________________
ભાષાંતર]
અવધિ અને મનઃપર્યવજ્ઞાનનું સાધર્મ્યુ
મપુર્વા ને સુર્ય, તેબાપ મરે, વિસિટ્ટો વા | मइभेओ चेव सुयं, तो मइसमणंतरं भणियं ॥ ८६ ॥
મતિપૂર્વક શ્રુત કહ્યું છે, તેથી મતિ આદિમાં છે; અથવા શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનનો વિશિષ્ટ ભેદ જ છે, તે કારણથી પણ મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહ્યું છે. ૮૬.
[૫૩
મતિજ્ઞાન પહેલું થાય અને પછી જ શ્રુતજ્ઞાન હોય છે, એમ તીર્થંકર-ગણધરોએ કહ્યું છે; કેમ કે અવગ્રહાદ રૂપ મતિજ્ઞાન થયા સિવાય શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ થતી નથી. અથવા શ્રુતજ્ઞાનપણ ઈન્દ્રિય-અનિંદ્રિયરૂપ નિમિત્તથી થતું હોવાથી, મતિજ્ઞાનનો કોઈ વિશિષ્ટ ભેદ જ શ્રુતજ્ઞાન છે. આ કારણથી મૂળભૂત મતિજ્ઞાનનો પ્રથમ ઉપન્યાસ કર્યો છે, અને તેના ભેદરૂપ શ્રુતજ્ઞાનનો પછી ઉપન્યાસ કર્યો છે. આ સંબંધી આગળ વિસ્તારથી કહેવાશે. ૮૬.
હવે મતિ-શ્રુત પછી અવિધ અને તે પછી મન:પર્યવ કહેવાનું કારણ કહે છે.
काल- विवज्जय- सामित्त-लाभसाहम्मओऽवही तत्तो । माणसमित्तो छउमत्थ-विसय-भावादिसामण्णा ॥८७॥
કાળ-વિપર્યય-સ્વામિત્વ-અને લાભનું સાધર્મ્સ હોવાથી, મતિ અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહ્યું છે; તથા છદ્મસ્થ-વિષય અને ભાવનું સાધર્મી હોવાથી તે અવધિજ્ઞાનની પછી, મન:પર્યવજ્ઞાન કહ્યું છે. ૮૭.
કાળ-વિપર્યય-સ્વામિત્વ અને લાભ મતિ-શ્રુતજ્ઞાનની જેમ અવધિજ્ઞાનનાં-પણ સમાન હોવાથી, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પછી અવિધજ્ઞાન કહ્યું છે. ઘણા જીવોની અપેક્ષાએ અને એક જીવની અપેક્ષાએ, મતિ-શ્રુતના સ્થિતિકાલ જેટલો જ અવધિજ્ઞાનનો સ્થિતિ કાળ છે, તેથી તે બેઉની સાથે અવધિજ્ઞાનનું કાળસાધર્મ છે. તથા પહેલાં સમ્યક્ત્વની હાજરીમાં જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે, તે મિથ્યાત્વના ઉદય વખતે મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનરૂપે વિપર્યય પામે છે, તેમ અવધિજ્ઞાન પણ વિભંગજ્ઞાન રૂપે વિપર્યય પામે છે, તેથી તે બેઉની સાથે અવધિજ્ઞાનનું વિપર્યયથી સાધર્મ્યુ છે. અને મતિ-શ્રુત જ્ઞાનનો જે સ્વામિ હોય છે, તેજ અવધિજ્ઞાનનો સ્વામિ થાય છે, તેથી સ્વામિ સાધર્મ છે. વળી આ ત્રણે જ્ઞાનનો લાભ પણ સાથે થાય છે. મિથ્યાત્વને લીધે વિભંગજ્ઞાનવાળા દેવઆદિને સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન એ ત્રણે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અધિજ્ઞાન રૂપે સાથે જ થાય છે, માટે લાભ સાધર્મ છે.
છદ્મસ્થ વિષય અને ભાવ આદિથી અવધિજ્ઞાનની સમાન મનઃપર્યવજ્ઞાન છે, તેથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે. અવધિજ્ઞાન જેમ છદ્મસ્થને થાય છે, તેમ મનઃપર્યવ પણ છદ્મસ્થનેજ થાય છે, તેથી અધિજ્ઞાન અને મનઃપર્યવનું છદ્મસ્થપણાનું સાધર્મ છે. એ ઉભય જ્ઞાન પુદ્ગલમાત્રનેજ જણાવનારા હોવાથી તે બેઉનું વિષયથી સાધર્મ છે. અને ઉભયજ્ઞાન ક્ષયોપશમ ભાવે વર્તતાં હોવાથી, ભાવથી પણ તે બેઉનું સાધર્મ છે. આદિ શબ્દથી બન્ને જ્ઞાન સાક્ષાત્કર્શી હોવાથી, પ્રત્યક્ષ સાધર્મવાળાં પણ છે. ૮૭.
Jain Education International
હવે મન:પર્યવજ્ઞાનની પછી અને સર્વ જ્ઞાનોને અંતે કેવળજ્ઞાન કહેવાનું કારણ અને પાંચે જ્ઞાનોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદો કહે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org