________________
છે છે ૩
| શ્રીપરમાત્મને નમઃ | શ્રીમસ્જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત
વિશેષાવકભાષ્ય
તથા માલધારી શ્રી હેમચંદ્રસૂરિકૃત શિષ્યહિતા નામની
વૃત્તિના અનુસાર ગુજરાતી ભાવાનુવાદ श्रीसिद्धार्थनरेन्द्रविश्रुतकुलव्योमप्रवृत्तोदय:, सद्बोधांशुनिरस्तदुस्तरमहामोहान्धकारस्थितिः । द्रप्ताशेषकुवादिकौशिककुलप्रीतिप्रणोदक्षमो
નાયારત્નતપ્રતાપતા શ્રી વર્ધમાન બિન શા. શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના પ્રસિદ્ધ કુળરૂપ આકાશમાં ઉદય પામેલ, તથા દુઃખે જીતી શકાય એવા મહામોહરૂપ અધકારનો, સર્બોધ (કેવળજ્ઞાન) રૂપ કિરણોથી નાશ કરનાર, તથા બધા અભિમાની કુવાદિરૂપ ઘુવડના સમૂહના આનંદનો નાશ કરવામાં સમર્થ એવા અખ્ખલિત પ્રતાપી સૂર્ય સમાન શ્રી વર્ધમાન જિનેશ્વર જય પામો.
येन क्रमेण कृपया श्रुतधर्म एष, आनीय माद्रशजनेऽपि हि संप्रणीतः । श्रीमत्सुधर्मगणभृत्प्रमुखं नतोऽस्मि, तं सूरिसंघमनघं स्वगुरश्च भक्त्या ॥२॥
આ શ્રુતધર્મ અનુક્રમે લાવીને દયાથી મારા જેવા મનુષ્યને જેઓએ આપ્યો, તે શ્રીમાન સુધર્મગણધર આદિ પવિત્ર આચાર્યોની પરંપરાને તથા મારા ગુરૂને હું ભક્તિથી નમું છું.
आवश्यकातिनिबद्धगभीरभाष्यपीयूषजन्मजलधिर्गुणरत्नराशि: । ख्यातः क्षमाश्रमणतागुणत: क्षितौ यः, सोऽयं गणिर्विजयते जिनभद्रनामा ॥३॥
આવશ્યક સૂત્રના ગંભીર ભાષ્યરૂપ અમૃતને ઉત્પન્ન કરવામાં સમુદ્ર સમાન, ગુણરૂપરત્નોના સમૂહને ધારણ કરનાર, અને ક્ષમાશ્રમણપણાના ગુણથી પૃથ્વીમાં જે પ્રસિદ્ધ થયા તે આ. શ્રી જિનભદ્રગતિમાશ્રમણ મહારાજા ઉત્કર્ષવાનું છે-જયવંતા વર્તે છે.
यस्याः प्रसादपरिवर्धितशुद्धबोधाः, पारं व्रजन्ति सुधियः श्रुततोयराशेः । सानुग्रहा मयि समीहितसिद्धयेऽस्तु, सर्वज्ञशासनरता श्रुतदेवताऽसौ ॥४॥
- જેઓ એક અથવા તેથી વધારે પૂર્વના શ્રતને ધારણ કરનાર હોય તેઓને ક્ષમાશ્રમણ, વાચક, દિવાકર, આદિ વિશેષણો લાગુ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org