________________
પપ૬]
શેત્રાનનું યોગનું ઉદાહરણ.
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
मिच्छत्ताइतमाओ, स निग्गओ जह य केवलं पत्तो ।
तत्तो य जह पसूयं, सामइयं तं पवक्खामि ||१५४८।। મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિરૂપ અપ્રશસ્તભાવથી જીવનું નીકળવું-છૂટા પડવું, તે પ્રશસ્તભાવનિર્ગમ કહેવાય છે, કારણ કે તેથી મોક્ષપ્રાપ્તિના હેતુભૂત સમ્યકત્વાદિ ગુણો જીવને પ્રાપ્ત થાય છે. (અહીં સામાયિક અધ્યયન પ્રસ્તુત છે, તે ક્ષાયોપથમિક ભાવમાં હોય છે તેથી) અહીં પ્રશસ્ત ક્ષાયોપથમિક ભાવની શ્રીમાનું મહાવીર દેવથી ઉત્પત્તિ પ્રસ્તુત છે, તેનો તથા અપ્રશસ્ત મિથ્યાત્વાદિ ઔદયિક ભાવનો વિનાશ, તેનો વિશેષ કરીને અધિકાર છે. આ સિવાયના બીજા નિર્ગમના દ્રવ્યાદિ ભેદો પ્રસ્તુત પ્રશસ્તભાવ નિર્ગમના (અનન્તર અથવા પરંપરાએ) કારણરૂપ છે. જેમ કે મહાવીરદેવ દ્રવ્ય, મહસેન વન ક્ષેત્ર, પહેલી પૌરૂષીરૂપ પ્રમાણ કાળ, અને ભાવપુરૂષ તે ભાવ, એ સંક્ષેપથી સામાયિક નિર્ગમના અંગો છે. શ્રીમાનું મહાવીર દેવના જીવથી મહસેન વનમાં પ્રથમ પૌરૂષીએ સામાયિક નીકળ્યું, કારણ કે મહાવીર દેવરૂપ ભાવપુરૂષથી જ સર્વ નીકળ્યું છે. (સામાયિક લાયોપથમિક ભાવમાં હોય છે, તેથી તેને ભાવ કહેવાય છે.) એ સર્વ (ક્ષેત્ર નિગમ કાળ નિર્ગમ-સામાયિક અધ્યયન, આવશ્યક શ્રુત સ્કંધ, આચારાંગ વિગેરે) મહાવીરના જીવરૂપ દ્રવ્યને આધીન છે, તેથી પહેલાં તે જિનેશ્વર મહારાજનો નિર્ગમ કહીને પછી સામાયિકનો નિર્ગમ કહીશું. મિથ્યાત્વાદિ અંધકારથી તે નીકળ્યા, અને અનુક્રમે કેવળજ્ઞાન પામ્યા, તે પછી તેમનાથી સામાયિક નીકળ્યું, તે સામાયિક હવે કહીશું. ૧૫૪૩ થી ૧૫૪૮.
આ પછી પંથ શીર રત્તા ઈત્યાદિ નિયુક્તિમાં નિર્ગમ સંબંધી ગાથાઓ સહેલી છે, તેથી ભાષ્યકારે તેની વ્યાખ્યા નથી કરી. એમાં જે કંઈ અઘરૂં ન સમજાય તેવું હોય તે મૂળ આવશ્યકના 'વિવરણથી જાણી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org