેને અર્થાવગ્રહ નહિ કહી શકાય. ર૫૬ જેમ કે – શું આ શબ્દ છે, કે અશબ્દ(રૂપાદી) છે ? એ પ્રમાણે પ્રથમ ઈહા કર્યા સિવાય “શબ્દ જ છે' એવું નિશ્ચયજ્ઞાન અકસ્માત્ કેવી રીતે થાય? શબ્દગત અન્વય ધર્મોને રૂપાદિથી ભિન્નરૂપે ગ્રહણ કરવાથી એવું નિશ્ચયજ્ઞાન થાય છે, ને તે જ્ઞાન ઈહા કર્યા સિવાય નથી થતું. કેમકે નિશ્ચયકાળની પૂર્વે ઈહા દ્વારા જ “આ શબ્દ છે” એવું નિશ્ચયજ્ઞાન થાય છે, ત્યારે તો તમારા વચનથકી જ નિશ્ચય જ્ઞાનપૂર્વક ઈહા સિદ્ધ થઈ. ૨૫૭. - હવે એ પ્રમાણે નિશ્ચયજ્ઞાન ઈહાપૂર્વક થયું, તો ત્યાં એ પ્રશ્ન થાય છે, કે ઈહાની પૂર્વે પ્રમાતાએ કઈ વસ્તુ ગ્રહણ કરી, કે જેથી તે ઈહા કરનારને વસ્તુનું “આ શબ્દ જ છે” એવું નિશ્ચય જ્ઞાન થાય છે ? વસ્તુ ગ્રહણ કર્યા સિવાય, કોઈ પણ અકસ્માત પ્રથમ જ ઈહા નથી કરતું. કદી અહીં એમ કહેવામાં આવે કે ઈહાની પૂર્વે નામ જાતિ આદિની કલ્પનારહિત સામાન્ય વસ્તુમાત્ર ગ્રહણ થાય છે, તેથી ઈહ્યમાન વસ્તુનું “શબ્દ છે” એવું નિશ્ચય જ્ઞાન થાય છે. ૨૫૮:
જો એ પ્રમાણે થતું હોય તો ઈહાની પૂર્વે જે સામાન્ય ગ્રહણ કરાય છે, તે સામાન્ય ગ્રહણ કાળ હોવો જોઈએ. તે ગ્રહણકાળ એક સામયિક અર્થાવગ્રહના કાળરૂપે તો નહિ કહી શકાય, કેમ કે એથી અમારો મત માનવો પડશે. માટે તારા અભિપ્રાયથી તે સામાન્ય, અમે કહેલ અર્થાવગ્રહની પૂર્વે ગ્રહણકાળે જાણવું જોઈએ. તે ગ્રહણકાળ તો અમે કહેલા અર્થાવગ્રહની પૂર્વનો ભંજનકાળ છે. (શબ્દાદિ દ્રવ્યોનો માત્ર ઈન્દ્રિયો વડે ગ્રહણ કરવાનો કાળ તે વ્યંજન કાળ) કદી એમ કહેવામાં આવે કે વ્યંજનકાળમાં પણ સામાન્ય અર્થનું ગ્રહણ થશે. તો તે ખોટું છે; કેમ કે તે વ્યંજનકાળ અર્થપરિશુન્ય છે, એટલે તેમાં સામાન્ય કે વિશેષ કોઈપણ પ્રકારના અર્થનું જ્ઞાન નથી થતું. તે વખતે મનરહિત કેવળ ઈન્દ્રિયોનો જ વ્યાપાર છે, તેથી તેમાં અર્થનું જ્ઞાન થાય નહિ. એ પ્રમાણે તારું કથન કોઈપણ રીતે યુક્તિસંગત નથી થતું. માટે અમે કહેલ અર્થાવગ્રહજ સામાન્ય ગ્રહણરૂપ છે, એમ ગાથામાં નથી કહ્યું, તોપણ પોતાની મેળે જાણી લેવું. તે પછી અન્વય-વ્યતિરેક ધર્મની વિચારણારૂપ ઈહા, અને તે પછી “આ શબ્દ જ છે” એવું નિશ્ચય જ્ઞાન ન અપાય. એમ માનવાથી બધું યુક્તિસંગત થશે. ર૫૯.
પ્રશ્ન :- અર્થાવબોધ સમયે પ્રથમ “આ શબ્દ છે” એ પ્રમાણે વસ્તુગ્રહણ ન કરી હોય તો નંદીસૂત્રમાં “નથી જાણતો કે આ ક્યો શબ્દ છે” એમ જે કહ્યું છે, તે અસત્ય ઠરે. તેથી રૂપાદિથી ભિન્ન શબ્દરૂપ સામાન્ય ગ્રહણ કર્યા પછી “શું આ શંખનો શબ્દ છે, કે શૃંગનો છે?” એવા વિશેષનો વિચાર થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે “આ શબ્દ શંખનો છે, કે શૃંગનો છે ?” એવા પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org