________________
ભાષાંતર
ઉપોદ્ઘાતરૂપ શાસનું મંગળ.
[૪૭
આયુસિવાયના સાતે કર્મની અંતઃકોડાકોડી સાગરોપમ (દરેક કર્મ પ્રકૃતિની એક કોડાકોડી સાગરોપમમાં કંઈક ન્યૂન) પ્રમાણ જો સ્થિતિ કરે, તો જ એ ચારમાંથી કોઈ એક પણ સામાયિક પામે. ૧૧૯૩. એજ અર્થ ભાષ્યકાર કહે છે.
अंतिमकोडाकोडीए, सव्वकम्माणमाउवज्जाणं ।
पलियासंखिज्जइमे, भागे खीणे हवइ गंठी ॥११९४॥ આયુ સિવાયના સર્વ કર્મોની અંતિમ કોડાકોડી સાગરોપમપ્રમાણ સ્થિતિમાંથી પલ્યોપમના અસંખ્યાતમાભાગપ્રમાણસ્થિતિ ક્ષય પામે એટલે ગ્રંથિદેશ પ્રાપ્ત થાય છે. ૧૧૯૪. ગ્રંથિ એટલે શું ? તે કહે છે.
गंठि त्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठि ब । - નવરસ મેળવો ઘારા-દોસપરિણામો છે?
કઠોર-નિબિડ-શુષ્ક-અને અત્યંત પ્રચય પામેલ વાંશની ગાંઠ જેમ દુર્ભેદ્ય હોય છે, તેવી કર્મજનિત એવા જીવના ગાઢ રાગદ્વેષના પરિણામરૂપ તે ગ્રંથિ પણ ઘણી જ દુર્ભેદ છે.
भिन्नम्मि तम्मि लाभो, सम्मत्ताईण मोक्नहेऊणं ।। सो य दुलहो परिस्सम-चित्तविघायाइविग्घेहिं ॥११९६॥ । सो तत्थ परिस्सम्मइ, घोरमहासमरनिग्गयाइ व्य ।
विज्जा य सिद्धिकाले, जह बहुविग्घा तहा सोऽवि ॥११९७॥ એ ગ્રંથિનો ભેદ થાય છે ત્યારે જ મોક્ષના હેતુભૂત સમ્યત્વાદિનો લાભ થાય છે. અને એ ગ્રંથિભેદ મનોવિઘાત તથા પરિશ્રમાદિવડે અતિદુર્લભ છે. કેમ કે ત્યાં ગ્રંથિભેદ કરવામાં પ્રવર્તેલ જીવ, મહાઘોર સંગ્રામમાંથી જય પામીને નીકળેલા સુભટની પેઠે પરિશ્રમ પામે છે, અથવા વિઘાસિદ્ધિ વખતે જેમ તે વિદ્યા ઘણા વિઘ્ન સિદ્ધ થાય છે, તેમ તે ગ્રંથિભેદ પણ મહામુશીબતે થાય છે. ૧૧૯૬-૧૧૯૭. અહીં શિષ્ય પૂછે છે કે –
कम्मढिई सुदीहा खविया, जह निग्गुणेण सेसंपि ।
स खवेउ निग्गुणो च्चिय, किंच पुणो दंसणाईहिं ? ॥११९८।। 'જો સમ્યક્ત્વાદિ ગુણ વિના પણ જીવે કર્મની ઘણી લાંબી-ઓગણોતેર કોડાકોડ સાગરોપમની સ્થિતિ ખપાવી, તો પછી શેષ બાકીની અંતઃકોડાકોડીની સ્થિતિ પણ તે મુજબ જ ગુણ સિવાય ખપાવે, (અને મોક્ષ પણ એજ પ્રમાણે પામે.) એમાં સમ્યગ્દર્શનનાદિ ગુણોનું શું પ્રયોજન છે ? ૧૧૯૮. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે -
पाएण पुव्वसेवा परिमउई साहणम्मि गुरुतरिया ।। होइ महाविज्जाए, किरिया पायं सविग्घा य ॥११९९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org