________________
પ૩૬]
આભીરના દગંતનો ઉપનય.
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
જોવામાં તલ્લીન થએલા તે આ ઘડાને મેં ગ્રહણ કર્યા સિવાય મૂકી દીધો તેથી ભાંગી ગયો.”
સ્ત્રીના આવા વચનથી આભીર પણ ગુસ્સે થઇને બોલ્યો કે – હે રાંડ ! તું જે શહેરના યુવાનોના મુખ જોવામાં તલ્લીન થઈ ગઈ છે, તેથી ઘડો બરાબર ગ્રહણ કર્યો નહિ, એટલે ભાંગી ગયો.” આ પ્રમાણે પરસ્પર બોલવાથી બન્નેને કજીઓ થયો. આભીરે સ્ત્રીને મારી, બંનેના કજીયાથી બીજાં ઘી પણ ઢોળાયું, જે વધ્યું તે ટાઈમ પસાર થયા બાદ વેચવાથી મૂલ્ય પણ ઓછું આવ્યું. ઘી વેચવા આવેલા બીજા લોકો મોડું થવાથી ચાલ્યા ગયા, અને આ બે જણા એકલા જ રહ્યા. બન્ને જણા બીજા સાથ વિના જવા લાગ્યા, માર્ગમાં ચોરો મળ્યો, તેમણે ગાડી, બળદ, અને દ્રવ્ય, સર્વ લઈ લીધું. ૧૪૮૦. એ ઉદાહરણનો ઉપનય આ પ્રમાણે છે.
• मा निण्हव इय दाउं, उवजुज्जिय देहि किं विचिंतेसि ? ।
विच्चामेलियदाणे किलिस्ससी तं चऽहं चेव ॥१४८१॥ હે આચાર્ય ! એ પ્રમાણે આપીને હવે અસત્ય ન બોલો, ઉપયોગ રાખીને સૂત્રાર્થ આપો, શું વિચારો છો ? એમ અયોગ્ય સૂત્રાર્થ આપવાથી આપણે બન્ને કલેશ પામીએ છીએ. ૧૪૮૧.
સૂત્રાર્થની પુનરાવૃત્તિ કરતાં કંઇક વિપરીત બોલતા શિષ્યને જાણીને આચાર્ય તેની ભૂલ સુધારવાને શિખામણ આપે, ત્યારે મૂર્ખ શિષ્ય કહે કે “મહારાજ ! તમેજ મને એ પ્રમાણે શીખવ્યું છે, અને હવે શીખામણ શાની આપો છો ? એમાં તમારોજ દોષ છે. મને શાની શીખામણ આપો છો ? આથી આચાર્ય કહે કે “ભાઈ ! મેં તને એ પ્રમાણે નથી શીખવ્યું.' ત્યારે નાલાયક શિષ્ય કહે “ અરે મહારાજ ! તમે સાક્ષાત્ એ પ્રમાણે મને સૂત્રાર્થ આપેલ છે, ને હવે અસત્ય કેમ બોલો છો?' શિષ્યના એમ કહેવાથી આચાર્ય મહારાજ કંઈક મનમાં વિચાર કરે, એટલે પુનઃ તે નાલાયક શિષ્ય કહે કે “મહારાજ ! શું વિચારો છો ? સારી રીતે ઉપયોગ રાખીને સૂત્રાર્થ આપો. અસત્ય રીતે સૂત્રાર્થ આપવાથી તમે અને હું બન્ને કલેશ પામીએ છીએ. આ પ્રમાણે પોતાનો દોષ ન અંગીકાર કરતાં ગુરૂના દોષોજ કહે, તેથી આભીર યુગલની પેઠે ગુરુશિષ્યને પરસ્પર કજીઓ થાય, અને કજીઓ થવાથી વ્યાખ્યાનમાં અન્તરાય પડે, તથા સૂત્રાર્થની હાની વિગેરે દોષો પ્રાપ્ત થાય.
આના પ્રતિપક્ષમાં બીજાં ઉદાહરણ છે, કોઈ બીજો આભીર પોતાની સ્ત્રી સહિત ઘી વેચવાને નગરમાં ગયો. ત્યાં જઇને ઘડો સ્ત્રીને આપતાં પડીને ભાગી ગયો. આથી તેણે કહ્યું કે “ મેં ઉપયોગ વિના તને ઘડો આપ્યો, તેથી તે ફુટી ગયો' એમ કહીને એકદમ ગાડાં ઉપરથી ઉતરીને વેરાયેલું ઘી ઘડાની ઠીબમાં એકઠું કરવા લાગ્યો, તેની સ્ત્રીએ પણ એમ કહ્યું કે “મેં ઉપયોગ વિના બરાબર ઘડો ગ્રહણ ન કર્યો, તેથી તે ભાંગી ગયો.” એમ કહીને તે પણ તેની સાથે ઢોળાયેલું ઘી એકઠું કરવા લાગી. એમ અન્યોઅન્ય પોતાના દોષ ગ્રહણ કરવાથી કલેશ ન થયો, અને બંને જણ ઘી એકઠું કરીને વેળાસર વેચીને બીજા સાથની સાથે જલ્દીથી ઘેર ગયાં. આ પ્રમાણે ગુરૂશિષ્ય પણ જો પોતાના દોષ અંગીકાર કરીને પરના દોષ છુપાવે અને પરસ્પર વિવાદ ન કરે, તો તેજ સૂત્રાર્થ આપવા અને લેવાને યોગ્ય છે, તેમજ તે નિર્જરાદિ લાભના ભાગી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org