SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની મુખ્યતાનો પક્ષ. नाणं परंपरमणंतरा उ किरिया तयं पहाणयरं । जुत्तं कारणमहवा, समयं तो दोन्नि जुत्ताई ॥। ११३७॥ જ્ઞાન પરંપરાએ કાર્યને ઉપકાર કરે છે, અને ક્રિયા અનન્તર ઉપકાર કરે છે, તેથી તે ક્રિયાજ પ્રધાન કારણપણે યુક્ત છે, અને જો બન્ને એકી સાથે ઉપકાર કરતા હોય તો બન્ને પ્રધાન કારણ કહેવા યોગ્ય છે. ૧૧૩૭. ૪૩૨] જ્ઞાનથી ક્રિયા થાય છે, પણ તે ક્રિયાને તમે જ્ઞાનવાદી મોક્ષનું કારણ માનો છો કે નહિ ? જો ન માનતા હો, તો તેની અપેક્ષા વિના માત્ર જ્ઞાનથીજ મોક્ષ થવો જોઇએ, કેમકે જે કારણ નથી તેની અપેક્ષાની શું જરૂર છે ? અને ક્રિયા પણ કાર્યનું કારણ છે, એમ જો માનતા હો, તોकारणमंतं मोत्तुं, किरियमणंतं कह मयं नाणं ? । સહચારિત્તે ય દં, વ્હારળમેવ ન પુળરે ? |??રૂટી એમ છે તો આંતરા રહીતપણે ઉપકાર કરનાર ક્રિયારૂપ અન્ય કારણ મૂકીને જ્ઞાનરૂપ પરંપરાએ કાર્ય કરનારને કેમ માનો છો ? એ જણાવો, બન્ને સાથે કાર્યને ઉપકાર કરે છે. (એમ કહેતા હો તો) એક જ્ઞાનનેજ કારણ શા માટે કહો છો ? અને ક્રિયાને કારણ કેમ નથી કહેતા ? ૧૧૩૮, વળી - [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ गाइसमा संजमकिरिय, च्चिय नाणकारणा होज्ज । तीसे फले विवाओ, तं तत्तो नाणसहियाओ ।।११३९ ।। રાગાદિનોં ઉપશમ તે સંયમ ક્રિયાજ છે, અને તે ક્રિયાનું કારણ જ્ઞાન છે. તે ક્રિયાના ફળમાં વિવાદ છે કે જ્ઞાનથીજ મોક્ષ થાય છે ? ક્રિયાથી જ મોક્ષ થાય છે ? કે જ્ઞાન સહિત ક્રિયાથી થાય ? છે ? આમાં જ્ઞાનસહિત ક્રિયાથીજ થાય. ૧૧૩૯, Jain Education International રાગઆદિનો નિગ્રહ રૂપ સંયમ ક્રિયાજ છે બીજું કંઇ નથી. અને તે સંયમ ક્રિયા જ્ઞાનનું ફળ છે, એમ માનવામાં અમારે કોઇ વિરોધ નથી; પરન્તુ તે ક્રિયાના ફળ સંબંધમાં વિવાદ છે કે તેથી જે મોક્ષરૂપ ફળ થાય છે, તે માત્ર એકલા જ્ઞાનથીજ થાય છે ? અથવા એકલી ક્રિયાથીજ થાય છે ? એકલા જ્ઞાનથી મોક્ષ થાય છે, એમ તો નહિ કહી શકાય ? કેમકે જ્ઞાન પછી મોક્ષ પ્રાપ્તિ પહેલાં ક્રિયાની ઉત્પત્તિ તમે પણ માનો છો. 'વળી એકલી ક્રિયાથી પણ મોક્ષ નહિ કહી શકાય, કેમકે જ્ઞાનશૂન્ય ક્રિયા ઉન્મત્ત મનુષ્યની ક્રિયા જેવી છે, અને તેવી ક્રિયાથી પણ મોક્ષ પ્રાપ્તિ માનવાથી ગમે તે ક્રિયાથી મોક્ષ પ્રાપ્તિ થવી જોઇએ. માટે જ્ઞાનરહિત ક્રિયાથી મોક્ષ થાય એમ કહેવું તે પણ અયોગ્ય છે. અને તેથી ત્રીજો પક્ષ જ્ઞાનરહિત જે ક્રિયા, તેનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એમ કહેવું તેજ યોગ્ય છે. ૧૧૩૯. અને વળી परिजवणाई किरिया, मंतेसुऽवि साहणं न तम्मंत्तं । तण्णाणओ य न फलं, तं नाणं जेणमक्किरियं ॥११४०|| For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy