________________
ભાષાંતર]
ક્રિયાવાદનો ઉત્તરપક્ષ.
[૪૩૩
• મંત્રોમાં પણ જપ કરવારિરૂપે ક્રિયા છે, એકલું મંત્રજ્ઞાનજ કાર્ય સાધક નથી. જ્ઞાનથીજ તે ફળ થાય છે, એમ કહેતા હો તો) ના, જ્ઞાનનું તે ફળ નથી, કેમકે તે ક્રિયા રહિત છે. ૧૧૪૦.
વિષવિઘાત-આકાશગમનાદિના હેતુભૂત મંત્રોમાં પણ જાપ કરવો-સાધના કરવી વિગેરે મંત્રસહાયવાળી ક્રિયા કાર્યસાધક છે, કેવળ મંત્રજ કાર્યસાધક છે. એમ નહિ. અહીં કોઈ એમ કહે કે આ કથન તો પ્રત્યક્ષ વિરૂદ્ધ છે, કેમકે કોઇ વખત મંત્ર સ્મરણરૂપજ્ઞાન માત્રથી જ ઈષ્ટફળની સિદ્ધિ થાય છે. એના ઉત્તરમાં કહેવાનું કે મંત્રસ્મરણરૂપ જ્ઞાનનું જ એ ફળ નથી, કેમકે ક્રિયારહિત એકલું જ્ઞાન અમૂર્ત છે, અને જે ક્રિયારહિત અમૂર્ત હોય છે, તે આકાશની પેઠે કાર્ય કરતું નથી. અહીં જ્ઞાનને ક્રિયારહિત માન્યું છે, એટલે તે કેવી રીતે કાર્ય સાધક થાય ? જે કાર્ય સાધક હોય છે, તે કુંભારની પેઠે ક્રિયા સહિતજ હોય છે. તમારું માનેલું જ્ઞાન એવું નથી, એટલે તે એકલું કંઈપણ ન કરી શકે. આ કથન પ્રત્યક્ષ વિરૂદ્ધ પણ નથી, કારણ કે ક્રિયાની મદદ વિના એકલું જ્ઞાન કદિપણ ફળવાળું જણાતું નથી. ૧૧૪૦.
तो तं कत्तो भन्नइ, तं समयनिबद्धदेवओवहियं ।
किरियाफलं चिय जओ, न मंतनाणोवओगस्स ॥११४१॥ તો તે કાર્ય કોનાથી થાય છે? કહીએ છીએ કે તે કાર્ય સંકેતનિબદ્ધ દેવતાઓ કરે છે, તેથી તે ક્રિયાનું જ ફળ છે, મંત્રના જ્ઞાનોપયોગનું નથી. ૧૧૪૧.
અહીં કોઈ એમ પૂછે કે વિશ્વવિઘાત-આકાશગમનાદિ કાર્ય મંત્રજ્ઞાનથી નથી થતું, તો કોનાથી થાય છે ? તેના ઉત્તરમાં કહીએ છીએ કે તે કાર્ય મંત્રાધીન દેવોથી કરાએલું છે, કેવળ મંત્રજ્ઞાનનાઉપયોગનું જ એ ફળ નથી. તાત્પર્ય એ છે કે સંકેતપૂર્વક- જયાં જયાં દેવોના મંત્રો સંકેતમાં જોડાએલા હોય છે, ત્યાં ત્યાં તે તે દેવોથી કરાએલું કાર્ય, તેનું ફળ છે, અને દેવતાઓ સક્રિય હોવાથી એ કાર્ય ક્રિયાનું ફળ છે. એટલે ફક્ત જ્ઞાનોપયોગ માત્રનું જ ફળ છે એમ નહિ.
જ્ઞાનવાદી-દેવતાને આમંત્રણ કેવળ મંત્રોના સ્મરણરૂપ જ્ઞાનોપયોગથી થાય છે કે નહિ? જો થાય છે, તો શેષ બીજા કાર્યો પણ મંત્રજ્ઞાનોપયોગથી કેમ ન થાય ? અને જો એ પ્રમાણે દેવતાનું આમંત્રણ ન થતું હોય તો તેઓ અહીં આવીને આકાશગમનવિષવર્યાપહાર આદિ કાર્યો કેવી રીતે કરે છે ? - આચાર્ય :- મંત્રોના સ્મરણથી દેવતાનું આમંત્રણ થાય છે, પરંતુ એકલા મંત્રસ્મરણના જ્ઞાનોપયોગથી નથી થતું, પણ વારંવાર મંત્રનો જાપ પૂજન વિગેરે ક્રિયાની સહાયવાળા મંત્રસ્મરણથીજ તે આમંત્રણ થાય છે. ૧૧૪૧.
શું જ્ઞાન સર્વથા નિષ્ક્રિય છે? અથવા કોઈ વિશિષ્ટ ક્રિયાની અપેક્ષાએ નિષ્ક્રિય છે? એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય શ્રી કહે છે કે
वत्थुपरिच्छेयफलं, हवेज्ज किरियाफलं च तो नाणं । न उ निव्वत्तयमिटुं, सुद्धं चिय तं जओऽभिहियं ॥११४२।
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org