________________
ભાષાંતર]
જિનકલ્પ લેવાની વિધિ
[૧૧
બીજા પ્રકારનું અનુષ્ઠાન કરનાર આચાર્ય જિનકલ્પ આદિ અંગીકાર કરે છે. તેમાં પ્રથમ તો મધ્યરાત્રે આ પ્રમાણે વિચારે કે વિશુદ્ધચારિત્રાનુષ્ઠાન વડે મેં આત્મહિત કર્યું. અને શિષ્યાદિને ઉપકાર કરવાથી પરહિત પણ કર્યું. વળી ગચ્છનું પરિપાલન કરે એવા શિષ્યો પણ હવે તૈયાર થયા છે. તો હવે મારે વિશેષ આત્મહિત કરવું ઉચિત છે. ઇત્યાદિ વિચારીને જો પોતાને વિશિષ્ટજ્ઞાન હોય, તો પોતે જ પોતાનું આયુષ્ય કેટલું અવશેષ છે, તેનો વિચાર કરે. પોતાને તેવું વિશિષ્ટજ્ઞાન ન હોય, તો તેવા જ્ઞાનવાળા બીજા આચાર્યને પૂછીને નિર્ણય કરે. એ પ્રમાણે આયુષ્યનો નિર્ણય થતાં જો આયુષ્ય અલ્પ જણાય, ભક્તપરિજ્ઞાઆદિમાંથી કોઈ પણ એક પ્રકારે મરણ અંગીકાર કરે; પણ જો આયુષ્ય દીર્ઘ જણાય અને જંઘાબળ ક્ષીણ થયું હોય તો વૃદ્ધવાસ અંગીકાર કરે, પરંતુ
શક્તિ સારી હોય તો જિનકલ્પ આદિમાંથી કોઈ પણ કલ્પનો સ્વીકાર કરે.
જો જિનકલ્પ સ્વીકારવાની ઈચ્છા હોય, તો આ પાંચ તુલના (ભાવના)થી પોતાના આત્માની તુલના (પરીક્ષા) કરે. તપ-સત્ત્વ-સૂત્ર-એકત્વ અને બળથી, એમ પાંચ પ્રકા૨ે તુલના-આત્માની પરિકર્મણા કરે. જિનકલ્પ અંગીકાર કરનાર આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર-અને ગણાવચ્છેદક
આ પાંચમાંના કોઈપણ ઘણું કરીને હોય છે. તેઓ ઉપર્યુક્ત પાંચ ભાવનાથી આત્માની તુલના કરે અને કન્દર્પ-કિલ્બિષિક-આભિયોગિક-અસુર અને સંમોહના સંબંધવાળી પાંચ અશુભ ભાવનાઓનો ત્યાગ કરે.
(૧) તપભાવના= ઉપર જણાવેલ તપ સત્ત્વ આદિ પ્રશસ્તભાવનાથી આત્માની તુલના કરતાં પ્રથમ તપ વડે આત્માની તુલના કરે, તેમાં ક્ષુધાનો એવો જય કરે કે દેવ આદિના ઉપસર્ગથી, છ માસ પર્યંત શુદ્ધ આહાર આદિ ન મળે તો પણ પીડા ન પામે.
(૨) સત્ત્વભાવનાથી ભયનો પરાજય કરે, તે સત્ત્વભાવના પણ પાંચ પ્રકારે છે, (૧) રાત્રિએ જ્યારે સર્વ સાધુઓ સુઈ જાય ત્યારે પોતે એકલા જ ઉપાશ્રયમાં કાઉસ્સગ્ગ કરે. (૨) ઉપાશ્રયની બહાર રહીને કાઉસ્સગ્ગ કરે. (૩) ચોકમાં રહીને કાઉસ્સગ્ગ કરે. (૪) શૂન્યગૃહમાં અને (૫) સ્મશાનમાં રહીને કાઉસ્સગ્ગ કરે. એવી રીતે પાંચ સ્થાને કાઉસ્સગ્ગ કરી, પાંચ પ્રકારે ભયનો જય કરી સત્ત્વની પરીક્ષા કરે. એ પાંચ પ્રકારની સત્ત્વભાવનાથી આત્માને ભાવિત કર્યા પછી.
(૩) સૂત્ર ભાવનાથી આત્માને ભાવિત કરે. પોતાના નામની પેઠે સૂત્રને એવું પરિચિત કરે કે સૂત્રપરાવર્તન કરવાના અનુસારે રાત્રે અથવા દિવસે ઉચ્છ્વાસ-પ્રાણ-સ્તોક-લવ-મુહૂર્ત વિગેરે કાળ સારી રીતે જાણી શકે. તે પછી
(૪) એત્વભાવનાથી આત્માને એવી રીતે ભાવિત કરે કે એક સંઘાડાના સાધુ આદિની સાથે પણ, પૂર્વે થયેલા આલાપ-સંલાપ-સૂત્રાર્થને, સુખદુ:ખ આદિ પ્રશ્ન, પરસ્પર કથા-વાર્તા કરવી વગેરે સર્વસંબંધનો ત્યાગ કરે. એમ કરવાથી બાહ્ય મમત્વ મૂળથી નાશ પામે. તે પછી શરીર-ઉપધિ આદિથી પણ પોતાને ભિન્ન જુએ. એથી સર્વ વસ્તુ ઉપરની આસક્તિ-મમતાનો સર્વથા અભાવ થાય. તે પછી
(૫) બળભાવનાથી તુલના કરે. એમાં બળ બે પ્રકારે છે-એક શારીરિક બળ અને બીજું માનસિકધીરજ બળ. જિનકલ્પ અંગીકાર કરનાર મુનિનું શારીર્રિક બળ બીજા સામાન્ય મનુષ્ય કરતાં વિશેષ હોવું જોઈએ. જો કે તપસ્યાદિથી કૃશ થયેલાનું શારીરિક બળ જેવું જોઈએ તેવું નથી હોતું તોપણ માનસિક ધૈર્યબળ એવું હોય કે મોટા રિસહ તેમજ ઉપસર્ગોથી પણ પરાભવ ન પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org