SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦] નોઆગમથી દ્રવ્યમંગળ [ વિશેષાવશયક ભાષ્ય ભાગ. ૧ मंगलपयत्थजाणयदेहो, भव्बस्स वा सजीवोऽत्ति । नोआगमओ दव्वं, आगमरहिओ त्ति जं भणिअं ॥४४॥ મંગળપદાર્થને જાણનારનું (જીવરહિત) શરીર અથવા ભવિષ્યમાં મંગળપદનાં અર્થને જાણશે એવા બાલકનું સજીવ શરીર, તે બન્ને આગમ એટલે મંગલના જ્ઞાન રહિત હોવાથી, તે બન્ને નોઆગમથી દ્રવ્યમંગળ કહેવાય. ૪૪. જેણે ભૂતકાળમાં મગંળપદનો અર્થ યથાર્થ જાણ્યો હોય અને પ્રરૂપ્યો હોય, તેનો નિર્જીવદેહ, અથવા જે ભવિષ્યમાં મંગળપદનો અર્થ યથાર્થ જાણશે તેવા બાલકનો સજીવદેહ, એ ઉભય શરીર તે ભાવમંગળના ભૂત ભાવિ નથી કારણ હોવાથી, નો આગમથી દ્રવ્યમંગળ કહેવાય છે, કેમકે તે બન્નેમાં વર્તમાન ક્ષણે આગમ એટલે મંગલપદાર્થના જ્ઞાનનો સર્વથા અભાવ છે. જે ઘડામાં આગળ ઘી ભરીને ખાલી કરી નાખ્યું હોય, અથવા તો જે ખાલી ઘડામાં ઘી ભરવાનું હોય, તે બન્નેને ઘીના ઘડા કહેવામાં આવે છે, તે મુજબ અહીં સમજવું (અહીં નો શબ્દ સર્વ નિષેધાર્થમાં છે.) હવે નોઆગમદ્રવ્યમંગલમાં નોશબ્દને દેશનિષેધાર્થમાં ગણીને, તે શરીર અને ભવ્ય શરીરને નોઆગમથી દ્રવ્યમંગળ તરીકે સાધે છે. अहवा नो देसम्मी, नोआगमओ तदेगदेसाओ । भूयस्स भाविणो, वाऽऽगमस्स जं कारणं देहो ॥४५॥ અથવા નો શબ્દ- દેશનિષેધાર્થમાં છે, તેથી ભૂત યા ભાવિ આગમનું કારણ જે શરીર, તે નોઆગમથી દ્રવ્યમંગળ છે. કેમકે તે શરીર આગમ એટલે જ્ઞાનનું કારણ હતું અને થશે. ૪૫. ભૂત યા ભાવિ આગમનું કારણ જે અચેતન અથવા સચેતન શરીર, તે નોઆગમથી દ્રવ્યમંગળ છે. અહીં નોશબ્દ દેશનિષેધાર્થમાં સમજવો. ઉપરોક્ત ઉભયપ્રકારનું શરીર મંગળપદાર્થના જ્ઞાનરૂપ આગમનું કારણ છે, અને કારણ તે કાર્યના એક દેશમાં વર્તતું જ હોય છે, એમ સિદ્ધાંતનું મન્તવ્ય છે, તેથી સચેતન અથવા અચેતન શરીર, નોઆગમથી દ્રવ્યમંગળ છે. પ્રશ્ન :- આગમથી દ્રવ્યમંગળ પહેલાં કહ્યું છે, તેમાં અને આમાં શો તફાવત છે ? કારણ કે ત્યાં પણ આગમનું કારણ “આત્મા દેહ અને શબ્દ છે” એ વચનથી, શરીરને દ્રવ્યમંગળ કહ્યું છે અને અહીં પણ તે શરીરને જ દ્રવ્યમંગળ કહો છો. ઉત્તર :- પહેલાં જે આગમથી દ્રવ્યમંગળ કહ્યું છે તેમાં ઉપયોગરૂપ આગમ નથી પણ લબ્ધિરૂપ આગમ છે અને અહીં તો ઉપયોગ તથા લબ્ધિરૂપ ઉભયપ્રકારનું આગમ નથી. ફક્ત તે જ્ઞાનના કારણરૂપ શરીરમાત્રજ છે. એટલો એ આગમ થકી દ્રવ્યમંગળ અને શશરીર તથા ભવ્ય શરીરરૂપ નોઆગમથકી દ્રવ્યમંગળમાં તફાવત છે. હવે શરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત ત્રીજા ભેદનું સ્વરૂપ કહે છે. जायण-भब्बसरीराइरित्तमिह दबमङ्गलं होइ। जा मगल्ला किरिआ, तं कुणमाणो अणुवउत्तो ॥४६॥ જે ઉપયોગ રહિતપણે મંગળક્રિયા કરનારો હોય, તે જ્ઞશરીર અને ભવ્ય શરીર એ બેઉથી વ્યતિરિક્ત એટલે જુદો નોઆગમથી દ્રવ્યમંગળ થાય છે. ૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy