________________
૩૫૮]
નોઆગમથી દ્રવ્યાવશ્યકમાં દષ્ટાંત.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
પાણી ગ્રહણ કરીને, પ્રતિક્રમણ કરતી વખતે મહાનું સંવેગી હોય તેમ દેખાવ કરતો અને કરેલા સર્વ દોષો ગુરૂ સમીપે પ્રગટ કરીને પ્રાયશ્ચિત લેતો હતો, ગુરૂ પણ તેને તે મુજબ પ્રાયશ્ચિત આપતા હતા. તે સાથે પ્રાયશ્ચિત આપતાં હંમેશાં કહેતા કે “અહો ! આ મુનિ કેવો ધર્મશ્રદ્ધાળુ મહાભાગ છે ! જે આ પ્રમાણે દુષ્કર એવી આલોચના કરીને સુખપૂર્વક પ્રાયશ્ચિત લે છે. ખરેખર સરળ હોવાથી એ મુનિ શુદ્ધ છે. કેમ કે દોષ સેવવો સહેલો છે પણ આલોચના કરવી તે મુશ્કેલ છે.” આવું જોઈને બીજા ભોળા સાધુઓ વિચારવા લાગ્યા કે ખરેખર આલોચના કરવી એ જ સાધ્ય છે. દોષો સેવવામાં અડચણ નથી અને જો એ પ્રમાણે હંમેશાં નહિ કરવા યોગ્ય કાર્ય કરીને આલોચના કરીએ તોપણ કંઈ દોષ નથી. કેમકે તેની આલોચના કરવાથી શુદ્ધિ કરી દુષ્કરકારી થઈ શકાય છે' આવા વિચારથી પ્રાયઃ આખા ગચ્છમાં “આલોચવું પણ અનાચાર સેવવાં' એવી મૂર્ખતા પ્રસરી ગઈ.
એ પ્રમાણે અવિધિએ વર્તતા કેટલોક કાળ ગયો, તેવામાં તે ગચ્છમાં કોઈ બીજા વિદ્વાન મુનિ પ્રાહુણા તરીકે આવ્યા, તેમણે તે સર્વ અવિધિ જોઈને વિચાર્યું કે અરેરે આ મૂર્ખ ગુરૂએ આખા ગચ્છનો નાશ કર્યો. આ વિચારથી તેમણે તે ગુરૂને કહ્યું, કે હે મુનિ ! તમે આ નિત્ય દોષ સેવનાર સાધુનાં આ પ્રમાણે વખાણ કરો છો, તેથી ગિરિનગરવાસી લોકો અને રાજાની પેઠે દુઃખ પામશો.
અભણ ગુરૂ :- એ કેવી રીતે ?
વિદ્વાન મુનિ :- ગિરિનગર નામે એક શહેર હતું, તેમાં એક ક્રોડાધિપતિ વણિક રહેતો હતો; તે વણિક અગ્નિદેવનો ભક્ત હોવાથી દર વર્ષે રત્નોથી એક ઓરડો ભરીને તે ઓરડો અગ્નિથી સળગાવી દેતો. તેને તે પ્રમાણે કરતો જોઈને તે નગરવાસી લોકો અને રાજા તેની પ્રશંસા કરતા હતા. કે અહો ! આ શેઠની અગ્નિદેવ ઉપર કેવી ભક્તિ છે ? કે જે દરવર્ષે અગ્નિદેવને આ પ્રમાણે રત્નોથી તૃપ્ત કરે છે. આવી રીતે પ્રશંસા થવાથી તે શેઠ વધારે આદરથી એજ પ્રમાણે અગ્નિદેવને તૃપ્ત કરવા લાગ્યો. એમ કરતાં એક વખત મહાજોરાવર પવનથી આખા નગરમાં અગ્નિ ફેલાયો, જેથી રાજમહેલ સહિત સર્વ નગર ભસ્મીભૂત થઈ ગયું. જ્યારે એવો મહા અનર્થ થયો ત્યારે રાજાએ અને લોકોએ વિચાર્યું કે અરેરે આપણે એ શેઠને એ પ્રમાણે કરતાં પહેલાથી જ કેમ ન રોકયો ? અને તેની પ્રશંસા શા માટે કરી ? જો એ પ્રમાણે કરતાં આપણે એને પ્રથમ જ રોક્યો હોત, તો આપણો આ આવો વખત અત્યારે ન આવત.” આ પ્રમાણે ઘણો જ પશ્ચાત્તાપ કરીને તે વણિકને દંડ કરી તેને નગર બહાર કાઢી મૂકયો.
એ પ્રમાણે તે આચાર્ય ! તમે પણ આ અવિધિએ વર્તતા સાધુની પ્રશંસા કરવાથી પોતાનો અને ગચ્છનો ઉભયનો નાશ કરો છો. માટે આ સાધુને તેમ કરતાં અટકાવો. જેથી મથુરાનગરીના લોક અને તેના રાજાની પેઠે સર્વ સુખી થાઓ. અને જેથી તમે અનર્થ ભજવાવાળા ન થાઓ.
આચાર્ય :- એ કેવી રીતે ?
વિદ્વાનમુનિ :- સાંભળો. મથુરાનગરીમાં પણ અગ્નિદેવનો ભક્ત કોઈ ધનવાન વણિકે રત્નથી ભરેલા ઘરને સળગાવવાનો આરંભ કર્યો, એટલે તે નગરવાસી લોકોએ અને રાજાએ તેને દંડ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org