________________
ભાષાંતર]
કર્મની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ.
[૪૪૫
નામ અને ગોત્રકર્મની વીસકોડાકોડી સાગરોપમ, મોહનીયની સિત્તરકોડાકોડી સાગરોપમ અને બાકીના (જ્ઞાનાવરણ-વેદનીય અને અંતરાય) કર્મની ત્રીસકોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તથા આયુષ્યની તેત્રીસસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તથા જ્ઞાનાવરણ-દર્શનાવરણ આયુ-મોહનીયઅને અંતરાયકર્મની અન્તર્મુહૂર્તની, નામગોત્રની આઠ મુહૂર્તની, અને વેદનીયની બાર મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. ૧૧૮૭-૧૧૮૮.
અનિવૃત્તિબાદ૨ગુણસ્થાનકે વર્તનાર મહાત્મા મોહનીયનો જઘન્યસ્થિતિબંધ કરે છે તથા મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો આયુનો જઘન્ય સ્થિતિ બંધ કરે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય કર્મની જધન્ય સ્થિતિ સૂક્ષ્મ સંપરાયે બંધાય છે. અહીં જઘન્ય સ્થિતિ કહી છે, તે કષાયપ્રત્યયિક કહી છે, અને યોગપ્રત્યયિક વેદનીયની જઘન્ય સ્થિતિ ઉપશાંતમોહઆદિ ગુણસ્થાનકે એક સમયની પણ હોય છે. ૧૧૮૭-૧૧૮૮.
આ બધી કર્મપ્રકૃત્તિઓ ઉત્કૃષ્ટ સ્થિતિવાળી સાથે જ બંધાય છે કે એકનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થતાં, પછી બીજીનો પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે કે તેમાં કોઈ બીજી રીતે ઉત્કૃષ્ટ બંધ થાય છે ! તેનો ખુલાસો જણાવે છે -
मोहस्सुकोसाए, ठिईए सेसाण छण्हमुक्कोसा । आउस्सुकोसा वा, मज्झिमिया वा ना उ जहण्णा ।। ११८९ ।।
मोहविवज्जुक्कोसयठिईऍ मोहस्स सेसियाणं च ।
उक्कोस मज्झिमा वा, कासइ व जहण्णिया होज्जा ।।११९० ।।
મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે શેષ છ કર્મની તો ઉત્કૃષ્ટ સ્થિતિ જ બંધાય છે, અને આયુષ્યની ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિ બંધાય છે, પણ જધન્ય નથી બંધાતી, તથા મોહનીય સિવાયના કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિમાં, મોહનીયની અને બીજા કર્મોની ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિ બંધાય, અને કોઈકની જઘન્ય સ્થિતિ પણ બંધાય.
Jain Education International
જ્યારે મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય, ત્યારે શેષજ્ઞાનાવરણ દર્શનાવરણ-વેદનીય નામગોત્ર અને અન્તરાય, એ છ કર્મની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ જ હોય છે કારણ કે ઉત્કૃષ્ટ સંકલેશમાં મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. તેમાં વર્તનારો જીવ જ્ઞાનાવરણ આદિકર્મની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. તથા જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મોહનીયની સાથે ઉત્કૃષ્ટ નરકાયુ બાંધીને સાતમીપૃથ્વીમાં જીવ ઉત્પન્ન થાય, ત્યારે તે નરકાયુની અપેક્ષાએ આયુકર્મની પણ તેત્રીસ સાગરોમ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને જ્યારે છઠ્ઠી આદિ પૃથ્વીમાં ઉત્પન્ન થાય, ત્યારે આયુની મધ્યમ સ્થિતિ હોય છે, પણ જધન્ય નથી હોતી, કેમ કે એવા સંકલેશે વર્તનારો જીવ નરકમાંજ ઉત્પન્ન થાય છે, અને તેવાસંકલેશમાં વર્તનારને ક્ષુલ્લકભવપ્રમાણ એવી આયુની જધન્ય સ્થિતિ નથી હોતી. વળી ઉત્કૃષ્ટ સંક્લેશમાં દેવનારકી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું મોહનીય કર્મ બાંધીને તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે પણ આયુષ્યની જધન્ય સ્થિતિ નથી હોતી કેમકે ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્યસ્થિતિ આયુવાળા જીવોમાં દેવનારંકી ઉત્પન્ન નથી થતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org