SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ભાવ આવશ્યકનું સ્વરૂપ. [૩૫૯ તિરસ્કારપૂર્વક કહ્યું કે જો તારે અગ્નિદેવને તૃપ્ત કરવા હોય, તો અરણ્યમાં જઈને ઘર કરીને શા માટે એમ નથી સળગાવતો ? એમ કહીને તે શેઠને નગર બહાર કાઢયો. તેથી એ સઘળા અગ્નિના અનર્થથી બચીને સુખી થયા. એ પ્રમાણે હે આચાર્ય ! તમે પણ આ સાધુને ગચ્છ બહાર કાઢીને પોતાને તથા ગચ્છને મહાઅનર્થથી બચાવો. આવી ઘણી યુક્તિઓથી એ આચાર્યને શીખામણ આપી, પણ ગુરૂ અભણ(અગીતાર્થ) અને આગ્રહી હોવાથી તેમજ અધર્મી હોવાથી પોતાની અયોગ્ય પ્રવૃત્તિથી (ન નિવર્ત્યા) તે સાધુને અટકાવ્યો નહિ. એટલે એ વિદ્વાન પ્રાણા મુનિએ ગચ્છના બીજા સાધુઓને કહ્યું કે હે મહાભાગ્ય મુનિઓ ! આવા અભણ ગુરૂના તાબે રહેવાથી હવે સર્યું; તેમનો ત્યાગ કરીને અન્ય સ્થળે જાઓ, નહિ તો તમને સર્વને અનર્થ પ્રાપ્ત થશે. વિદ્વાન મુનિના ઉપદેશથી તે સાધુઓએ તેમનો ત્યાગ કર્યો. આવા પ્રકારના ગચ્છાવાળાનું જે આવશ્યક તે નોઆગમથી લોકોત્તર દ્રવ્યઆવશ્યક કહેવાય છે. તે દ્રવ્યઆવશ્યક ઉદાહરણ પૂર્વક કહ્યું. ૮૬૮. હવે ભાવઆવશ્યક કહીશું. તે ભાવ આવશ્યક આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. તેજ વાત કહે છે. आगमओ भावावासयं, तदत्थोवओगपरिणामो । नोआगमओ भावे, परिणामो नाण- किंरियासु ॥८६९ || આવશ્યકના અર્થના ઉપયોગ રૂપ પરિણામ તે આગમથી ભાવ આવશ્યક છે, અને જ્ઞાન-ક્રિયા ઉભયનો પરિણામ તે, નોઆગમથી ભાવ આવશ્યક છે. (અહીં નોશબ્દ મિશ્રઅર્થમાં સમજવો.) ૮૬૯. ઉપરોક્ત નોઆગમથી ભાવઆવશ્યક ત્રણ પ્રકારે છે. તે કહે છે. लोइय लोउत्तरियं कुप्पावयणं च तं समासेणं । लोकोत्तरं पसत्यं सत्थे तेणाहिगारोऽयं ॥ ८७०। લૌકિક-લોકોત્તર-અને કુપ્રાવચનિક. એમ ત્રણ પ્રકારે સંક્ષેપથી નોઆગમભેદમાં ભાવ આવશ્યક છે. તેમાં લોકોત્તર ભાવાવશ્યક શ્રેષ્ઠ છે. તેનો જ આ શાસ્ત્રમાં અધિકાર છે. ૮૭૦. નોઆગમથી ભાવ આવશ્યક લૌકિક-લોકોત્તર-અને કુપ્રાવનિક એમ ત્રણ પ્રકારે છે આવો અનુક્રમ પૂર્વે વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યકમાં પણ કહ્યો છે, અને ભાવ-આવશ્યકમાં તો અનુયોગદ્વારસૂત્રમાં બંધની અનુકૂળતાદિ કોઈ હેતુ વડે કરીને લૌકિક-કુપ્રાવચનિક અને લોકોત્તર એવો અનુક્રમ કહ્યો છે. તેમાં દિવસના પૂર્વ ભાગમાં ભારત અને પાછલા ભાગમાં રામાયણ વાંચવું ઇત્યાદિ જે લોકમાં પ્રચલિત છે, તે નોઆગમથી લૌકિક ભાવ આવશ્યક છે, અને મંત્રપાઠાદિપૂર્વક યજ્ઞ, અંજલિ, હોમાદિ કરવા, તે કુપ્રાવચનિક ભાવાવશ્યક છે, તથા ઉપયોગ પૂર્વક આવશ્યક શ્રવણ કરવું પડિલેહણ આવર્તાદિ ક્રિયામિશ્ર ઉભયકાળ મુખે મુહપતિ રાખીને, આવર્ત કરવા પૂર્વક વન્દનાદિ સૂત્રોરૂપ આવશ્યક સૂત્ર બોલવા, તે લોકોત્તર ભાવ આવશ્યક છે. એ પ્રમાણે સઘળે ઠેકાણે જ્ઞાનક્રિયાની મિશ્રતા વિચારવી. આ ત્રિવિધ નોઆગમથી ભાવ આવશ્યકમાં લોકોત્તર ભાવાવશ્યક ખરેખર અનુપમ મોક્ષ સુખની પ્રાપ્તિમાં હેતભૂત હોવાથી લોકોત્તર ભાવ આવશ્યક જ શ્રેષ્ઠ છે. અને તેનો જ અહીં શાસ્ત્રમાં અધિકાર છે. ૮૭૦. હવે આવશ્યકનાં પર્યાયનામો (જુદા જુદા નામો) કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy