SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૦] ગુણદષ્ટિમાં કૃષ્ણનું દષ્ટાંત. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તે દેવ ત્યાંથી નીકળીને, એક બીભત્સ, કૃષ્ણવર્ણિ, અતિ દુર્ગધવાળું શ્વાનનું શબ વિકવ્યું, અને તેના મુખમાં મચકુન્દના પુષ્પ જેવા અતિ ઉજ્જવળ દાંતની પંક્તિ બનાવી. આવા પ્રકારનું શ્વાનનું શબ દ્વારાવતીની બહાર જાહેર રાજમાર્ગમાં મૂક્યું. તે વખતે ભગવન્ત નેમિનાથને વન્દન કરવાને તેજ માર્ગે થઇને સૈન્ય સહિત કૃષ્ણ મહારાજ ચાલ્યા. એવામાં પેલું દુર્ગધ પૂર્ણ બીભત્સ શ્વાનનું શબ જોઇને તેના દુર્ગધથી વાસુદેવનું બધું સૈન્ય એ માર્ગ તજીને બીજે માર્ગે ચાલ્યું, પણ વાસુદેવ તો પુગલોનાં સ્વરૂપનું વિવિધ પ્રકારે ચિંતવન કરતાં તેજ માર્ગે ચાલ્યા અને તે શબ જોઈને મોટપણવડે બોલ્યા કે “અહો ! જાઓ તો ખરા ! અતિકોમળ કૃષ્ણ વસ્ત્રાચળમાં મુક્તાવલીની પેઠે નિર્મળ કાન્તિ યુક્ત દાંતની પંક્તિ આ શ્વાનના મુખમાં કેવી શોભે છે ?' વાસુદેવના આ વચનથી પરીક્ષા કરવા આવેલ પૂર્વોક્ત દેવને પ્રતીતિ થઈ કે “જે દેવેન્દ્ર કહ્યું હતું કે “દોષ ગ્રહણ ન કરે ' તે સત્ય છે. ખરેખર મહાપુરૂષો બીજાના ગુણોનેજ જુએ છે, પણ દોષ તરફ તો દષ્ટિ સરખી નાંખતા નથી.' આ બનાવ બન્યા પછી પરીક્ષા કરવાને એજ દેવે વાસુદેવના અતિવલ્લભ અશ્વરત્નનું હરણ કર્યું. અથરત્ન છોડાવવાને તેની સામે જે સૈન્ય ગયું, તે સર્વને તેણે જીતી લીધું. છેવટે વાસુદેવ પોતે તે લેવાને તેની પાછળ ગયા. દેવે કહ્યું, “મારી સાથે યુદ્ધ કરીને મને જીતો તો તમારા અશ્વને લઇ જાઓ; તે સિવાય લઇ શકશો નહિ.” કૃષ્ણ મહારાજે કહ્યું “ઘણી ખુશીથી આપણે યુદ્ધ કરીએ, પરંતુ હું રથમાં આરૂઢ છું, અને તે રથ વિનાનો છે, માટે તું પણ રથ લઈ રથમાં આરૂઢ થા, એટલે આપણે સમાનપણે યુદ્ધ કરીએ. જો રથ તને અનુકૂળ ન હોય, તો અશ્વ અથવા હસ્તિપર આરૂઢ થા.' દેવે આમાનું એક પણ વાહન ઇચ્છયું નહી, ત્યારે હરીએ કહ્યું કે તમે કહો તેમ, ત્યારે દેવે કહ્યું કે આપણે પરાડમુખવાળા થઈને પૂતઘાત (પાછલા પગે પાટું મારી વુડનો ઘા કરવો તે) વડે યુદ્ધ કરીએ. આથી વાસુદેવે તેને કહ્યું કે જો એમજ તારો અભિપ્રાય હોય, તો હું તારાથી જીતાયો છું, કેમકે એવા નીચયુદ્ધથી હું કદી પણ યુદ્ધ કરતો નથી, ખુશીથી અશ્વ લઈ જા.” | વાસુદેવના આવા વચનથી તેને બરાબર પ્રતીતિ થઇ, તેથી દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યોવાસુદેવ ! તમારા પૈર્યથી હું પ્રસન્ન થયો છું, માટે કંઈ વરદાન માગો, દેવનું દર્શન નિષ્ફળ નથી હતું,' વાસુદેવે કહ્યું કે જો તમારી એવી ઇચ્છા હોય, તો ઉપદ્રવ શાન્ત કરનાર મહાભેરી આપો.' દેવે તેમને તે આપી. પછી પોતાનું આગમન કારણ જણાવીને તે દેવ દેવલોકમાં ચાલ્યો ગયો. તે ભેરી છ છ મહીનાના અને વગાડાતી. તે ભેરીનો શબ્દ જે કોઈ સાંભળતું તેના અતીત ને અનાગત સંબંધી છ મહિનાના વ્યાધિ વિગેરે ઉપદ્રવ શાન્ત થઇ જતા.(છ મહિનાના મટી જતા ને છ મહિના સુધી નવા થતા નહીં) - એક વખત દૂર દેશાવરથી ભેરીનો પ્રભાવ સાંભળીને એક વણીક જે દાહજવરથી અતિશય પીડાતો હતો તે ત્યાં આવ્યો. રસ્તામાં વિલંબ થવાથી ભેરી વાગવાને દિવસે આવી શક્યો નહિ, તેથી તેં ભેરીના રક્ષણ કરનારને કહેવા લાગ્યો કે-“ભાઈ ! જો તું મને આ ભેરીમાંથી ચંદનનો એક ટુકડો આપે તો હું તને દસ લાખ સોનામહોરો આપું.” દ્રવ્યના લોભથી ભરીક્ષકે તેમાંથી એક ટુકડો આપ્યો, અને બીજા ચંદનના ટુકડાથી તે છિદ્ર પૂરી નાખ્યું. આ પ્રમાણે બીજાઓને પણ ભેરીમાંથી ટુકડા આપીને, બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy