SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨] મતિ શ્રુતની સમાનતા [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન :- પ્રભો ! ભાષ્યકારે આભિનિબોધિક વિગેરે જ્ઞાનવાચક નામોની જ વ્યુત્પત્તિ કહી છે, પણ જ્ઞાનશબ્દ કોઈ ઠેકાણે કેમ કહ્યો નથી ? ઉત્તર :- એ આભિનિબોધિક આદિ જ્ઞાનવાચક નામોની સાથે જ્ઞાન શબ્દ સમાન અધિકરણથી પ્રાયઃ જોડવો, અને તે પ્રમાણે દરેક સ્થળે જોડેલ છે. જેમ કે આભિનિબોધિક એવું જે જ્ઞાન, તે આભિનિબોધિક જ્ઞાન. શ્રુત એવું જે જ્ઞાન વિગેરે. કોઈ સ્થળે જ્ઞાન શબ્દ વ્યધિકરણમાં પણ હોય છે. તેનું ઉદાહરણ મન:પર્યવજ્ઞાનમાં જણાવ્યું છે. કેમકે જે વખતે મનના પર્યાયોનું જ્ઞાન, તે મન:પર્યવજ્ઞાન એમ અર્થ કર્યો, ત્યારે ત્યાં જ્ઞાનશબ્દ વૈયધિકરણમાં થયો છે. બીજે સ્થલે પણ અભિનિબોધિકની વ્યુત્પત્તિમાં વસ્તુઅર્થ કર્યો, શ્રુતમાં શબ્દ અર્થ કર્યો, અવધિમાં મર્યાદા અર્થ કર્યો, ત્યારે ત્યાં પણ વ્યધિકરણમાં જ્ઞાન શબ્દ લેવો પડયો છે, એમ જ્યાં જેમ ઘટે ત્યાં તેમ જાણી લેવું. ૮૪. આ પ્રમાણે અનુક્રમે પાંચે જ્ઞાનોની વ્યુત્પત્તિ શ્રવણ કરીને શિષ્ય પૂછે છે કે ભગવન ! પાંચ જ્ઞાન પૈકી બીજા જ્ઞાનો મૂકીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ શરૂઆતમાં શા માટે કર્યો ? તેના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે - નું સામિ-વાન-કારળ-વિસય-પરોવત્તěિ તુન્નારૂં । तब्भावे सेसाणि य, तेणाईए मइ सुयाई ॥८५॥ આ બંને જ્ઞાન સ્વામિ-કાળ-કારણ-વિષય-અને પરોક્ષપણાથી તુલ્ય હોવાથી, તથા તે બે જ્ઞાનની હાજરીમાં જ બાકીનાં જ્ઞાન થતા હોવાથી, મતિ-શ્રુતજ્ઞાનને સર્વજ્ઞાનની આદિમાં કહ્યાં છે. ૮૫. અર્થ દૃષ્ટિએ મતિજ્ઞાન અને આભિનિબોધિક જ્ઞાન સમાન છે, કેમકે ઉત્પત્તિકી આદિ બોધરૂપ મતિ એ જ્ઞાનમાં પ્રધાન હોવાથી આભિનિબોધિક જ્ઞાનને મતિજ્ઞાન પણ કહેવાય છે. એ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના સ્વામિ એક જ હોય છે, સિદ્ધાન્તમાં કહ્યું છે કે “જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુત જ્ઞાન; અને જ્યાં શ્રુતજ્ઞાન ત્યાં મતિજ્ઞાન હોય છે.” ઘણા જીવોની અપેક્ષાએ અને એક જીવની અપેક્ષાએ એમ બંને પ્રકારે સ્થિતિથી પણ આ બે જ્ઞાન સમાન છે. તેમાં ઘણા જીવોની અપેક્ષાએ સર્વ કાળે મતિ-શ્રુતજ્ઞાન હોય છે, અને એક જીવની અપેક્ષાએ, છાસઠ સાગરોપમ અધિક કાળ પર્યંત, એક જીવને એ બન્ને જ્ઞાન નિરંતર હોય છે. એ વાત આગળ આજ ગ્રંથમાં કહેવાશે. પોતપોતાનાં આવરણનો ક્ષય પશમ તથા ઈન્દ્રિય અને મનોલક્ષણ કારણ પણ આ ઉભયજ્ઞાનમાં સમાન છે. તથા તે બંને જ્ઞાની સર્વદ્રવ્યાદિને જાણી શકતાં હોવાથી, તેમનો વિષય પણ સમાન છે. વળી ઈન્દ્રિય અને મનરૂપી પરિમિત્ત વડે થતાં હોવાથી, બન્ને પરોક્ષ છે, એ રીતે પણ તુલ્યતા છે. પ્રશ્ન :- આ બંને જ્ઞાનનાં સ્વામિ, કાલ આદિ સમાન હોવાથી, તે બંનેનું વિવરણ એક સાથે કરવું તે ઠીક છે, પણ સર્વ જ્ઞાનની આદિમાં શા માટે ? ઉત્તર ઃ-.ત્રણે કાળમાં કોઈપણ આત્માને મતિ-શ્રુત જ્ઞાન હોય તો જ, અવધિ આદિ જ્ઞાન ઉત્પન્ન થાય છે, અન્યથા નહિ, તેથી મતિ-શ્રુતનું વર્ણન સર્વજ્ઞાનની આદિમાં કરે છે. પ્રશ્ન :- ભલે મતિ-શ્રુતનો ઉપન્યાસ સર્વ જ્ઞાનોની આદિમાં કરો, પરંતુ એ બેમાં પણ પ્રથમ મતિ અને પછી શ્રુત એમ કહેવાનું શું કારણ ? એથી વિપરીત એટલે પહેલાં શ્રુતજ્ઞાન કહીને પછી મતિજ્ઞાન શા માટે ન કહી શકાય ? એના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy