________________
૫૪]
પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
अन्ते केवलमुत्तम-जइसामित्तावसाणलाभाओ ।
एत्थं च मइ-सुयाई, परोक्खमियरं च पच्चक्खं ॥८॥ કેવળજ્ઞાન ઉત્તમ છે, તેથી તેને બધા જ્ઞાનોને અંતે કહ્યું છે. વળી મન:પર્યવજ્ઞાન જેમ અપ્રમત્ત સાધુને થાય છે, તેવી જ રીતે કેવલજ્ઞાનના સ્વામી પણ અપ્રમત્ત યતિ છે, અને સર્વજ્ઞાનનાં અંતે તેનો લાભ થાય છે તેથી. તેને અંતે કહ્યું છે. અહીં મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અને બીજાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. ૮૮.
અતીત-અનાગત-અને વર્તમાન કાલીન સર્વ વસ્તુ અને તેના સર્વ પર્યાયોના સ્વરૂપને જાણનાર હોવાથી, કેવળજ્ઞાન સર્વોત્તમ છે, તેથી તેને સર્વજ્ઞાનોની ઉપર-છેવટે કહ્યું છે. વળી જેમ મન:પર્યવજ્ઞાનના સ્વામિ અપ્રમત્ત યતિ છે, તેમ કેવળજ્ઞાનના સ્વામિ પણ અપ્રમત્ત યતિ છે, એમ સ્વામિત્વની સમાનતાથી મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું છે. તેમજ સર્વ બીજાજ્ઞાનના અંતે જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે કેવળજ્ઞાન સર્વની અંતે કહ્યું છે.
આ મતિ આદિ પાંચ જ્ઞાનમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બેઉ જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે, અને બાકીના અવધિ-મન:પર્યવ-ને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. ૮૮. તેમાં પ્રત્યક્ષનું લક્ષણ કહે છે.
जीवो अक्खो अत्थव्वावण-भोयणगुणण्णिओ जेण ।
___ तं पड़ वट्टइ नाणं, जं पच्चक्खं तयं तिविहं ॥८९॥ જીવ “અર્થની વ્યાપ્તિ” અને “ભોજન (ભોગ)” સહિત હોવાથી અક્ષ કહેવાય છે; એવા તે જીવ પ્રત્યે, જે જ્ઞાન સાક્ષાત્ વર્તે છે, તે જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે, એ પ્રત્યક્ષજ્ઞાન ત્રણ પ્રકારે છે. ૮૯,
'અર્થવ્યાપને અને ભોજનગુણયુક્ત હોવાથી જીવ એટલે અક્ષ. તે પ્રત્યે સાક્ષાત્ ઇન્દ્રિયથી નિરપેક્ષ જે જ્ઞાન વર્તે, તે પ્રત્યક્ષજ્ઞાન. અર્થાત્ ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન. એ પ્રત્યક્ષજ્ઞાન અવધિ-મન:પર્યવ-અને કેવળ એમ ત્રણ પ્રકારે છે. કારણ કે તે જ્ઞાન સાક્ષાત્ પરિચ્છેદક હોવાથી, આત્મા-પ્રત્યે સાક્ષાત્ વર્તે છે. ૮૯. મુખ્ય એવા પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ કહ્યા પછી હવે પરોક્ષનું સ્વરૂપ કહે છે.
अक्खस्स पोग्गलकया, जं दबिन्दिय-मणा परा तेणं ।
तेहिंतो जं नाणं, परोक्खमिह तमणुमाणं व ॥१०॥ અક્ષ એટલે આત્મા, તેનાથી ભિન્ન એવા પુદ્ગલરૂપ જે દ્રવ્યેન્દ્રિય અને મન, તે વડે - તેઓ વડે – અથવા તે થકી જે જ્ઞાન થાય, તેને અહીં અનુમાનની પેઠે પરોક્ષજ્ઞાન માન્યું છે. ૯૦.
૧. સ્વાદિગણનો “અશ” ધાતુ વ્યાપ્તિ અર્થમાં વપરાય છે. તે અર્થને અનુસાર આત્મા જ્ઞાનાદિ વડે સર્વ પદાર્થમાં વ્યાપી રહે છે, તેથી તે જીવ “અક્ષ” કહેવાય, અથવા ક્રયાદિ ગણનો “અશ” ધાતુ ભોજન અર્થમાં વપરાય છે. તે અર્થ પ્રમાણે સમસ્ત ત્રિભુવનમાં રહેલા દેવલોક સમૃદ્ધિ આદિ અર્થોને જે ભોગવે છે તે “અક્ષ” કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org