________________
૪૬]
કર્મનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
મોહનીય સિવાય જ્ઞાનાવરણ આદિ કોઈપણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય, ત્યારે મોહનીયની અને અમુક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મથી બીજા કર્મની ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિ હોય છે. પણ જઘન્ય નથી હોતી. કેમ કે જયારે સર્વોત્કૃષ્ટ સંકલેશે વર્તનાર જીવ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધે ત્યારે શેષ મોહનીય આદિકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને જયારે સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સંકલેશમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણ આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ યોગ્ય સંકલેશમાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના કારણભૂત સંકલેશની અપેક્ષાએ મધ્યમ હોય છે, ત્યારે ત્યાં વર્તનાર જીવ મોહનીય કર્મ મધ્યમ સ્થિતિવાળું પણ બાંધે છે. અને દર્શનાવરણ તથા વેદનીય આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના કારણભૂત સંકલેશની અપેક્ષાએ તો, તે ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિવાળું બંધાય છે. ત્યાં ઉત્કૃષ્ટસંકલેશમાં દર્શનાવરણ આદિ કર્મો તીવ્રરસયુક્ત ઉત્કૃષ્ટસ્થિતિવાળા બંધાય છે, અને મધ્યમસંકલેશમાં મધ્યમસ્થિતિવાળા બંધાય છે, પણ જઘન્યસ્થિતિ તેમની ત્યાં નથી સંભવતી, કારણ કે મોહનીય અને દર્શનાવરણીય વિગેરે કર્મની જધન્યસ્થિતિ અન્તર્મુહૂર્નાદિ પ્રમાણ કહી અને તે સ્થિતિ તો અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મ સંપરાય ગુણઠાણે જ બંધાય છે, અને તે બે ગુણઠાણામાં રહેનાર જીવ જ્ઞાનાવરણ આદિકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કદિપણ ન કરે, પરંતુ મિથ્યાદૃષ્ટિ જ કરે, માટે જ્ઞાનાવરણ આદિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં મોહનીય અને દર્શનાવરણીય આદિની જઘન્ય સ્થિતિ નથી હોતી. કોઈક આયુકર્મની જઘન્ય સ્થિતિ હોય છે, પણ તે જયારે મનુષ્ય અથવા તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણ આદિકર્મ બાંધે ત્યારે તેમને જઘન્ય ક્ષુલ્લકભવનું આયુ બાંધતાં જઘન્યસ્થિતિ હોય છે. આ પ્રમાણે આ બે ગાથાની વ્યાખ્યા વૃત્તિકારે પોતાના જ્ઞાનના અનુસારે ઉત્કૃષ્ટ મધ્યમાદિબંધને અંગે કહી. એમાં જે પરમાર્થ-સત્ય હોય તે કેવળી અથવા બહુશ્રુત જાણે. ૧૧૮૯-૧૧૯૦. આ ઉપરોક્ત બંધની સ્થિતિના કારણથી;
सम्म-सुय-देस-सबब्बयाण सामाइयाणमेक्कं पि । उक्कोसठिई न लहइ, महाउए पुज्वलद्धाइं ॥११९१॥ सब्बजहण्णठिईओ वि, न लभए जेण पुवपडिवन्नो ।
आउयजहण्णठिइओ, न पवज्जंतो न पडिवन्नो ॥११९२।। સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિ સામાયિક એ ચારેમાંનું એક પણ સામાયિક ઉત્કૃષ્ટસ્થિતિવાળો જીવ ન પામે, પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુષ્યની અંદર વર્તતા અનુત્તરદેવાદિ કોઈકને પહેલાનું કોઈક સામાયિક હોય, અને બીજાઓને ન હોય. જ્ઞાનાવરણાદિ જંઘન્ય સ્થિતિવાળા પણ એ ન પામે, કેમકે તે પૂર્વે પામેલ હોય છે, અને જઘન્ય સ્થિતિવાળા આયુષ્યમાં પૂર્વે પામેલ પણ ન હોય, તેમ પામતા પણ ન હોય.
હવે સમ્યક્ત્વાદિની પ્રાપ્તિનું કારણ કહે છે. __ (१०६) सत्तण्हं पयडीणं, अभितरओ उ कोडिकोडीए ।
काऊण सागराणं, जइ लहइ चउण्हमन्नयरं ॥११९३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org