________________
ભાષાંતર]
મન અપ્રાપ્યકારી છે.
[૧૨૩
અવસ્થામાં પણ થાય છે, તેમ સ્વપ્રમાં પણ તીવ્ર અધ્યવસાયથી વીર્યવિસર્ગ થાય છે. જો એમ ન હોય તો સ્વમ સમાગમથી યુવતિને સુરતપ્રતિપતિ-રતિસુખ-ગર્ભાધાનાદિ થવાં જોઈએ. પણ તેમ થતું નથી, માટે તે નિષ્ફળ છે. ૨૨૪ થી ૨૩૦.
મારૂં મન અમુક સ્થળે ગયું” એવા પ્રકારનું જે સ્વપ્ર સુતેલા માણસને અનુભવાય છે, તે તેવા પ્રકારે પદાર્થ હોય, તો સત્ય હોય, પણ તેમ નથી. જેમ ઉંબાડીયું ગોળાકાર શીધ્ર ભમાડતા ચક્રરૂપ નહિ છતાં ચક્રરૂપે જણાય છે, અને ભમાડવાનું બંધ થતાં જેવું મૂળ સ્વરૂપે છે, તેવું જણાય છે. તેમ સ્વમમાં મન વડે જાણેલ મેરૂગમન આદિ અર્થ સત્ય નથી. કેમકે જાગ્યા પછી તે પદાર્થ હોતા નથી, અને તે તે પદાર્થનો અભાવ, તે અવસ્થામાં શરીરની અંદરની અંદર રહેલા મનને અનુભવાય છે.
સ્વાવસ્થામાં મન મેરૂઆદિ સ્થાનપર જાય છે, અને જાગ્રત અવસ્થામાં પાછું ફરે છે, એમ કહેવામાં આવે, તો તે પણ અસત્ય છે. કારણ કે જેમ કોઇ મનુષ્ય સ્વપ્રમાં પોતાને મેરૂ આદિ સ્થાને ગયેલું જુએ છે, વળી કોઇ પોતાના શરીરને નન્દન વનમાં પુષ્પ ચુંટતું પણ જુએ છે. આ સઘળું સત્ય નથી, કેમ કે અહીં રહેલાઓ તે સ્વપ્રસ્થ વ્યક્તિને અહીં જે જુએ છે. એ સુતેલ વ્યક્તિનાં બે રૂપ તો હોઈ શકે નહિ, જેમાંથી એકરૂપ અહીં હોય અને બીજું સ્વપ્રગત મેરૂઆદિ સ્થાન પર હોય. વળી સ્વપ્રાવસ્થામાં શરીર બહાર જતું હોય, તો સ્વપ્રગત અનુભવથી પુષ્પની સુગંધ પ્રાપ્તિ અને રસ્તે જવાથી ઉત્પન્ન થતા પરિશ્રમ આદિરૂપ અનુગ્રહ-ઉપઘાત થવા જોઈએ, તે પણ જાગ્યા પછી જણાતા નથી. તેથી એવો નિશ્ચય થાય છે કે નિદ્રાવસ્થામાં પણ મન અન્ય સ્થળે જતું નથી. ૨૨૫.
પ્રશ્ન :- જાગ્યા પછી સ્વાગત અનુભવથી અનુગ્રહ-ઉપઘાત જણાતા નથી, એમ આપ કહો છો, તે યોગ્ય જણાતું નથી. કેમકે સ્વમમાંથી જાગ્યા પછી કોઈક પુરૂષને હર્ષ-વિષાદ-ઉન્માદમધ્યસ્થપણું વિગેરે પ્રગટ જણાય છે, એ સ્વપ્રાવસ્થામાં જિનસ્નાત્ર આદિ જોવાથી થયેલું સુખ, અને ઇષ્ટ અર્થનો લાભ નહિ થવાથી થયેલું દુઃખ તે અનુક્રમે રાગ-દ્વેષના ચિન્હો છે. ઉદાહરણ તરીકે - “આજે મને સ્વમ આવ્યું -મેરૂ પર્વત ઉપર, બત્રીશ ઇન્દ્રો વડે પરસ્પર સ્પર્ધાથી, ત્રિભુવન પૂજય, દર્શન માત્રથી પ્રાણીઓનાં ભયને હરનાર, એવા પ્રાર્શ્વનાથ ભગવાનનાં જન્મ મહોત્સવ રૂપે સ્નાન કરાવતાં સાક્ષાત્ જોયા. તેથી મને લાગે છે. મારા કરતાં મારા નેત્રો વધુ ભાગ્યશાળી છે.” આવા પ્રકારનો હર્ષ તે સ્વપ્રમાં અનુભવેલા સુખના રાગનું ચિન્હ છે. તથા
ત્રણગઢ, સૂર્યથી પણ અધિક તેજસ્વી મણીયુક્ત મોટા તોરણથી શોભતી, પ્રભુની સમવસરણ ભૂમિમાં દેવેન્દ્રો પ્રભુને નમી રહ્યા છે, ત્યાં હું પ્રવેશ કરૂં છું એટલામાં મારી અધમ નિદ્રા ઉડી ગઇ.” ઇત્યાદિ પ્રકારનો વિષાદ તે સ્વપ્ર અવસ્થામાં અનુભવેલા દુઃખના દ્વેષનું ચિન્હ છે. વળી અતિશય કામથી સામાન્ય જીવને ઉન્માદ થાય છે, અને મુનિને મધ્યસ્થતા રહે છે. સ્વાવસ્થા અંગે આવા પ્રકારના બનાવથી અનુગ્રહ-ઉપઘાત જાગ્યા પછી પણ જણાય છે, તેનું કેમ ? ૨૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org