________________
ભાષાંતર
પ્રત્યક્ષપરોક્ષ જ્ઞાનવિચાર
[૫૫
દ્રવ્યેન્દ્રિય અને મન એ પુદ્ગલમય હોવાથી, આત્માથી ભિન્ન છે, તેથી જ તે ઈન્દ્રિયોને મનથી ઉત્પન્ન થતાં મતિ અને શ્રુતજ્ઞાન, આત્માને સાક્ષાત્ નથી થતાં, માટે તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. જેમ અનુમાનથી પરોક્ષજ્ઞાન થાય છે, તેમ આ બંને જ્ઞાન પણ આત્માને સાક્ષાતુ નથી અને પુદ્ગલ દ્વારા થાય છે માટે પરોક્ષ છે. તાત્પર્ય એ છે કે, જીવ અપૌલિક હોવાથી અમૂર્ત છે અને દ્રવ્યન્દ્રિય તથા મન પૌગલિક હોવાથી મૂર્તિ છે. અમૂર્તથી મૂર્ત ભિન્ન જ હોય છે, તેથી પૌગલિક ઇન્દ્રિય અને મનથી થયેલું જે મતિ અને શ્રુતજ્ઞાન, તે પરનિમિત્તવાળું હોવાથી ધૂમથી થતા અગ્નિના જ્ઞાનની જેમ પરોક્ષ છે. ૯૦. - હવે જે વૈશષિક વિગેરે મતવાળા અક્ષનો અર્થ ઈન્દ્રિય કહે છે, અને ઈન્દ્રિયથી ઉત્પન્ન થતાં જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે, અને તે સિવાયના જ્ઞાનને પરોક્ષ માને છે, તેનું ખંડન કરવા આચાર્ય શ્રી કહે છે કે –
केसिंचि इंदिआइं, अक्खाइं तदुवलद्धि पच्चको ।
तं नो ताइं जमचेअणाइं जाणंति न घडो ब्ब ॥११॥ કેટલાક અક્ષ એટલે ઈન્દ્રિયો અને તે ઈન્દ્રિયોને થયેલ જે જ્ઞાન, તેને પ્રત્યક્ષ માને છે; પણ તેમ નથી કેમકે ઈન્દ્રિયો ઘટની જેમ અચેતન હોવાથી જાણતી નથી. ૯૧.
કેટલાક વૈશેષિકાદિ દર્શનવાળાઓ “અક્ષ” એટલે ઇન્દ્રિયો એમ કહે છે, પણ અક્ષનો અર્થ “જીવ” માનતા નથી, તેથી તેઓ ઈન્દ્રિઓને થતી સાક્ષાત્ ઘટાદિ પદાર્થની જે ઉપલબ્ધ-જ્ઞાન તેને પ્રત્યક્ષ તરીકે માને છે, અને તે સિવાયના જ્ઞાનને પરોક્ષ પ્રમાણ તરીકે માને છે. તેઓનું તે મંતવ્ય યોગ્ય નથી. કેમકે ઘટાદિની જેમ ઈન્દ્રિઓ અચેતન હોવાથી વસ્તુ સ્વરૂપને જાણી શકતી નથી. જે જે અચેતન છે, તે તે સર્વ ઘટાદિની જેમ વસ્તુ સ્વરૂપ જાણતાં નથી. ઈન્દ્રિઓ પણ અચેતન છે, એટલે તેમને જ્ઞાન કયાંથી થાય ? ને જો ઈંદ્રિયથી જ્ઞાન જ થતું નથી, તો પછી ઈન્દ્રિયોથી થતા જ્ઞાનને પ્રત્યક્ષ કેમ કહેવાય ? ઈન્દ્રિયો મૂર્તિમાન્ તથા સ્પર્શઆદિ સહિત હોવાથી જ્ઞાનશૂન્ય છે.
ઇન્દ્રિઓને સાક્ષાત ઘટ પટ આદિ પદાર્થોનું જ્ઞાન થાય છે, અને એ વાત સૌ કોઈ જાણે પણ છે. માટે ઈન્દ્રિયો જાણતી નથી એમ કહેવું તે પ્રત્યક્ષ વિરોધી છે, તે પ્રશ્નના ઉત્તરમાં -
उवलद्धा तत्थाऽऽया, तविगमे तदुवलद्धसरणाओ।
गेहगवक्खोवरमे वि, तदुवलद्धाऽणुसरिया वा ॥१२॥ - ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને આત્મા ઇન્દ્રિયોના અભાવમાં પણ યાદ કરી શકે છે, જેમ ઘરના ગવાક્ષમાંથી જોયેલ પદાર્થનું સ્મરણ ગવાક્ષના અભાવમાં પણ જીવ કરી શકે છે. ૯૨.
૧. જેઓને મતે ઈન્દ્રિયોથી થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે, તેઓના મતે ઈશ્વરનું જ્ઞાન તેમજ મનના વ્યાપાર વિના પણ થતું યોગિઓનું જ્ઞાન અપ્રમાણ થશે, અને તેઓનાં જે શાસ્ત્રો, જીવ, મોક્ષ, પુણ્ય, પાપ આદિને જણાવનાર છે, તે બધાં કલ્પિત થશે, કારણ કે જીવાદિ પદાર્થો કોઈ પણ પ્રકારે ઈન્દ્રિયોથી જણાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org