________________
પદ ]
પ્રત્યક્ષપરોક્ષ જ્ઞાનવિચાર
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
ઈન્દ્રિયો સાધનરૂપે વ્યાપાર કરે છે, પણ વસ્તુ સ્વરૂપજાણનાર તો આત્મા છે, ઇન્દ્રિયો નથી. કારણ કે ઈન્દ્રિઓના અભાવમાં પણ ઈન્દ્રિયોથી ઉપલબ્ધ એવા અર્થોનું સ્મરણ થાય છે. જેમ સાધનભૂત એવી ગૃહની બારીમાંથી જાણેલ સ્ત્રી આદિ પદાર્થ ગૃહની બારી બંધ કર્યા પછી પણ તે પદાર્થને જાણનાર દેવદત્ત આદિ તેનું સ્મરણ કરે છે; તેમ અહીં પણ જાણવું. એટલે ઈન્દ્રિય કે તેનો વ્યાપાર ન હોવા છતાં પણ ઈન્દ્રિયોપલબ્ધ અર્થનું જે સ્મરણ કરે છે, તે ત્યાં જ્ઞાતા છે. જેમ ગૃહની બારીમાંથી જાણેલ અર્થને બારી બંધ થયા પછી, પણ દેવદત્તઆદિ યાદ કરે છે તેવી જ રીતે ઈન્દ્રિયોપલબ્ધ અર્થને ઇન્દ્રિયનો અભાવ થયા છતાં પણ આત્મા યાદ કરે છે, માટે અર્થના સ્વરૂપને જાણનાર આત્મા જ છે. ઈન્દ્રિયો અર્થને જાણનાર હોય, તો ઈન્દ્રિયનો અભાવ થયા બાદ, એ અર્થનું સ્મરણ કોને થાય ? એકે જાણેલા અર્થનું બીજાને સ્મરણ થાય, એ વાત યુક્તિસંગત ન ગણાય. અને જો એમ માનીએ તો અતિપ્રસંગ થાય. માટે જ અમે કહીએ છીએ કે ઇન્દ્રિયોપલબ્ધ અર્થનું ઇન્દ્રિયનો અભાવ થયા બાદ પણ સ્મરણ થાય છે, તેથી અર્થને જાણનાર ઇન્દ્રિયો નથી પણ આત્મા છે. અને એજ વાત સિદ્ધ થાય છે. અને આમાં બાધકપણે બીજાઓએ કહેલો અનુભવરૂપ હેતુ, તે તો ઉપરોક્ત અનુમાનથી બાધિત હોવાને લીધે બ્રાન્તિરૂપ છે.
પશ્ન :- “ઈન્દ્રિયો સ્વતંત્રપણે જાણે છે' એમ કોનું મંતવ્ય છે ? અમે તો એમ કહીએ છીએ કે ઈન્દ્રિય અને મનના નિમિત્તે આત્માને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ છે. કેમકે આત્મા મન સાથે જોડાય છે, મન ઈન્દ્રિય સાથે જોડાય છે અને ઇન્દ્રિય અર્થ સાથે જોડાય છે.
ઉત્તર :- જો એમ છે, તો પરનિમિત્તે થતું હોવાથી, આ જ્ઞાન અનુમાનની પેઠે પરોક્ષ થયું. પ્રત્યક્ષ ક્યાં થયું ? જ્ઞાન શૂન્ય ઇન્દ્રિયો, જ્ઞાનના નિમિત્તરૂપે સાક્ષાત્ ઉપયોગમાં આવતી હોવાથી, ઉપચારથી પ્રત્યક્ષતા કહેતા હો તો “ઈન્દ્રિયોપલબ્ધિઃ પ્રત્યક્ષ” અર્થાત્ ઇન્દ્રિય વડે થયેલું જ્ઞાન, તે પ્રત્યક્ષ એવું લક્ષણ અહીં ઘટતું નથી. કેમકે ઉપલબ્ધિ-જ્ઞાન તો જીવને થાય છે. જો સંવ્યવહારમાત્રથી જ આને પ્રત્યક્ષ કહેતા હો, તો અમે પણ તેમ તો માનીએ છીએ. અને હમણાં જ તેનું પ્રતિપાદન કરીશું.
આ પ્રમાણે ઇન્દ્રિયમનોનિમિત્તક જ્ઞાનની પરોક્ષતા પ્રતિપાદન કરીને, અનુમાનના પ્રયોગદ્વારા તે જ વાત દઢ કરવા આચાર્યશ્રી કહે છે -
इंदिय-मणोनिमित्तं परोक्खमिह संसयादिभावाओ ।
तक्कारणं परोक्खं जहेह साभासमणुमाणं ॥१३॥ ઇન્દ્રિયમનોનિમિત્ત જે જ્ઞાનમાં સંશયાદિ હોવાથી, તે પરોક્ષ છે, વળી સાભાસ અનુમાન અને સત્ય અનુમાનની જેમ ઈન્દ્રિયો કારણ હોવાથી પણ પરોક્ષ છે. ૯૩.
ઇન્દ્રિય અને મનના નિમિત્તથી આત્માને જે જ્ઞાન થાય છે, તે પરોક્ષ છે. કેમકે તે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી સંશય વિપર્યય અનધ્યવસાય અને નિશ્ચય પણ થાય છે. કારણ કે સાભાસ અનુમાન અને સત્ય અનુમાનનું કારણ ઈન્દ્રિયો અને મન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org