________________
૧૩૮].
અર્થાવગ્રહ અને અપાય ભિન્ન છે.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧
अह व मई, पुव्वं चिय सो, गहिओ वंजणोगहे तेणं । जं वंजणोग्गहम्मि वि, भणियं विण्णाणमब्वत्तं ।।२६३॥ अस्थि तयं अबत्तं. न उ तं गेण्हड सयं पि सो भणियं ।
न य अग्गहियम्मि जुज्जइ, सद्दो त्ति विसेसणा बुद्धि ॥२६४॥ પ્રશ્ન :- આ થોડું છે તેથી અપાય નથી, શંખઆદિ શબ્દથી જે વિશિષ્ટ તે અપાય છે. (ઉત્તર) તેના આગળ જાણવાના ભેદોની અપેક્ષાએ એ પણ થોડું છે, તેથી એ પણ અપાય નહિ કહેવાય. એ પ્રમાણે ઘણા કાળે પણ સર્વ ભેદનો નિશ્ચય અસાધ્ય છે, (કેમ કે) જેમાં અપાય થાય તે સર્વ અવગ્રહ છે. આ શબ્દ છે કે અશબ્દ છે ? એવી ઈહા સિવાય “શબ્દ જ છે' એ કેમ ઘટે ? પહેલાં ઈહા કરીને “શબ્દ જ છે' એવી માન્યતા હોય, તો તે ઈહા (તની) પૂર્વે છે. તે ઈહાની પૂર્વે શું ગ્રહણ કર્યું, કે જેથી તે ઈહા કરનારને “શબ્દ જ છે' એવું વિજ્ઞાન થયું ? તેમજ કયું પૂર્વે સામાન્ય ગ્રહણ કર્યું. કે જેથી તે ઈહાનું જ્ઞાન થયું. એ સામાન્ય ગ્રહણ અર્થાવગ્રહની પૂર્વે હોવું જોઈએ, પણ તેની પૂર્વે વ્યંજનકાળ છે, અને તે વ્યંજનકાળ અર્થ પરિશૂન્ય છે. જો આ “શબ્દ છે' એમ ગ્રહણ ન કર્યું હોય તો “નથી જાણતો કે આ શબ્દ કયો છે.” એમ કહેલું ન ઘટે. સામાન્યગ્રહણ કર્યા પછી વિશેષ શોધાય છે. માટે અહિં સર્વત્ર પ્રરૂપણા કરતાં “શબ્દ-શબ્દ” એમ શાસ્ત્રકાર કહે છે, અન્યથા સમયમાત્રમાં શબ્દ છે. એવું વિશેષણ યોગ્ય નથી. અથવા સૂત્રમાં જ કહ્યું છે, કે - “જેમ કોઈ અવ્યક્ત શબ્દ સાંભળે” ત્યાં અવ્યક્ત એટલે અનિર્દેશ્ય-સામાન્ય-કલ્પનારહિત સમજવું. અથવા એવી મતિ થાય, કે પૂર્વે જ તે અવ્યક્ત વ્યંજનાવગ્રહમાં ગ્રહણ કરાયું છે. કેમ કે વ્યંજનાવગ્રહમાં પણ અવ્યક્તજ્ઞાન કહ્યું છે. તેમાં અવ્યક્ત જ્ઞાન છે, પણ તેને સ્વયંગ્રહણ કરતો નથી એવું પણ કહ્યું છે. પરંતુ (સામાન્ય અવ્યક્ત શબ્દ) ગ્રહણ કર્યા સિવાય “શબ્દ છે' એવી વિશેષબુદ્ધિ ઘટે નહિ. ૨૫૫ થી ૨૬૪.
પ્રશ્ન :- “આ શબ્દ છે” એવી બુદ્ધિવાળું જ્ઞાન અલ્પ વિશેષ ગ્રાહક હોવાથી અપાય નથી, પણ અવગ્રહ જ છે. જયારે આ શંખનો શબ્દ છે. એવું વિશેષણયુક્ત જ્ઞાન થાય, ત્યારે તે જ્ઞાન વધારે વિશેષગ્રાહી હોવાથી અપાયરૂપ થાય છે. એ પ્રમાણે અવગ્રહ અને અપાયનો ભેદ માનવામાં આવે તો શું હરકત છે ?
ઉત્તર :- જો એ પ્રમાણે જે થોડું જ્ઞાન તે અપાય નહિ, એમ માનવામાં આવે તો અપાય સંબંધી વાત જ બંધ કરવી પડશે. કારણ કે ઉત્તરોત્તર અર્થને વિશેષ ગ્રહણ કરવાની અપેક્ષાએ પૂર્વપૂર્વના અર્થનો જે નિશ્ચય તે અલ્પ છે, અને તેથી તે સર્વઅવગ્રહરૂપ જ થશે. તે શંખ શબ્દમાં પણ યુવાન-મધ્યમ-વૃદ્ધ-સ્ત્રી-પુરૂષથી ઉત્પન્ન થયેલાપણું મંદ-મધુરાદિપણું એવા ઉત્તરોત્તર ભેદોની અપેક્ષાએ “આ શંખનો શબ્દ છે” ઈત્યાદિ જે જ્ઞાન પણ થોડું જ છે. કારણ કે ઉત્તરોત્તર વિશેષ ભંદની અપેક્ષાએ અલ્પ વિશેષગ્રાહી છે. તેથી તે પણ અપાય નહિ બની શકે. અને છેવટે અપાયનો અભાવ થશે. ૨૫૫.
જેમ કે “આ શંખનો શબ્દ છે.” એવી બુદ્ધિમાં શબ્દગત ભેદનો નિશ્ચય કરવો અસાધ્ય છે, કારણ કે શબ્દગત મન્દ્ર-મધુરાદિ ઉત્તરોત્તર ભેદ ઘણા છે. એ ઘણા ભેદોની અપેક્ષાએ “આ શંખનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org