________________
- ભાષાંતર]
આચાર્ય અને શિષ્યની યોગ્યતાનાં દાંત.
[૫૧૯
વિનાજ ગ્રહણ કરો.’ આ રીતે શિષ્યને કહે તે આચાર્ય અયોગ્ય છે, એવા આચાર્યની પાસેથી શ્રુત ગ્રહણ કરવું નહીં. કેમકે તેવા આચાર્ય સંશયાદિનું નિશ્ચય પૂર્વક સમાધાન કરી શકતા નથી, તેથી મિથ્યાત્વ પામવાનો પ્રસંગ આવે છે. એવા આચાર્ય વ્યાખ્યાન આપવાને અયોગ્ય છે, અને પૂર્વે કહેલા મુગ્ધ મનુષ્યની પેઠે વગર વિચારેલું શ્રુત ગ્રહણ કરનાર શિષ્ય પણ અયોગ્ય છે. પરન્તુ જે આચાર્ય અતિગંભીર હોય, અને આક્ષેપ-પરિહારના પ્રસંગમાં પારંગત હોય(શંકાનું યથાર્થ સમાધાન કરવામાં નિપૂણ હોય.) તે આચાર્ય વ્યાખ્યાન આપવાને તથા શ્રુત સંભળાવવાને યોગ્ય છે, અને શિષ્ય પણ તેજ શ્રુતગ્રહણ કરવાને સાંભળવાને યોગ્ય છે કે જે વિચાર કરવા યોગ્ય વસ્તુમાં વિચાર કરનાર હોય, તેમજ કદાઝહરહિત હોય. ૧૪૩૫-૧૪૩૬-૧૪૩૭. બીજું ચન્દનકથાનું ઉદાહરણ કહે છે.
जो सीसो सुत्तत्थ, चंदणकंथं व परमयाईहिं । मीसेइ गलियमहवा, सिक्खियमाणेण स न जोग्गो ॥१४३८।। कंथीकयसुत्तत्थो, गुरूवि जोग्गो न भासियवस्स ।
अविणासियसुत्तत्था, सीसा-यरिया विणिहिट्ठा ॥१४३९।। જે શિષ્ય સૂત્ર અને અર્થ ભૂલી જવાથી અથવા પોતાના શિક્ષિતપણાના અભિમાનથી કોઇને ન પૂછતાં તે સૂત્ર કે અર્થને ચંદનકંથાની પેઠે પરમતાદિ અથવા અન્યગ્રંથાદિવડે મિશ્ર કરે, તે શિષ્ય અનુયોગ સાંભળવાને લાયક નથી; એ પ્રમાણે ગુરૂ પણ સૂત્રાર્થને મિશ્ર કરનાર હોય, તો તે પણ અનુયોગ કહેવાને લાયક નથી, પરંતુ જે સૂત્રાર્થને મિશ્રિત કરીને નાશ ન કરે, તે શિષ્ય અને આચાર્ય અનુયોગ સાંભળવાને તથા કહેવાને યોગ્ય છે. ૧૪૩૮-૧૪૩૯.
દ્વારકાધિપતિ કૃષ્ણ વાસુદેવ પાસે દેવતાથી પ્રાપ્ત થએલી ગોશીષ ચંદનની ચાર ભેરીઓ હતી. તેમાંની એક ભેરી, જયારે કોઇ યુદ્ધ પ્રસંગ આવે ત્યારે વગાડાતી તેથી તે સાંઝામિકી ભરી કહેવાતી. બીજી ભેરી જ્યારે કોઈ પ્રયોજન આવે ત્યારે સામંતઅમાત્ય વિગેરે લોકોને જણાવવાને માટે વગાડાતી તે ઔદુભૂતિકી ભરી. ત્રીજી ભેરી કૌમુદી મહોત્સવ જેવા ઉત્સવ વખતે લોકોને ઉત્સવ જણાવવાને વગાડાતી તે કૌમુદીકા ભેરી કહેવાતી. ચોથી ભેરી છ છ મહીનાના અંતરે વગાડાતી. તે ચોથી ભેરીનો પ્રભાવ એવો હતો. કે જે કોઈ મનુષ્ય તે ભેરીનો શબ્દ સાંભળે, તેના અતીત કાલના છ માસ સંબંધી ઉપદ્રવ શાન્ત થઇ જતા, અને અનાગતકાલમાં છ મહિના સુધી નવા થતા નહિં. અહીં પ્રસ્તુતમાં આ ચોથી ભેરીની વાત જ ઉપયોગી છે, તેથી તેની ઉત્પતિ પ્રથમ જણાવવી જોઇએ.
એક વખત સૌધર્મ દેવલોકમાં સર્વ દેવોની સભામાં ઇન્દ્ર મહારાજે કૃષ્ણ વાસુદેવની પ્રશંસા કરતાં કહ્યું કે “અહો ! હે દેવો તમે જુઓ, કૃષ્ણ વાસુદેવ જેવા સત્પરૂષો લાખો દોષો છતાં પણ તેમાંથી જે ગુણ હોય તેને ગ્રહણ કરે છે, અને નીચ યુદ્ધથી કોઇ સાથે યુદ્ધ કરતા નથી.” ઇન્દ્ર મહારાજે કરેલી આ પ્રશંસાને એક દેવ નહિ માનતો વિચારવા લાગ્યો, કે “શું બીજાના દોષ ગ્રહણ કર્યા સિવાય કોઇ રહી શકે ? એ શું સંભવિત છે? એમ હોય શકે જ નહિ. આવો વિચાર કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org