SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨] પાંચ ચારિત્રનું સ્વરૂપ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કષાયના ક્ષયથી-ઉપશમથી-અથવા ક્ષયોપશમથી પ્રથમના ત્રણ (સામાયિક-છેદોપસ્થાપનીયઅને પરિહારવિશુદ્ધિ) નામનાં ચારિત્રો પ્રાપ્ત થાય છે, અને સૂક્ષ્મસં૫રાય તથા યથાખ્યાતચારિત્ર (ઉપશમ શ્રેણિમાં) કષાયના ઉપશમથી, અને (ક્ષપક શ્રેણિમાં) કષાયના ક્ષયથી પ્રાપ્ત થાય છે. (અર્થાત્ આ બે છેલ્લા ચારિત્રો ક્ષયોપશમથી થાય નહિ.) ૧૨૫૭. આપે પૂર્વે ૧૨૫૪મી ગાથામાં કહ્યું છે, કે તેના આ પાંચ પ્રકાર છે. તેમાં માત્ર શું સામાન્ય ચારિત્ર વાચક તત્ શબ્દ છે, કે બાર કષાયના ક્ષય આદિથી, હમણાં જે ચારિત્ર કહ્યું તેને કહેનાર છે ? તેના ઉત્તરમાં કહે છે. लब्भइ चरितलाभो, खयाइओ बारसह नियमोऽयं । न उ पंचविहनियमणं, पंच विसेसत्ति सामण्णं ।। १२५८ ।। जं तिण्णि बारसहं, लब्धंति खयाइओ कसायाणं । सुमं पण्णरसहं, चरिमं पुण सोलसण्हंपि ।। १२५९।। બાર કષાયોના ક્ષયાદિથી ચારિત્રનો લાભ થાય છે, એવો નિયમ છે, પણ બાર કષાયના ક્ષયથી પાંચ પ્રકારના ચરિત્રનો લાભ થાય છે, એવો નિયમ નથી. કારણ કે બાર કષાયના ક્ષયાદિથી પ્રથમનાં ત્રણ (સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહાર વિશુદ્ધિ) ચારિત્રની પ્રાપ્તિ થાય છે, પંદર કષાયના ક્ષયાદિથી સૂક્ષ્મસંપરાય ચારિત્ર પ્રાપ્ત થાય છે. અને સોળે કષાયનાં ક્ષયાદિથી છેલ્લું (યથાખ્યાત) ચારિત્ર પ્રાપ્ત થાય છે માટે એ પાંચ ભેદ સામાન્ય ચારિત્રનાં છે. ૧૨૫૮-૧૨૫૯. એ પાંચ ચારિત્રોનું સ્વરૂપ કહે છે. (૪૪) સામાત્ત્વત્થ પઢમં, છેોવટ્ટાવળ મને વીર્ય । પરિહારવિસુન્દ્રીય, સુન્નુમ સહ સંપરાયું = ૨૬૦ની ( ११५) तत्तो य अहक्खायं खायं सव्वंमि जीवलोयम्मि । નં ચરિઝ સુવિદિયા, વાંતડયા-માં ડાળે ॥૨૬॥ પહેલું સામાયિક ચારિત્ર છે, બીજું છેદોપસ્થાપનીય, ત્રીજું પરિહારવિશુદ્ધિક, ચોથું સૂક્ષ્મસંપ૨ાય અને પાંચમું સર્વ જીવલોકમાં પ્રસિદ્ધ એવું યથાખ્યાત નામનું ચારિત્ર છે. જે પાંચમા ચારિત્રને આચરીને સુવિહિત સાધુઓ અજરામર-મોક્ષ સ્થાન પામે છે. ૧૨૬૦-૧૨૬૧. રાગ-દ્વેષરહિતપણું તે સમ અથવા વિશુદ્ધિ, દરેક સમયે અપૂર્વ અપૂર્વ નિર્જરાના હેતુભૂત તે સમવિશુદ્ધિનો આય એટલે લાભ, તે સામાયિક (સર્વ સાવઘયોગની વિરતિ.) આ ઉપરથી સર્વ પણ ચારિત્રો સામાયિકજ છે, પરન્તુ છેદ આદિ વિશેષણોવડે અર્થથી અને નામથી ભિન્ન ભિન્નપણું પામે છે, આમાંનું પહેલું ચારિત્ર છેદાદિ વિશેષણ રહિત હોવાથી સામાન્યપણે સામાયિક ચારિત્ર કહેવાય છે. તેના બે ભેદ છે, એક ઇત્વરકાલિક અને બીજું યાવત્કથિક. ભરત-ઐરાવત ક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થની અંદર પંચમહાવ્રતનું આરોપણ ન કર્યું હોય, એવા શિષ્યને ઇત્વરકાલિક સામાયિક ચારિત્ર હોય છે; અને એજ ભરત-ઐરાવત ક્ષેત્રમાં મધ્યના બાવીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy