________________
૪૪૪]
સમ્યકત્વ પ્રાપ્તિમાં વિઘ્ન.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
એ સમ્યકત્વાદિની પ્રાપ્તિ શાથી થાય? કોને કોનું આવરણ છે? કોના આવરણનો કેવી રીતે ક્ષયોપશમ-ઉપશમ-અથવા ક્ષય થાય છે? અથવા તપનિયમાદિ વૃક્ષ પર જિનેશ્વર કેવી રીતે, કેવા હેતુએ, કેવા ક્રમવડે ચડ્યા ? અથવા હમણાં કહેવાશે તે જિનપ્રવચનની ઉત્પત્તિ એ જિનેશ્વરથી કેવી રીતે થઈ ? ૧૧૮૪.
निज्जुत्तिसमुत्थाणप्पसंगओ नाणतरुसमारोहो ।
वच्चइ य वक्खमाणा, समयं जिणपवयणुप्पत्ती ॥११८५।। ક્યા પુરૂષથી આ સામાયિક નિર્યુક્તિ નીકળી એમ નિર્યુક્તિના સમુત્થાન પ્રસંગ, થકી જે તપ-નિયમ જ્ઞાનરૂપ વૃક્ષારોહ પૂર્વે કહ્યો હતો તે, અને હમણાં કહેવાશે તે જિનપ્રવચનની ઉત્પત્તિ આ બન્ને સાથે જ કહેવાશે.
સમ્યક્ત્વાદિ નહિ પ્રાપ્ત થવાનું કારણ જણાવે છે. (१०५) अठ्ठण्हं पयडीणं, उक्कोसठिईए वट्टमाणो उ ।
जीवो न लहइ सामाइयं चउण्हंपि एगयरं ॥११८६॥ આઠ કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિએ વર્તમાન જીવ, ચાર પ્રકારના સામાયિકમાંનું એક પણ સામાયિક ન પામે. ૧૧૮૬.
જ્ઞાનાવરણીયાદિ. આઠકર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિએ વર્તમાન જીવ, સમ્યત્વ સામાયિકશ્રુતસામાયિક-દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક, એ ચારમાંથી એક પણ સામાયિક ન પામે. તેમજ મતિ આદિ જ્ઞાન પણ ન પામે. અને આયુ સિવાયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં તો પૂર્વે પામેલ વર્તતો પણ ન હોય. કારણ કે સમ્યક્ત્વ પામ્યા પછી તેનો ત્યાગ થાય, ત્યારે કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે, એમ કર્મગ્રંથનો અભિપ્રાય છે, અને સિદ્ધાન્તના અભિપ્રાયથી તો ગ્રંથિનો ભેદ કર્યા પછી ફરી ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતો જ નથી; અને આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન જીવ સમ્યક્ત્વ સામાયિક અને શ્રુતસામાયિક એ બે સામાયિક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતી વખતે પૂર્વે પામેલ હોય છે, પણ ત્યાં પામતા નથી. તેમજ આયુ સિવાય બાકીના સાત કર્મની જધન્ય સ્થિતિમાં વર્તમાન સૂક્ષ્મસંપરાયગુણઠાણાવાળા વિગેરે, સમ્યક્ત્વસામાયિક શ્રુતસામાયિક-અને સર્વવિરતિ સામાયિક એ ત્રણ પૂર્વે પામેલ હોવાથી ત્યાં કંઈપણ નવું નથી પામતા. વળી આયુની જઘન્ય સ્થિતિમાં વર્તનાર જીવ, પૂર્વે પામેલ નથી હોતા તેમ પામતા પણ નથી, કેમ કે આયુની જઘન્ય સ્થિતિ ક્ષુલ્લકભવપ્રમાણ છે. અને એ ક્ષુલ્લકભવવાળા જીવોને સમ્યકત્વાદિ નથી હોતા. તેમજ તેમનામાં સાસ્વાદનસમકિતનો પણ અભાવ હોય છે. ૧૧૮૬. આઠે કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ભાષ્યકાર કહે છે.
वीसमयरोवमाणं, कोडाकोडीउ नाम-गोयाणं । सयरी मोहस्स ठिई, सेसाणं तीसमुक्कोसा ॥११८७॥ आउस्स सागराइं, तेत्तीसं अवरओ मुहुत्तंतो । ૩ ય નામા-ગો, વેજા વારસ મુહુરા ૨૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org