________________
ભાષાંતર
શબ્દાદિનયોથી મંગળનો વિચાર
[૨૯
જેમ વસ્તુ નથી, તેમ અતીત-અનાગત દ્રવ્યમંગળ પણ વસ્તુરૂપે નથી. વળી પરકીય વસ્તુ પણ વસ્તુરૂપ નથી, કેમ કે તેનાથી પણ પોતાનું પ્રયોજન સિદ્ધ નથી થતું. ઉદાહરણ તરીકે યજ્ઞદત્તનું ધન દેવદત્તના કાર્યમાં નહિ આવતું હોવાથી, નિષ્ફળ છે. તેમ બીજાએ કરેલું મંગળ પોતાને નિષ્ફળ છે. આટલા ઉપરથી સ્પષ્ટ થયું કે ઋજુસૂત્રને અતીત-અનાગત સિવાય વર્તમાનસમયે અને પોતાનું કરેલું જે દ્રવ્યમંગળ હોય, તેજ દ્રવ્યમંગળ રૂપે ઈષ્ટ છે.
શબ્દ-સમભિરૂઢ-અને એવંભૂત એ ત્રણ નવો ઋજુસૂત્ર કરતાં વિશુદ્ધ હોવાથી, આગમથી દ્રવ્યમંગળ માનતા જ નથી કારણ કે
जाणं नाणुवउत्तोऽणुवउत्तो वा न जाणई जम्हा ।।
जाणंतोऽणुवउत्तोति बिंति सद्दादओऽवत्थु ॥४२॥ (જે મંગળશબ્દો જાણે છે, તે ઉપયોગ રહિત નથી અને જે ઉપયોગ રહિત છે, તે જાણતો નથી. માટે શબ્દાદિનયો જાણતો હોય અને ઉપયોગ રહિત હોય, એવી રીતે પૂર્વના નયોએ માન્ય કરેલ દ્રવ્યમંગળને અવસ્તુજ કહે છે. ૪૨.
મંગળશબ્દ જાણતો હોય અને તેના ઉપયોગથી શૂન્ય હોય, તેને આગમથી દ્રવ્યમંગળ કહેવાય; પણ તેવા દ્રવ્યમંગળને શબ્દાદિ ત્રણનયો માનતા નથી. તેઓ કહે છે કે જે જાણે છે, તે ઉપયોગ રહિત નથી અને ઉપયોગ રહિત છે, તે જાણતો નથી. માટે તેવું દ્રવ્યમંગળ હોઇ શકે જ નહિ. કારણ કે
हेऊ विरुद्धधम्मत्तणा, हि जीवो ब्व चेअणारहिओ।
न य सो मगलमिटुं, तयत्थसुन्नो त्ति पावं व ॥४३॥ “જીવ છે અને તે ચેતના રહિત છે” એની જેમ “જાણકાર ઉપયોગ રહિત છે” એમ કહેવું તે વિરૂદ્ધધર્મવાળું હોવાથી, જાણકાર અને ઉપયોગ રહિત દ્રવ્યમંગળ અવસ્તુ જ છે. કારણ કે ઉપયોગ રહિત વક્તા, મંગળ નિર્જરાદિ અર્થથી શૂન્ય હોવાથી, પાપ જેમ ઈષ્ટ નથી, તેમ તેવું દ્રવ્ય મંગળ પણ આ નયોને ઈષ્ટ નથી. -
જીવ ચેતના રહિત છે, એમ કહેવું જેટલું વિરૂદ્ધ છે, તેટલું જ વિરૂદ્ધ “જાણે છે અને ઉપયોગ રહિત છે” એમ કહેવું તે છે. અથવા “મારી માતા વળ્યા છે” એ કથન જેમ વિરૂદ્ધ છે, તેમ આ “જાણકાર છે અને ઉપયોગ રહિત છે” એમ કહેવું, તે પણ વિરૂદ્ધ છે. માટે પૂર્વોક્ત દ્રવ્યમંગળ અસત્ છે (અવિદ્યમાન છે) ભલે જાણકાર છે, છતાં ઉપયોગ રહિત હોવાથી તે અમને મંગળરૂપે ઇષ્ટ નથી, કારણ કે તે તેવું ઉપયોગ રહિત જ્ઞાન પાપની માફક મંગળના કાર્યથી શૂન્ય છે. આ પ્રમાણે શબ્દાદિનો કેવળ ભાવમંગળને ગ્રહણ કરનારા હોવાથી, દ્રવ્યમંગળને ઇચ્છતાજ નથી.
આ રીતે નયઅનુસાર દ્રવ્યમંગળ વિચારીને આગમથી દ્રવ્યમંગળનો વિચાર પૂર્ણ કર્યો. હવે નોઆગમથી દ્રવ્યમંગળ કહે છે. તેમાં આગમથી દ્રવ્યમંગળ શરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તેમાં પ્રથમ શશરીર અને ભવ્ય શરીરનું સ્વરૂપ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org