________________
૭૮]
મતિશ્રુતનો વિશેષ વિચાર
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧
આ સ્થળે મતિ-શ્રુતનો ભેદ વિચારવાનો છે, આથી કેટલાક આચાર્યો આ ૧૨૮મી ગાથાનો અર્થ, તે સંબંધી છે એમ કહે છે. ભાગ્યકાર મહારાજ પણ પછીથી એજ પ્રમાણે અર્થ કરશે. પરંતુ હમણાં તો ચાલતા વિષયમાં દ્રવ્યઆદિશ્રુતનો વિચાર ચાલે છે, તેથી તદનુસાર વ્યાખ્યા કરે છે. શ્રુતરૂપ બુદ્ધિથી ગ્રહણ કરાતા અભિલાપ્ય પદાર્થો બુદ્ધિદષ્ટ અર્થ કહેવાય, તેવા બુદ્ધિદષ્ટ પદાર્થો ઘણા છે; પરંતુ તેમાંથી જે પદાર્થોને વક્તા શ્રતઉપયોગરૂપ અતિસહિત બોલે છે, તે ઉભયશ્રુત છે. અર્થાત્ શ્રુતાત્મક બુદ્ધિએ ગ્રહણ કરેલા અર્થોમાંથી જે અર્થોને શ્રુતાત્મક બુદ્ધિથી ઉપયુક્ત એવો વક્તા બોલે, તે દ્રવ્ય અને ભાવકૃતરૂ૫ ઉભયશ્રુત થાય છે. “જે માસ” (જે બોલે છે)” આ વચનથી દ્રવ્યશ્રુત કહ્યું, તથા “દિદિ ૩ ચે” અને “મયિ ” (મતિ સહિત બુદ્ધિદષ્ટ અર્થ જાણે.) એ વચનથી ભાવશ્રુત કહ્યું. આ પ્રમાણે ૧૧૭મી ગાથામાં કહેલા ઉભયશ્રુતનું સ્વરૂપ છે. વળી જે ભાવો પ્રથમ શ્રુતબુદ્ધિએ જોયેલા હોય અને પછીથી અભ્યાસના બળથી ઉપયોગ રહિત કોઈ બોલે તો તે દ્રવ્યદ્ભુત છે. જે ભાવો માત્ર શ્રુતબુદ્ધિથી જણાય છે, અને તે મનમાં સ્ફરતા છતાં પણ બોલાય નહિ તે ભાવઠુત છે. આટલું કહેવાથી દ્રવ્યશ્રુત કર્યું ? અને તે કેવી રીતે થાય છે એ પ્રશ્નનો વિચાર થયો.
હવે ભાવશ્રુતનો કયો અંશ દ્રવ્યાદિ શ્રુતપણે પરિણમે છે? એ પ્રશ્નનો વિચાર કરીએ. દ્રવ્યશ્રુત અને ઉભયશ્રત કરતાં ભાવશ્રુત અનન્તગણુ છે; કારણ કે વાણી અનુક્રમે પ્રવર્તે છે, અને આયુષ પરિમિત છે; તેથી ભાવશ્રુતના વિષયભૂત સર્વ અર્થોના અનંતમા ભાગને જ વક્તા બોલી શકે છે. આ ઉપરથી એ સિદ્ધ થયું કે ભાવશ્રુતનો અનન્તમો ભાંગ જ દ્રવ્યશ્રુત તથા ઉભયશ્રુત રૂપે પરિણમે છે. આ બાબત આગળ વિસ્તારથી કહેવાશે તેથી અહીં વધારે નથી કહેતા. આ પ્રશ્ન - ઉપયોગ સહિત જે ભાવોને બોલે તે ઉભયશ્રત, અને જે ભાવોને ઉપયોગરહિત બોલે તે દ્રવ્યશ્રુત, એમ આપે કહ્યું; પણ જે ભાવોને કોઈ બોલતું નથી, માત્ર શ્રુતબુદ્ધિવડે જુવે જ છે, તેમાં પણ દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુત કેમ નથી કહેતા ?
ઉત્તર :- “જે બોલાય છે તે શ્રુત” એમ કહેવાથી તેના પ્રતિયોગીરૂપ અભાષમાણ અવસ્થામાં થનારું ભાવશ્રુત જ “ઈતરત્ર” શબ્દથી વાચ્ય છે. એટલે કે ભાવશ્રુતમાં દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુતરૂપતા ત્યારે થાય, કે જ્યારે ઉપલબ્ધિ સમાન બોલાય. (જેટલી વસ્તુઓની ઉપલબ્ધિ થાય તેટલીને ઉપયોગ સહિત અથવા ઉપયોગ રહિત બોલે તો ભાવશ્રુતમાં દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુત રૂપતા મનાય.) પરંતુ એમ થતું નથી, કેમકે હૃતોપલબ્ધિથી ઉપલબ્ધ થયેલા અર્થો અનન્તા છે. વાણી ક્રમવર્તી છે, અને આયુષ પરિમિત છે; તેથી શ્રુત્રોપલબ્ધિથી ઉપલબ્ધ થયેલા અભિલાપ્ય ભાવોમાંથી માત્ર અનન્તમો ભાગ જ વક્તા આખા જીવનમાં બોલી શકે. માટે ઉપયોગરહિત બોલતાં દ્રવ્યશ્રુત અને ઉપયોગ સહિત બોલતાં ઉભયશ્રુત થાય. પણ સર્વ ભાવૠતમાં દ્રવ્યશ્રુત કે ઉભયશ્રુતરૂપતા ન થાય, કારણ કે તે સર્વ બોલી શકાય જ નહિ. ૧૨૭-૧૨૮.
હવે ભાષ્યકાર મહારાજ એ બન્ને ગાથાઓનો અર્થ પોતાના તથા બીજાના અભિપ્રાય પ્રમાણે કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org