________________
૧૨૪]
મન અપ્રાપ્યકારી છે.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
ઉત્તર:- જાગ્રત અવસ્થામાં જેમ કોઈ મનુષ્ય પોતે વિચારેલા સુખદુઃખાનુભવ આદિના જ્ઞાનથી હર્ષ અથવા ખેદ પામે છે. તેમ સ્વપ્રવિજ્ઞાનથી પણ હર્ષ-વિષાદ આદિ થાય, તેનો અમે નિષેધ નથી કરતા, કારણ કે દષ્ટ વસ્તુનો નિષેધ કરી શકાય નહિ. પરન્તુ સ્વપ્રમાં થયેલ પીડારૂપ વધ, સાંકળ આદિથી બંધાવારૂપ બંધન, તથા જળ અને અગ્નિ પ્રવેશથી ભીંજાવું-બળવું વિગેરે થતું નથી. જો એ સ્વપ્રગત ભોજનાદિ ક્રિયાના ફલરૂપ તૃપ્તિ આદિ થતાં હોય, તો જ મનની વિષય પ્રાપ્તિરૂપ પ્રાપ્યકારિતા ઘટી શકે, પરન્તુ તેમ થતું નથી માટે મનની પ્રાપ્યકારિતા નથી. ૨૨૭.
પ્રશ્ન :- સ્વાનુભૂત ક્રિયાનું ફળ જાગ્રત અવસ્થામાં પણ જણાય છે. ઉદાહરણ તરીકે સ્વપ્રમાં અનુભવેલા સ્ત્રી-પુરૂષના સંગમ રૂપ સુરત ક્રીડાથી થતો વીર્યવિસર્ગ, જાગ્યા પછી કેટલાકને પ્રત્યક્ષ જણાય છે. જેમ વાસગૃહમાં સ્ત્રીસંગમથી વીર્યવિસર્ગ જણાય છે. જયાં વીર્યવિસર્ગ જણાય ત્યાં સ્ત્રીસંગ થયો હોવો જોઇએ, એવો સામાન્ય નિયમ છે. તેથી સ્વમાનુભૂત સુરતક્રીડાજન્ય વીર્યવિસર્ગ જોવાથી અનુમાન કરાય છે, કે આને સ્વપ્રમાં યુવતી સાથે સુરત ક્રીડા થઈ છે. આ પ્રમાણે સ્વમની ક્રિયાનું ફળ જાગ્રત થયા પછી પણ જણાય છે, તેથી વિષય પ્રાપ્તિ રૂપ મનની પ્રાપ્યકારિતા ઘટી શકે છે. ૨૨૮.
ઉત્તર :- વીર્યવિસર્ગ જણાયાથી સ્ત્રીસંગમ જ થયો છે, એમ કહેવું તે એકાન્ત સત્ય નથી, સ્ત્રીસંગમ સિવાય પણ સ્વમમાં હું “તેને આલિંગન કરું છું.” આવા સ્વમતિકલ્પિત તીવ્ર અધ્યવસાયથી પણ વિસર્ગ થાય છે. કેટલાક તીવ્રમોટવાળા પ્રબળ-વેદોદય યુક્ત પુરૂષને, જાગતા છતાં પણ કોઇ યુવતીનું અતિશય રાગથી ચિત્તવન કરતાં, તેને પ્રત્યક્ષ જોતો હોય તેમ સ્વબુદ્ધિથી આલિંગન કરી, તેને ભોગવતો હોય તેમ માનતાં, તીવ્ર અધ્યવસાયથી વીર્યવિસર્ગ થાય છે. તેવી જ રીતે સ્વપ્રમાં પણ સ્ત્રીસંગ સિવાય સ્વકલ્પિત તીવ્ર અધ્યવસાયથી વીર્યવિસર્ગ થાય છે. જો એમ ન હોય તો જાગ્યા પછી તરત જ તે પુરૂષને તે સ્ત્રી જણાવી જોઇએ, અને સ્વાનુભૂત નખ-દાન્તના થત વિગેરે ચિન્હો પણ જણાવા જોઈએ. પરંતુ તેમાંનું કંઈ જણાતું નથી. ૨૨૯.
વળી સ્વપ્રગત સુરતક્રીડાથી થયેલ વીર્યવિસર્ગ, જો સ્ત્રીસંગમથી જ થયો હોય, તો તે ભોગવેલી સ્ત્રીને “મેં અમુક પુરૂષ સાથે રતિક્રિડા અનુભવી” એવી પ્રતીતિ થવી જોઇએ. તથા રતિસુખ-ગર્ભધારણ-ઉદરવૃદ્ધિ-દોહદ થવા-પુત્ર પ્રાપ્તિ વિગેરે તે સ્ત્રીને થવું જોઈએ, પણ તેવું કંઈ થતું નથી. તેથી તે સ્વપ્રગત સુરતક્રીડા નિષ્ફળ છે; કારણ કે સ્વપ્રમાં સ્ત્રીની પ્રાપ્તિ પૂર્વક વિશિષ્ટ સુરત ક્રીડા નથી, તેમ ગર્ભધારણાદિ રૂપ વિશિષ્ટ ફળ પણ નથી, પરન્તુ તીવ્ર વેદોદય વડે ઉત્પન્ન થયેલ અધ્યવસાય માત્રથી કરાયેલ જે સુરતક્રીડા, તેનું માત્ર વીર્યવિસર્ગરૂપ જ ફળ છે; પણ ગર્ભાધાનાદિ રૂપ વિશિષ્ટ ફળ નથી. એ વિશિષ્ટ ફળના અભાવે તે ક્રિયા નિષ્ફળ છે, અને તેથી મનને પણ વિષય પ્રાપ્તિરૂપ પ્રાપ્યકારિતા નથી. ૨૩૦.
नणु सिमिणओऽवि कोई, सच्चफलो फलइ जो जहा दिट्टो । नणु सिमिणम्मि निसिद्धं, किरिया किरियाफलाइं च ॥२३१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org